Gujarat

સુરત મા બે ઝુપડામાં લાગી ભયાનક આગ, આગ લાગવાનું કારણ જાણી તમે પણ…

Spread the love

ભરીમાતા રોડ પર આજે સવારે બે ઝૂપડામાં આગ ફાટી નીકળતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ભરીમાતા રોડ પર પાલીયા ગ્રાઉન્ડ જીલાની બ્રિજ નીચે આજે સવારે અચાનક એક ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી.

જેને લીધે તેની બાજુમાં આવેલા બીજું ઝુપડું આગની ઝપેટમાં આવ્યું હતું. જેના લીધે ત્યાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર ઓફિસર દિનુ પટેલ અને ફાયર જવાનો સાથે કતારગામ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે ધસી ગઈ હતી.

ત્યાં બહાર જવાનો સતત પાણીનો છંટકાવ કરતા આગ ફેલાવવા દીધી ન હતી અને પોણો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો જેના લીધે આસપાસના 4થી 5 ઝૂંપડાઓ બચાવી લીધા હતા જોકે આગને લીધે ઝૂપડામાં મુકેલો સામાન સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતું આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નહીં હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *