IndiaNational

હિમાચલ પ્રદેશ ની સીમા પાસે સર્જાયો મોટો અકસ્માત એક ગાડી ઊંડી ખીણ માં પડીજતા એક વ્યક્તિ નું મૃત્યુ થયું જ્યારે પાંચ વ્યક્તિઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ સામે આવે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. આપણે ઘણી વખત એવા બનાવો જોયા હશે કે જ્યાં વાહન ચાલાક વાહન પરથી પોતાનુ નિયંત્રણ ખોઈ બેસે છે. અને જેના પરિણામે અક્સ્માત સર્જાય છે.

હાલ આવો જ અક્સ્માત સામે આવ્યો છે કે જ્યાં એક મુસાફરી ગાડી અનિયંત્રિત થઈ ને ઊંડી ખીણ માં પડી ગઈ હતી. જેના કારણે એક વ્યક્તિ ને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો હતો. આ અક્સ્માત ના કારણે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અક્સ્માત ની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર ગુરુવારે વિકાસનગરથી અટલ તુની તરફ જતી મુસાફર ગાડી હાઈવે પર હિમાચલ બોર્ડર નજીક આવેલા નેરુવા ખાતે ખીણમાં ગરકાવ થઈ હતી. જેના કારણે આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો. જો વાત અક્સ્માત ના કારણ અંગે કરીએ તો આ ગાડીના ચાલકે ગાડી પરથી પોતાનું નિયંત્રણ ખોઈ બેસ્યો હતો જેના કારણે ગાડી ખીણ માં પડી હતી.

આ અકસ્માત માં એક વ્યક્તિ ને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો હતો જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. જો વાત આ મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો આ મૃત્યુ પામેલા યુવકની ઓળખ હિમાંશુ કે જેમની ઉંમર 21 વર્ષ છે અને તેમના પિતાનું નામ શિવદાસ છે. આ વ્યક્તિ અનુ-તુની રહેવાસી તરીકે ઓળખ થઈ છે.

જ્યારે વાત અકસ્માત માં ઈજાગ્રસ્ત લોકો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે અકસ્માત માં નાસીર પુત્ર મુનફીદ ઉપરાંત નસીમ પુત્ર હસમત અને મુનફીદ પુત્ર ઇસ્લામોદીન સાથો સાથ જાવેદ પુત્ર ઇસ્લામોદીન આ તમામ લોકો તહેસીલ ખામપુર ગામ કે જે મુઝફ્ફરનગર જીલ્લા ઉત્તર પ્રદેશમા આવેલ છે તે ઉપરાંત સંજય કુમાર કે જેઓ કેવલરામ ના પુત્ર છે અને જેઓ નેરુવા ગામ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. આ પાંચ લોકો ઘાયલ થયા છે.

અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ટીમ એમ્બુલન્સ સાથે ઘટના સ્થળે પહોચી આવી હતી. અને ઈજા ગ્રસ્ત લોકો ને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના પ્રશાસન દ્વારા અકસ્માત માં મૃતયુ પામેલા વ્યક્તિ ને દસ હજાર રૂપિયા જ્યારે ઘાયલ લોકોને પાંચ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *