કાંકરેજ : નર્મદા ના કેનાલમાં યુવક અને યુવતી ની લાશ મળી ! પોલીસ ને જાણ થતા…
કાંકરેજ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીનો મૃતદેહ તરતી હાલતમાં દેખાતા થરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે યુવક યુવતીના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડાઇ વધુ તપાસ ધરી. બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.
ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે તેમાં ખેગારપુર પુલ પાસે આજે યુવક યુવતીનો કેનાલમાં તરતી હાલતમાં મૃતદેહ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક થરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવક-યુવતીના મૃતદેહને બહાર કઢાયો હતો.
પોલીસે યુવક યુવતીના મૃતદેહને થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે લાવવામાં આવ્યા. મૃતક યુવક અને યુવતીના ભેગાં મૃત હાલતમાં મૃતદેહ મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. હજૂ સુધી કોઈ ઓળખ થઈ નથી તેવા સૂત્રો દ્વારા માહિતી મળી છે.
થરા પોલીસ દ્વારા ઓળખવિધિ શરૂ કરવામાં આવી છે. સ્થળ પરથી ચપ્પલ અને પર્શ મળી આવતાં પોલીસે ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યા છે ત્યારે મૃતકોની ઓળખ અને મોતનું કારણ હજુ અકબંધ છે.
નોંધ:આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!