India

કેમ્પટી ફોલમાં અચાનક જ થયું એવું કે વરસાદ બાદ પાણી નો થયો વધારો…

Spread the love

ઉત્તરાખંડમાં વરસાદ પડવાનું યથાવત છે. પર્વતીય વિસ્તારમાં થઈ રહેલા વરસાદની અસર મેદાની વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. મસૂરીના કેમ્પટી વિસ્તારમાં ઊંચાઈવાળા સ્થળો પર વરસાદ થવાથી કેમ્પટી ફોલમાં અચાનક પાણી વધી ગયું છે. ગનીમત રહીની પોલીસે ઝરણાંમાં નાહી રહેલા 250થી વધારે પર્યટકોને પહેલા જ દૂર મોકલી દીધા હતા. કેમ્પટી ફોલમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી આસપાસના વિસ્તારના પર્યટકો અને લોકોમાં ડરનો માહોલ નજરે પડ્યો હતો.

કેમ્પટી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ નવીન ચંદ્ર જરાલે જણાવ્યું હતું કે ઊંચાઈવાળા વિસ્તારમાં વરસાદની જાણકારી બાદ તાત્કાલિક કેમ્પટી ફોલમાં ફરજ બજાવતા જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોલમાં નાહી રહેલા પર્યટકોને સુરક્ષિત જગ્યા પર મોકલી દેવામાં આવ્યા હતા. મસૂરીમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદી નાળા ઉભરાઇ ગયા છે તેનાથી લોકોમાં ડરનો માહોલ બની ગયો છે. ઘણી જગ્યાઓ પર કાટમાળ આવવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે.

શહેરમાં સોમવારે બપોર બાદ ભારે વરસાદ થયો. તેનાથી લોકોની મુશ્કેલી વધી ગઈ. ગટર બંધ થવાથી માર્ગ પર પાણી ભરાઈ ગયા. ઘણા વરસાદી નાળા ઉભરાઇ ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના સમાચાર મળી રહ્યા છે. ગલોલી ધારના પર્વત પરથી બોલ્ડર આવવાથી લોકો પરેશાન રહ્યા. દહેરાદૂન માર્ગ, કેમ્પટી માર્ગ, ધનોલ્ટી માર્ગમાં ઘણી જગ્યાએ પથ્થર અને કાટમાળ આવવાથી અવર-જવર બાધિત રહી. વરસાદથી સવાર અને સાંજના હવામાનમાં સામાન્ય ઠંડી પણ વધી ગઈ છે.

ગાઢ ધુમ્મસ છવાઈ જવાના કારણે મુસાફરી પણ પ્રભાવિત થઈ રહી છે. માલ રોડમાં પ્રતિબંધિત સમયમાં વાહનોનો પ્રવેશ બંધ થઈ રહ્યો છે. તેનાથી માલ રોડનો લુપ્ત ઉઠાવવા પહોંચી રહેલા પર્યટકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નગર પાલિકાના અધ્યક્ષે સખ્તાઈના નિર્દેશ આપ્યા છે. શહેરના ગાંધી ચોક અને ભગત સિંહ ચોક સ્થિત બેરિયરથી માલ રોડમાં વાહનોના પ્રવેશ સતત યથાવત છે. તેનાથી માલરોડ પર અવ્યવસ્થાની સ્થિતિ રહે છે. માલ રોડ પર સૌથી વધારે પરેશાની મોટી સંખ્યામાં ટૂ-વ્હીલર વાહનો ઝડપથી વધી રહી છે.

હરિયાણાથી આવેલા પર્યટક જસવિન્દર સિંહે કહ્યું કે માલ રોડ પર વાહનોની ભીડના કારણે ફરવા માટે પરેશાની થાય છે. પ્રતિબંધિત સમયમાં ઓછામાં ઓછા વાહન ચલાવવા જોઈએ. જેથી માલ રોડ અને મસૂરીનો લુપ્ત ઉઠાવવા પહોંચેલા લોકોને પરેશાની ન થાય. નગર પાલિકાના અધ્યક્ષ અનુજ ગુપ્તાનું કહેવું છે.

તેમનો પ્રયત્ન રહે છે કે પ્રતિબંધિત સમયમાં માલ રોડ પર અનાવશ્યક રૂપે વાહન ન ચાલે પરંતુ ઘણા લોકોના ઘર માલ રોડ પર છે જેના કારણે વાહન ચાલે છે. અનાવશ્યક રૂપે વાહન ન ચાલે એટલે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. માલ રોડ પર મુસાફરી વ્યવસ્થા સારી રાખવા માટે દરેક સંભવિત પ્રયાસ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *