Gujarat

ગાડી અને બાઈક વચ્ચે અક્સ્માત સર્જાતા બે લોકો ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત જ્યારે એક બે વર્ષ નું બાળક…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આવો જ એક અકસ્માત અંગે હાલ વિગતો મળી રહી છે કે જેમાં અકસ્માત ના કારણે બે લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત લીંબડી રાણપુર રોડ પર કારોલ અને ભૃગુપુર ગામ વચ્ચે ના રસ્તામાં સર્જાયો હતો. અહીં એક ગાડી અને એક બાઈક ટક્કરાઇ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં બે લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જો વાત ઘટના વિશે વિગતે કરીએ તો આ અહીં ગાડી સવાર લોકો લગ્નમાથી જઈ રહ્યા હતા. જ્યારે અકસ્માત ગ્રસ્ત બાઈક સવાર પોતાની ભાભી ને લેવા ગયો હતો. જો વાત અકસ્માત નો ભોગ બનેલ વ્યક્તિઓ વિશે કરીએ તો તેમાં નિલેશભાઈ નારાયણભાઈ કે જેઓ બોટાદ ના રહેવાસી છે તેઓ જોગરાણા ચુડા તાલુકાના મોજીદડ ગામ ના રહેવાસી એવા પોતાના ભાભી કે જેમનું નામ પૂજાબેન હિરાભાઈ અને તેમના 2 વર્ષના પુત્રને લઈને પરત બાઈક પર બોટાદ જતા હતા.

તેવા સમયે એક ગાડી કે જેમાં ચુડા તાલુકાના કરમડ ગામના ગોપાલભાઈ રતુભાઈ બાવળીયા તેમના મિત્રના પરિવાર સવાર હતા તેઓ ઝીંઝાવદર ગામથી લગ્ન પ્રસંગ પૂરો કરીને ચોટીલા જઈ રહ્યા હતા. ત્યારે તેમનો આ બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માત ના કારણે બે લોકો મૃત્યુ પામ્યા જ્યારે 6 લોકોને ઈજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *