National

જયારે શહીદ જવાન તેજપાલ સિંહ નો પાર્થિવ શરીર તિરંગામા લપેટાઇ ને પહોચ્યુ તેમના ગામ માં ત્યારે પરિવાર….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે સૌથી વધુ ગર્વની બાબત એ પોતાના દેશ અને માતૃભૂમિ ની સેવા કરવાની હોઈ છે. દરેક વ્યક્તિ સતત એવું વિચારતા હોઈ છે કે તેઓ પોતે કઈ રીતે પોતાના દેશ અને માતૃભૂમિને મદદ માં આવી શકે. વ્યક્તિ આ બાબત માટે સતત પ્રયત્ન કરતો રહે છે.

પોતાના દેશ ની સેવા ના હેતુથી ઘણા લોકો ફોજ માં જોડાઈ છે. અને દેશ અને દેશવાસિઓ ની મદદ કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. આવા જાબાસ સૈનિકો પોતાના શરીર ના લોહીના છેલ્લા ટીપાં સુધી દેશ અને દેશવાસિઓ નું રક્ષા કરતા રહે છે.

આવા સેના ના જવાનો સાચા અર્થમાં દેશના લોકો માટે હીરો સાબિત થાય છે. કારણકે દેશ માં કૃત્રિમ કે કુદરતી ગમ્મેતે આપદાઓ માં સેનાના વીર જવાનો દેશના લોકોની રક્ષા કરતા હોઈ છે. અને લોકોને પણ દેશની સેના પર પૂરતો ભરોસો અને ગર્વ હોઈ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી દેશ સામે અનેક પડકારો હતા જે પૈકી એક પડકાર આતંકવાદ પણ છે. આપણે સૌ દેશમાં અનેક આતંકી ઘટનાઓ વિશે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. જો કે સેના દ્વારા ચાલતા વિવિધ અભિયાનોની મદદથી દેશ માં આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા આતંકીઓ ને મોતને ઘાટ ઉતારવામા આવે છે. આવા અભિયાન માં ઘણી વખત દેશના જવાનો પણ વીરગતિ પામતા હોઈ છે.

આજે આપણે એક એવા જવાન વિશે વાત કરવાની છે કે જેમનો પાર્થિવ શરીર જ્યારે તેમના ગામ પહોચ્યુ ત્યારે લોકોની ભીડ એક્ઠી થઈ હતી અને લોકો ‘ જય હિંદ ‘ અને ‘ વંદેમાતરમ ‘ ના નારાઓ લગાવતા હતા. જો કે જવાનનિ વીરગતી ના કારણે લોકોમાં શોક નો માહોલ છે.

જણાવી દઈએ કે શહીદ જવાન નું નામ તેજ્પાલ સિંહ છે તેઓ ગજરૌલાના વારસાબાદ ગામના રહેવાસી છે અને તેમની ઉંમર 30 વર્ષ હતી. જો વાત તેમના પિતા અંગે કરીએ તો તેમના પિતાનું નામ રામપાલ સિંહ છે. તમને જણાવી દઈએ કે શહીદ જવાન તેજપાલ સિંહ વર્ષ 2015 માં આર્મીમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા.

અને છેલ્લા થોડા સમયથી તેઓ જમ્મુ કાશ્મીર ના રામબન જિલ્લાના બનિહાલમાં ફરજ બજાવી રહ્યા હતા. જવાન ને મંગળવારે સાંજે કપાળ પાસે ગોળી વાગવાથી તેઓ વીરગતિ પામ્યા હતા. સેના દ્વારા આ ઘટના અંગે તેમના ભાઈ સતવીર સિંહ ને જાણકારી આપવામાં આવી હતી. માહિતી મળતા તમામ સંબંધીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા.

અહીં સૈન્ય અધિકારીઓ દ્વારા તેજપાલ સિંહ ના પાર્થિવ શરીરને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ગામમાં લઈને આવવામાં આવ્યા હતો. જયારે ગુરુવારે સવારે જવાન નો મૃતદેહ ગામમાં પહોંચ્યો ત્યારે દરેકની આંખમા આંસુ હતા. અને લોકો ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા હતા. સેનાના જવાનોએ ભીડ વચ્ચે એમ્બ્યુલન્સમાંથી મૃતદેહને બહાર કાઢ્યો અને જવાનના ઘરે રાખ્યો. આ પછી જવાનને નમન કરતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *