Gujarat

જાહેરમાં ગંજીપત્તાના પાના- પૈસા વતી જુગાર રમતાં કુલ-૦૪ ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગર

Spread the love

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,પો.સબ ઇન્સ.શ્રી એ.પી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. જયદાનભાઈ લાંગાવદરા તથા પો.કોન્સ બીજલભાઈ કરમટીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, શિહોર, માધવનગર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.* જે જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના નામવાળા ઈસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૧,૩૬૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.

1. સલીમભાઈ રજાકભાઈ તરકવાડીયા ઉવ.૨૪ રહે. ખાટકીવાડ, શિહોર, જી.ભાવનગર 2. મુસ્તાકભાઈ મહમંદભાઈ તરકવાડીયા ઉવ.૩૦ રહે. ખાટકીવાડની પાછળ, શિહોર, જી.ભાવનગર 3. ઈસુફભાઈ જમાલભાઈ સૈયદ ઉવ.૪૦ રહે.લીલાપિરની દરગાહ પાસે, શિહોર, જી.ભાવનગર 4. ઈમરાનભાઈ રસુલભાઈ તરકવાડીયા રહે. ખલીફા સોસાયટી, શિહોર, જી.ભાવનગર

આ તમામ ઇસમો વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબ, એ.પી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. જયદાનભાઈ લાંગાવદરા, હરેશભાઈ ઉલવા, બાવકુદાનભાઈ કુંચાલા તથા પો.કોન્સ બિજલભાઈ કરમટીયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *