દેશ ના આ ભાગ માં અક્સ્માત એ તોડ્યા રેકોર્ડ રોજ થાઈ છે આટલા અક્સ્માત અને આટલા લોકો ગુમાવે છે પોતના જીવ જાણીને તમારાં પણ…
મિત્રો આપડે લગભગ દરરોજ અક્સ્માતો વિશે જોતાં અને સાંભળતા હોઈએ છીએ આવા અક્સ્માત માં અનેક લોકોને પોતના જીવ પણ ગુમાવવા પડે છે. ત્યારે આપણને વિચાર આવે છે કે દરરોજ આવા કેટલા અક્સ્માત થતાં હશે ? અને તેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે ?
તો આ અહેવાલ માં આપણે માહિતી મેળવશુ કે દેશમાં સૌથી વધુ અક્સ્માત ક્યાં થાઈ છે અને તેને કારણે કેટલા લોકો ને પોતાનો જીવ ગુમવ્વો પડે છે. આપણે આજે છત્તીસગઢ માં થતાં અક્સ્માતો અને તેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વિશે માહિતી મેળવશુ.
છત્તીસગઢ માં અકસ્માતોની સંખ્યા માં ખૂબજ વધારો જોવા મળી રહ્યો છે. જો વાત પોલીસ વિભાગ પાસેથી મળેલા આંકડાઓ વિશે કરીએ તો તેમાં જણાવ્યા અનુસાર છેલ્લા નવ મહિનામાં દરરોજ 34 માર્ગ અકસ્માતો થયા છે, આ અક્સ્માત માં અંદાજે 14 લોકોના મોત થયા છે જ્યારે આશરે 28 લોકો ઘાયલ થયા છે. જો વાત રાયપુર અંગે કરીએ તો રાજ્ય ની રાજધાની રાયપુરમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો થાય છે.
અકસ્માતો ની સંખ્યા ઘટાડવા માટે પોલીસ વિભાગ સતત અનેક પ્રયત્નો કરે છે. વળી લોકોને ટ્રાફિક પ્રત્યે જાગૃત પણ કરે છે. તેમ છત્તા પણ જો વાત છેલ્લા નવ મહિના વિશે કરીએ તો રાજ્ય રાજધાની માં છેલ્લા નવ મહિનામાં 1269 માર્ગ અકસ્માતના કેસ નોંધાયા છે.
આ અક્સ્માત ને કારણે આશરે 350 લોકોના મોત થયા છે. જો વાત રાજ્યના અન્ય પ્રદેશો વિશે કરીએ તો અકસ્માતની સંખ્યા માં બિલાસપુર બીજા નંબરે, દુર્ગ ત્રીજા નંબરે, અને ચોથા નંબર પર રાજનાંદગાંવ આવે છેજયારે રાયગઢ શહેર નો પાચમો નંબર આવે છે. માર્ગ અકસ્માતના આંકડા પરથી સ્પષ્ટ છે કે પહેલા નવ મહિનામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નો દર જે અગાઉ 12.15 ટકા હતો તે હવે 24.87 ટકા છે જ્યારે ઘાયલોમાં 5.53 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જે ખૂબજ ચિંતાજનક બાબત છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.