ધોરાજી : મોડી રાત્રે બે માળ ની ઇમારત પડી ! તેનું પાછળ નું કારણ જાણી…
ધોરાજી નજીકના ભોળા ગામે લેઉઆ પટેલ સમાજની બે માળની ઇમારત ગત રાત્રીના ધડાકાભેર તુટી પડી હતી. જો કે, સદનસીબે જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત રાત્રે 11 વાગ્યે બાળાઓ નવરાત્રીની પ્રેકટીસ પૂર્ણ કરીને નીકળી અને રાત્રે ત્રણ વાગ્યે બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ હતી અને બાજુમા આવેલ રહેણાંક મકાનની દિવાલને પણ નુકસાન થયું હતું.
વિશાળ ઇમારત તુટી પડતા અફડા-તફડીનો માહોલ સર્જાયો પ્રાપ્ત માહીતી અનુસાર ધોરાજી તાલુકાના ભોળાગામે આવેલ લેઉવા પટેલ સમાજની બિલ્ડીંગ ખાતે બાળાઓ ગરબાની પ્રેકટીસ કરી રહી હતી. ત્યારે આ સમાજની વાડીમાં 70થી પણ વધુ વ્યકિતઓ હાજર હતી. રાત્રે 11 વાગ્યે બાળાઓ નવરાત્રીની પ્રેકટીસ પૂર્ણ કરીને નીકળી હતી અને અને રાત્રે ત્રણ વાગ્યે લેઉવા પટેલ સમાજની બે માળની વિશાળ ઇમારત એકાએક ધડાકાભેર તુટી પડી હતી. એકાએક આ વિશાળ ઇમારત તુટી પડતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.
સરપંચે ધોરાજીના મામલતદાર અને પોલીસ જાણ કરી ભોળા ગામે આવેલ લેઉવા પટેલ સમાજ ધડાકા ભેર તુટતા રોડ પર ઉભેલા ટ્રેકટરને પણ નુકસાન થયું હતું. જો કે આ ઇમારતમાં ગરબાની પ્રેકટીસ કરતી બાળાઓ તેમજ અન્ય લોકો મળી 70થી વધુ લોકોનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આ વિશાળ ઇમારત તુટી પડતા આસપાસના મકાનોમાં પણ મોટી તીરાડો પડી ગઇ હતી.
જેથી આજુબાજુમાં આવેલ મકાનોમાં પણ મોટી નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું છે. લેઉવા પટેલ સમાજની આ ઇમારત એકાએક તુટી જવાની જાણ થતાં જ સરપંચ હરેશભાઇ ટીલાળા ઘટના સ્થળે દોડી ગયા હતા. સરપંચ દ્વારા ધોરાજીના મામલતદાર અને પોલીસને આ અંગે જાણ કરેલ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!