બજરંગદાસ બાપા ના આ પરચાઓ પહેલા ક્યારે પણ નહી વાંચ્યા હોય! બોલો બાપા સીતારામ
બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં ગમે જેટલાય ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષોને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે, કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા.કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રધા સાથે ભોજન લેવાથી તે મોંઘીઘાટ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે અને તેથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે તેવી માન્યતા રહેલી છે, અને કોઈ બીમારી પણ આવતી નથી.
બજરંગ દાસ બાપાનાં ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો. અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરીયા હમુમાંનજી મંદિરમાં થયો હતો. બાપના જન્મ સમયનો ઈતિહાસ પણ અદ્ભુત છે. 1906ની સાલમાંvઅધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. માતા શિવ કુંવરબા જ્યારે પોતાના પિયર જતા હતા તે વખતે તેઓ બળદગાડામાં બેસીને જતા હતા પરંતુ રસ્તામાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં પહોચતા જ તેમને પ્રસવ પીડા ઉપડી અને તેથી તેને આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝુપડીમાં લઇ ગયા, આજ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને ઝાલરોના અવાજ સંભળાવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જમણ થયો.
બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો, બાપામાં સેવા ભાવના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા. અને સાથે ખુબ જ પ્રભુ ભક્તિ પણ હતી.
બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.
બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ.
જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો. જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.
બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.
બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ. જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો. જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.