Gujarat

મહાદેવ નુ એવુ અનોખુ મંદિર કે મહાદેવ ની ઈચ્છા હશે તો જ તમે દર્શન કરી શકશો

Spread the love

ગુજરાતનું એક મંદિર સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે રોજ સવારે અને સાંજે બે વખત થોડા સમય માટે ગાયબ થઈ જાય છે. ભગવાન શિવનું આ અલગ અને અદભુત મંદિર જે વડોદરા, ગુજરાતથી થોડુક 40 માઈલ દૂર એક અરબી સમુદ્રના કિનારે છે.

આપણા ભારત દેશમાં આવા કેટલાય મંદિરો સ્થાપિત છે, જેની પાછળ કઈક ને કઈક ચમત્કાર છુપાયેલા છે અને વૈજ્ઞાનિકોએ પણ તે ચમત્કારો સામે પોતાની હારને સ્વીકારી લીધી છે. આવા દરરોજ કેટલાક ચમત્કારો થતા હોય છે જેના કારણે ભક્તોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રહેતી હોય છે. આજે આવા જ એક શિવ મંદિર વિશે જણાવીએ છીએ, જેના વિશે જાણ્યા પછી તમને અદભુત લાગશે . કેમ કે આ શિવ મંદિર દરરોજ થોડાક સમય દેખાય છે અને પછી તે થોડા સમય માટે ગાયબ થઈ જાય છે. આ મંદિરમાં રહેલા અને પૂજા કરનારા ભક્તો પણ મંદિર પરત ફરવાની રાહ જુએ છે.

આ મંદિર ગુજરાતમાં છે અને આ મંદિરને સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે, ભગવાન શિવનું આ મંદિર દરરોજ સવારે બે વખત અને સાંજે થોડો સમય માટે ગાયબ થઈ જાય છે. ભગવાન શિવનું આ અનોખું અને અદભુત મંદિર છે જે વડોદરા, ગુજરાતથી 40 માઈલ દૂર અરબી સમુદ્રના કિનારે આવેલું છે. આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલા થઈ હતી, આ મંદિરમાં શિવલિંગની ઉંચાઈ 4 ફૂટ છે અને તેનો વ્યાસ 2 ફૂટ છે.

આ મંદિર દરિયાકિનારે આવેલું એટલા માટે જ્યારે પણ દરિયામાં ભરતી આવે છે ત્યારે મંદિર પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને જ્યારે પણ ભરતી નીચે આવે છે ત્યારે આ મંદિર ફરી દેખાય છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરનારા ભક્તો માટે ખાસ કાપલી વહેંચવામાં આવે છે. કાપલીમાં ભરતીનો સમય લખવામાં આવે છે જેથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન થાય. જ્યારે ભરતી આવે છે તે સમય દરમિયાન મંદિરની ચારે બાજુ પાણી ભરાઈ જાય છે. અહીં શિવલિંગની આસપાસ ભરતી સમયે જઈ શકાતું નથી અને જ્યારે ભરતી ઉતરે છે ત્યારે જ શિવલિંગ દેખાય છે.

ભગવાન શિવના આ અદભુત મંદિરને જોવા માટે લોકો અહી દૂર દૂરથી આવે છે. અહી લોકોની આસ્થા મંદિરમાં જોવા મળે છે અને લોકો તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે મંદિરમાં પ્રાર્થના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *