Gujarat

લાશ નો સૂર્યાસ્ત પછી કેમ અગ્નિ સંસ્કાર નથી કરવામાં આવતો?? કારણ છે કાંઈક આવુ

Spread the love

મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે માનવ જીવન એ કુદરત ની એક એવી બનાવટ છે જેને કોઈ પણ સરખી રીતે નાતો જાણી શક્યું છે કે તેના વિશે નાતો કોઈ પાસે પૂરતી માહિતી છે. માણસ ના જન્મ થી લઇ તેના મૃત્યુ સુધીમાં અનેક કર્યો માણસ કરે છે પરંતુ તમામ વસ્તુ અહીજ છૂટી જાયછે. હાલના સમય માં વિજ્ઞાન ના ક્ષેત્ર માં આટલી પ્રગતિ થઇ હોવા છતાં પણ કોઈ પણ જાણી શક્યું નથી કે માનવ ના મુત્યુ બાદ તેની આત્માનું શું થાઈ છે.

આપડે સૌ જાણીયે છીએ કે શરીર નાશવંત છે જયારે આત્મા અમર છે પરંતુ આ અમર આત્મા માણસના મુત્યુ પછી જાઈ છે ક્યાં આ પ્રશ્ન નો જવાદ કોઈ પણ પાસે નથી. કહેવાય છેકે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાઈ છે.પરંતુ તે તેના આખા જીવન માં અનેક મોહ માયા પાછળ ભાગતો હોય છે પરંતુ અંત સમયે તે પોતાની સાથે કઈ પણ લઈ જાઈ શકતો નથી. તે બાબત ની જાણ હોવા છતાં તે મોહ માયા છોડી શકતો નથી.

મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે જીવન જેટલું સત્ય છે તેટલું સત્ય મુત્યુ પણ છે જે વ્યક્તિ જન્મ લેછે તેની મોત થવાની જ છે માટે જ ગુજરાતી માં કહેવત છે કે નામ એનો નાશ તો ચાલો આપડે અહીં મૃત્યુ ને લગતી બાબતો વિશે થોડું જાણીએ. આપડે જાણીએ છીએ તેમ બધાનું મોત એકના એક દિવસ આવશે જ અલગ અલગ ધર્મ માં મૃત્યુ ને લઇ અલગ અલગ માન્યતા અને રિવાજો છે જ્યાં હિન્દૂ અને શીખ ધર્મમાં લોકોને મૃત્યુ પછી અગ્નિ દાહ આપવામાં આવે છે ત્યાં મુસ્લિમ અને ક્રિશ્ચન ધર્મમાં લોકો ને જમીન માં દાટી દેવામાં આવે છે.

મિત્રો વાત કરીએ હિન્દૂ ધર્મની તો તેમાં જીવન ને લઇ 16 સંસ્કાર છે જેમાં પહેલો સંસ્કાર જન્મ અને અંતિમ સંસ્કાર એટલેકે 16 મોં સંસ્કાર મુત્યુ છે આ બંને સંસ્કારોની ઉજવણી અનેક રીતિ રિવાજો મુજબ થાઈ છે. વાત કરીએ મુત્યુ ની તો હિન્દૂ ધર્મ ની માન્યતા મુજબ કોઈ પણ શવ ને સૂર્યાસ્ત પહેલા અગ્નિ દાહ દઈ શકાતો નથી જો આમ કરવામાં આવે તો તેની આત્માને શાંતિ મળતી નથી. વળી જો તેનો ફરી જન્મ થાઈ તો તેના શરીર નું કોઈ અંગ ખરાબ રહે છે માટે આવા શવ ને સૂર્યાસ્ત પછીજ અગ્નિ દાહ દેવામાં આવે છે

હિન્દૂ ધર્મમાં મટકી વાળો રિવાજ પણ ઘણો પ્રચલિત છે આ મટકી માં પાણી ભરવામાં આવે છે અને તેમાં એક નાનું છિદ્ર કરવામાં કરવામાં આવે છે જેમાંથી પાણી બહાર નીકળે છે આ મટકી ચિતાને અગ્નિ આપનાર પિતા પુત્ર અથવા તો પતિ ને આપવામાં આવે છે આ મટકી દ્વારા મનુસ્ય જીવન અંગે માહિતી આપવામાં આવે છે જેના મટકી માનવ શરીર અને અંદર નું પાણી જીવન જોઈ છે જે ધીમે ધીમે ખાલી થતું જાઈ છે અને અંતે મટકી ફોડી નાખવામાં આવે છે જેથી આત્માનું શરીર પ્રત્યે નું આકર્ષણ દૂરકરવાનો સંદેશ આપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *