સેના જવાન ગૌતમ લાલ થયા શહીદ પરિવાર સાથે વાત કરતા માલુમ પડ્યું કે તેઓ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે સૌથી વધુ ગર્વની બાબત એ પોતાના દેશ અને માતૃભૂમિ ની સેવા કરવાની હોઈ છે. દરેક વ્યક્તિ સતત એવું વિચારતા હોઈ છે કે તેઓ પોતે કઈ રીતે પોતાના દેશ અને માતૃભૂમિને મદદ માં આવી શકે. વ્યક્તિ આ બાબત માટે સતત પ્રયત્ન કરતો રહે છે.
પોતાના દેશ ની સેવા ના હેતુથી ઘણા લોકો ફોજ માં જોડાઈ છે. અને દેશ અને દેશવાસિઓ ની મદદ કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. આવા જાબાસ સૈનિકો પોતાના શરીર ના લોહીના છેલ્લા ટીપાં સુધી દેશ અને દેશવાસિઓ નું રક્ષા કરતા રહે છે.
આવા સેના ના જવાનો સાચા અર્થમાં દેશના લોકો માટે હીરો સાબિત થાય છે. કારણકે દેશ માં કૃત્રિમ કે કુદરતી ગમ્મેતે આપદાઓ માં સેનાના વીર જવાનો દેશના લોકોની રક્ષા કરતા હોઈ છે. અને લોકોને પણ દેશની સેના પર પૂરતો ભરોસો અને ગર્વ હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી દેશ સામે અનેક પડકારો હતા જે પૈકી એક પડકાર આતંકવાદ પણ છે. આપણે સૌ દેશમાં અનેક આતંકી ઘટનાઓ વિશે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. જો કે સેના દ્વારા ચાલતા વિવિધ અભિયાનોની મદદથી દેશ માં આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા આતંકીઓ ને મોતને ઘાટ ઉતારવામા આવે છે. આવા અભિયાન માં ઘણી વખત દેશના જવાનો પણ વીરગતિ પામતા હોઈ છે.
હાલ આવો જ એક બનાવ નાગાલેંડથી સામે આવ્યો છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડના રહેવાસી આર્મી જવાન ગૌતમ લાલ શનિવારે નાગાલેન્ડના મોન જિલ્લામાં ફાટી નીકળેલા રમખાણોમાં શહીદ થયા હતા. ટિહરી જિલ્લાના કીર્તિનગરના ડેપ્યુટી કલેક્ટર સોનિયા પંતે સોમવારે કહ્યું કે તેમને ગૌતમ લાલ નાગાલેન્ડમાં શહીદ થયાની માહિતી મળી છે.
જો વાત સેનાના વીર જવાન ગૌતમ લાલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ નૌલી ગામના રહેવાસી હતા. અને તેઓ પેરાશૂટ રેજિમેન્ટની 21મી બટાલિયનમાં પેરાટ્રૂપર તરીકે તૈનાત હતા. જણાવી દઈએ કે ગૌતમ લાલ પાંચ ભાઈઓમાં સૌથી નાના હતા. અને તેઓ વર્ષ 2018 માં સેનામાં જોડાયા હતા.
જો વાત તેમના પાર્થિવ શરીર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો પાર્થિવ દેહને સોમવારે સાંજે જોલી ગ્રાન્ટ દેહરાદૂન લાવવામાં આવ્યો હતો. જયારે આજે પાર્થિવ દેહ એઈમ્સ ઋષિકેશમાં રહેશે અને ત્યાર બાદ મંગળવારે તેમના ગામ લઈ જવામાં આવશે. જ્યાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જણાવી દઈએ કે ગૌતમ અપરિણીત હતો.