India

બાળકે બસ માથી મોઢું બહાર કાઢતા લોખંડના દરવાજા સાથે અથડાયું અને મોત નીપજ્યું ! માતા નુ હૈયાફાટ રુદન.

Spread the love

ધોરણ-4 માં અભ્યાસ કરતો વિધાર્થી સ્કૂલે જતો હતો ત્યારે એવી ભયાનક ઘટના બની કે તમે પણ ચોકી ઉઠશો. ધોરણ-4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલ બસ માં જયારે સ્કૂલે જતો હતો ત્યારે તે મોત ને ભેટી ગયો હતો. ગુજરાત માં અકસ્માત ના કિસ્સાઓ ખુબ જ બહોળા પ્રમાણ માં નજરે ચડે છે. અને એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થી ને સ્કૂલે લય જતી બસ કે ઓટો ને અવારનવાર અકસ્માત નો ભોગ બનતી નજરે ચડે છે.

એવી જ એક ઘટના સામી આવી છે. અનુરાગ નહેરા માત્ર 12-વર્ષ નો વિદ્યાર્થી જયારે સ્કૂલે જવા નીકળે છે ત્યારે તેને બસ માં અકસ્માત નો સામનો કરવો પડે છે. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે તે વિદ્યાર્થી જયારે સ્કૂલે જાય છે ત્યારે શરુ બસે પોતાનું મોઢું બારી બહાર કાઢે છે અને બારી બહાર મોઢું કાઢતાની સાથે જ તે નું મોઢું એક પોલ સાથે અથડાય જાય છે અને માસુમ નું મોત નીપજે છે.

આ આખી ઘટના ની જાણ તેના પરિવાર અને પોલોસ ને કરવામાં આવે છે કે તરત જ પરિવાર અને પોલોસ તાપસ અર્થે દોડી જાય છે. પરિવાર નૂ કહેવું છે કે આ શાળા સંચાલકો ની બેદરકારી નું પરિણામ છે. જયારે શાળા સંચાલકો પોતાના નિવેદન માં કહે છે કે બાળક ને ઉલ્ટી થતી હોય તેને પોતાનું મોઢું બારી બહાર કરેલું અને અચાનક જ સામેથી પોલ આવતા તેનું મોઢું પોલ સાથે અથડાતા તેનું મોત થયું હતું.

આમ શાળા ના સંચાલકો દ્વારા પોતાનો બચાવ કરવામાં આવે છે અને પરિવારો દ્વારા શાળા ના સંચાલકો પર બેદરકારી નો આક્ષેપ મુકવાનમાં આવી રહ્યો છે. માત્ર 12- વર્ષ ની ઉંમરે જ બાળક નું અકસ્માતે મૃત્યુ થતા તેના પરિવાર માં શોક નું વાતાવરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *