Categories
India

સાયરસ મિસ્ત્રી ના મોત બાદ પોલીસે બેદરકારી બદલ આ વ્યક્તિ પર કર્યો કેસ દાખલ જાણો કોણ છે તે વ્યક્તિ?

Spread the love

રોજબરોજ અકસ્માત થવાના અનેક કેસો સામે આવતા હોય છે. ખાસ કરીને હાઇવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માત થતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. એવો જ એક અકસ્માત બે મહિના અગાઉ અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર થયો હતો. જેમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયર મિસ્ત્રી નું દુખદ અવસાન થયું હતું.

જેના બાદ પોલીસે આ બાબતે એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં એક વ્યક્તિ ઉપર બેદરકારી નો આરોપ લગાવીને તેની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં વાત કરીએ તો આ કેસમાં પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીની ગાડી ચલાવનાર અનાહિતા પંડોલે ઉપર વિવિધ કલમો લગાવીને કેસ દાખલ કરી દીધો છે.

આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને અનાહિતા પંડોલે સામે રોડ ઉપર બેદરકારી થી ગાડી ચલાવવા માનવજાત ને ખતરામાં મૂકવા થી કાર ચલાવવા બાબતે અનેક મોટર વાહન અધિનિયમ અને ડ્રાઇવિંગ ધારાઓ અંતર્ગત આ બાબતે કેસ દાખલ કરવામાં આવેલો છે. આ કેસની વાત કરવામાં આવે તો સાયરસ મિસ્ત્રીની લક્ઝરીયસ કાર mercedes સાથે આ એક્સિડન્ટ થયો હતો.

mercedes કારની વાત કરવામાં આવે તો આટલી સુવિધા યુક્ત ગાડી હોવા છતાં આ કાર નું એક્સિડન્ટ થયો હતું. અને જેમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે નું મોત નીપજ્યું હતું. આમ પોલીસ આ બાબતે દિવસે અનેક નવા રાજ ખોલી રહી છે અને ગુનેગારોને ધરપકડ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *