India

શું હું બાળક પેદા કરવાનું મશીન છું? અભિનેત્રી ‘કરીનાકપૂર’ મીડિયા સમક્ષ થઇ ગુસ્સે ના કહેવાનું કહ્યું…વાંચો વિગતે.

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેના પતિ સેફલીખાન બંને અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બનતા હોય છે. હાલમાં સમાચારો માં જણાવવામાં આવ્યું હતું કે કરીના કપુર સેફલીખાન ના ત્રીજા બાળક ની માં બનવા જય રહી છે. આ વાત ને લઈને કરીનાકપુરે મીડિયા સામે આ વાત નો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો. કરીનાકપૂરે આ બાબતે મીડિયા સામે ખુબ જ ગુસ્સ્સે થયેલી જોવા મળી હતી. ઘણા સમય થી કરીનાકપુર પ્રેગ્નેન્ટ છે તેની અફવાઓ ફેલાયેલી જોવા મળતી હતી. આ બાબત ને કરીનાકપુરે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે…

કરીનાકપુરે આ બાબતે વાત કરતા કહ્યું કે, તે હાલ ત્રીજા બાળક ની માં બનવા ની નથી. તેણે વધુ માં કહ્યું કે, અભિનેતા અને અભિનેત્રી પણ સામાન્ય લોકો ની જેમ જ હોય છે. તેમને પણ તેમના જીવન માં સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. તે કહે છે કે, તે ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ થી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે કહે છે કે, જયારે તે તસવીરો શેર કરે છે ત્યારે તે ફિલ્ટર કર્યા વગર શેર કરે છે એટલે કે તે અસલી તસ્વીર શેર કરતી હોય છે. તે કહે છે કે, હું પ્રાઇવેટ પરસન છું બને એટલું તે પ્રાઇવેટ રહે છે.

તે કહે છે કે, હાલ માં તે 40-દિવસ ની રજા પર હતી. આ દિવસો માં તેણે ગણતરી કરી નોતી કે તેણે કેટલા પિઝા ખાધા હશે. મારે તેને મારી સ્ટ્રાઇડ માં લેવું પડ્યું અને કહેવું પડ્યું કે ચીલ, તે ઠીક છે. તે કહે છે કે, અમે પણ માણસ છીએ. કરીના કપૂર ને જયારે પૂછવામાં આવ્યું કે, જયારે કોઈ મહિલા નું વજન વધે ત્યારે લોકો મહિલા ને જોઈ ને સૌથી પહેલા એ અંદાજો લગાવતા હોય છે કે તે પ્રેગ્નેટ હશે. આ વાત થી તમે સહમત છો? ત્યારે કરીનાકપુરે જવાબ આપતા કહ્યું કે, તમે શું કહેવા માંગો છો? શું હું પ્રેગ્નેન્ટ છું? તમારો મતલબ શું છે ?

તેણે આગળ કહ્યું કે, શું હું મશીન છું? નિર્ણય મારા પર છોડો. તે કહે છે કે, તે ખરેખર પ્રામાણિક રહે છે. તે પણ બધા ની જેમ જ માણસ છે. આમ કરીનાકપુરે પોતાની પ્રેગ્નેટ હોવાની અફવાઓ ને તદ્દન રીતે નકારી દીધી હતી. કરીનાકપુર ના કામ ની વાત કરીએ તો હવે તે આમીરખાન સાથે ના મુવી લાલ સિંહ ચઢા માં જોવા મળશે. તે આ મુવી ના પ્રમોશન માં વ્યસ્ત થયેલી જોવા મળે છે. કરીનાકપુર અને તેના પતિ એ ઘણા બધા એક થી એક ધમાકેદાર મુવી માં કામ આપેલું છે. આજે તેના લાખો ની સંખ્યામાં ફેન્સ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *