Gujarat

કિંજલ દવે ના પ્રોગ્રામ માં દર્શકો ભૂલી ગયા ભાન. અને ખુરશીઓ ઉછાળવા લાગ્યા. જુઓ તેના ફોટા.

Spread the love

પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે જેને સૌ કોઈ લોકો ના પ્રિય ગાયિકા માં ના એક છે . કિંજલ દવે ના પ્રોગ્રામ માં લાખો ની સંખ્યામા લોકો જોવા માળતા હોય છે. કિંજલ દવે ના પ્રોગ્રામ માં તેની એક એક ગીતો પર લાકો રૂપિયા નો વરસાદ થતો હોય છે. એવી જ એક ઘટના ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.

જેમાં ગુજરાત સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ ના રાધનપુર ની અમર જ્યોત એજયુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે કિંજલ દવે ના એક પ્રોગામ નું આયોજન કરવામાં આવ્યું હતું. કિંજલ દવે નો પ્રોગ્રામ હોય એટલે તેમાં મોટી સંખ્યામાં જનમેદના ઉમટતી જોવા મળે છે. રાધનપુર માં યોજાયેલ આ પ્રોગ્રામ માં એક અજુગતી ઘટના બનેલી જોવા મળે છે. જેમાં તેના ફેન્સ દ્વારા ખુરશીઓ ઉછાળવામાં આવી રહી છે.

કિંજલ દવે ના આ પ્રોગ્રામ મા કિંજલ દવે પર રૂપિયા નો વરસાદ થયો હતો અને ત્યારબાદ કેટલાક યુવાનો એટલા બધા ઉત્સાહ મા આવી ગયા કે તેને શરુ પ્રોગ્રામ દરમિયાન ખુરશીઓ ઉછાળી હતી અને પટકાવી હતી. જે દરમિયાન કેટલીક ખુરશીઓ ને નુકશાન પણ થયું હતું. કેટલાક દર્શકો આમાં ભાન ભૂલી ગયા હતા. અને આવું અજુક્તું કૃત્ય કર્યું હતું.

આ કૃત્ય ને કેટલાક લોકો એ અસામાજિક કહી ને વખોડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *