કિર્તીદાન ગઢવી સહ-પરિવાર ગિરનાર પહોંચ્યા ! રોપવે માં બોલાવી મોજ-માં રેવું ગીત ની એવી રમઝટ કે, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં અનેક ડાયરા ના કલાકારો પ્રખ્યાત છે. ગુજરાતના ડાયરા સમ્રાટનું બિરુદ મેળવનાર કલાકાર એટલે કીર્તિદાન ભાઈ ગઢવી. કિર્તીદાનભાઈ ગઢવી આ જે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત થઈ ચૂક્યા છે. કીર્તિદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ હોય એટલે તેના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે.
કિર્તીદાનભાઈ ગઢવી એ તેના instagram એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેના દ્વારા જાણવા મળ્યું કે કિર્તીદાનભાઈ ગઢવી તેના પરિવાર સાથે ગીર માં રજાનો આનંદ માણી રહ્યા છે. કિર્તીદાનભાઈ ગઢવી અને તેની પત્ની તથા તેના દીકરા ગિરનારમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ગિરનાર ઉપર આવેલા અંબાજી માતાના મંદિર ઉપર સમ્રાટ કિર્તીદાનભાઈ ગઢવી સહ પરિવાર દર્શન કરવા પહોંચ્યા અને આશીર્વાદ લીધા હતા.
ઉપરાંત જૂનાગઢના દાસારામ બિલ્ડીંગ અરવિંદ દાસા સાથે રોપવે દ્વારા અંબાજી માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. કિર્તીદાનભાઈ ગઢવીને ગિરનાર ઉપર જોતા ચાહકો ઉત્સાહિત થઇ ચૂક્યા હત અને તેની સાથે તસવીરો ખેંચાવી રહ્યા હતા. તો કિર્તીદાનભાઈ ગઢવી એ રોપવે માં મોજમાં રહેવું ગીતની રમઝટ બોલાવી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
અને લોકોને ખાસ પસંદ આવી રહ્યો છે. કીર્તિદાનભાઈ ગઢવીએ માતાજીને ચુંદડી ઓઢાડીને માતાજીના આશીર્વાદ લીધા હતા. કિર્તીદાનભાઈ ગઢવી સહ પરિવાર ગિરનારનો આનંદ માણી રહ્યા છે. જેની તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આજે કિર્તીદાનભાઈ ગઢવી નું નામ ડાયરા ના કાર્યક્રમ માં ઉચ્ચ સ્થાને આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!