માં મોગલ ના પર્ચા ! માં મોગલ ના મંદિરે એક દીકરી માનતા પુરી કરવા આવી. દીકરી ની માનતા હતી કે…
ગુજરાત માં આવેલા કરછ ના કાબરાઉ વાળી માં મોગલ ના પરચા અપરંપાર છે. લોકો માં મોગલ ના ધામ કાબરાઉ ઘણું અંતર કાપી ને આવતા હોય છે. માતા મોગલ પાસે ભક્તો સાચા મન થી જે ઇરછા પ્રગટ કરે છે. તે માં મોગલ પોતાના ભક્તો ની ઇરછા પુરી કરે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે કે, માં મોગલે ભક્તો ની ઇરછા પુરી કરી હોય.
એવા જ બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં માં મોગલે તેના ભક્તો ને જે માંગ્યું સાચા મન થી તે આપ્યું. કરછ ના કાબરાઉ મંદિરે એક બહેન પોતાની માનતા પુરી કરવા આવ્યા હતા. તે બહેન ને માનતા હતી કે, તેના ઘરે બાળક નો જન્મ થશે. એટલે માતા ના મંદિરે દર્શન કરવા આવીને યથાશક્તિ પૈસા ચડાવશો. મહિલા જયારે કાબરાઉ આવીને પૈસા મણિધર બાપુને આપે છે. ત્યારે મણિધર બાપુ પૂછે છે. આ શેની માનતા હતી?
ત્યારે મહિલા એ જણાવ્યું કે, તેના લગ્ન ના ઘણા વર્ષો પછી પણ બાળક ન હતું. માતા ને પ્રાર્થના કરતા માતા એ પ્રાર્થના સ્વીકારી અને તેના ઘરે બાળક નો જન્મ થયો. અને તેના ઘર સંસાર માં પણ શાંતિ કરી દીધી. એટલે તે અહીં માનતા પુરી કરવા આવી છે. મણિધર બાપુ એ તે મહિલા ના પૈસા માં 20-રૂપિયા ઉમેરી ને તેને પાછા આપ્યા. અને કહ્યું કે તમારી માનતા પુરી થઇ ગઈ. માતા પર સાચા દિલથી શ્રદ્ધા રાખજો.
બીજો એક કિસ્સો સામે આવ્યો જેમાં એક દીકરી એ તેની નોકરી નો પહેલો પગાર માતા ના મંદિરે ચડાવા આવી હતી. ત્યારે મણિધર બાપુ એ પૂછ્યું. એટલે દીકરી એ કહ્યું કે, આ મારી સરકારી નોકરી નો પહેલો પગાર છે. મારી માનતા હતી કે, મને સરકારી નોકરી મળશે. એટલે હું પહેલો પગાર માતા ના મંદિરે ચડાવીશ. ત્યારે મણિધર બાપુ એ દીકરી ના પૈસા માં એક રૂપિયો ઉમેરીને તેને પાછો આપી દીધો. અને કહ્યું કે, માતા પાસે સાચા દિલથી પ્રાર્થના કરો એ માતા પુરી કરે છે. માતા પર શ્રદ્ધા રાખજો. બધી મનોકામના પુરી થશે. આમ માં મોગલ ના પરચા અપરંપાર છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.