નડિયાદ- લવ જેહાદ નો ભોગ બનનાર યુવતી એ લવ જેહાદ ના કેસમાં એવું કહ્યું કે, સાંભળીને લોકો પણ રહી ગયા હેરાન.
સમાજ ને કલંકરૂપ એવી લવજેહાદ ની ઘટના ગુજરાત માં ઘણી વાર સામે આવતી હોય છે. ગુજરાત માં આવા ઘણા બધા કેસો નોંધાય ગયા છે જેમાં યુવતીઓ ને ફસાવીને તેને જબરદસ્તી થી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય છે. લવ જેહાદ ની તેવી જ ઘટના એ ફરીવાર ગુજરાત માં જોર પકડ્યું છે. નડિયાદ માં રહેતી એક યુવતી આ નો શિકાર થય છે.
નડિયાદ માં રહેતી એક યુવતી એ 24-માર્ચ ના રોજ યાસર નામના યુવક વિરૃધ ફરિયાદ નોંધાવી હતી. યાસીરખાન પઠાણ અને તેના પરિવાર સહીત 10 લોકો વિરૃધ્ધ યુવતી એ જબરદસ્તી ધરત્મપરિવર્તન, મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ, લગ્ન ની લાલચ આપી બળાત્કાર અને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ એચ.સી.એસ.સી. સેલ માં આપવામાં આવી હતી. આરોપી યાસિરે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની ઉપર વારંવાર બળાત્કાર કર્યો હતો. બાદ માં યુવતીને વિદેશ મોકલી હતી બાદ માં તેને અહી ભાડા ના મકાન માં એકલી ગોંધી રાખવામાં આવી હતી. યુવતીના માતા પિતા અને ભાઈ એ આ અંગે ફરિયાદ કરી અને તે અંગેનું એફિડેવિટ કર્યું હતુ.
પોલીસે આ બાબત ને ઝડપથી ઉકેલવા માટે તરત જ આરોપી નીધરપકડ કરી હતી. બાદ માં પોલીસે આરોપી યાસિર ના માતા-પિતા સહિત ૭ લોકો નીવધરપકડ કરી હતી .અને બાદ માં નાસતો ફરતો યાસિર પણ પોલીસ સ્ટેશન પર હાજર થાય ગયો હતો. બાદ માં આ ઘટના માં અચાનક જ વળાંક આવી ગયો અને ફરિયાદી યુવતી પોલીસ સ્ટેશન જઈ ને પોલીસ સમક્ષ નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવા માંગતી હતી પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. જાણે કે યુવતી નું બ્રેઇન વોશ કરાયેલું હોય તેમ લાગતું હતું. અને યુવતી એ વધુ માં જણાવ્યું હતું કે તે પોતે પોતાની મરજી થી યાસિર સાથે લગ્ન કરવા માંગે છે અને તેની સાથે રહેવા માંગે છે.
આ કેસ માં હવે નવો વળાંક જ આવ્યો છે. બીજી તરફ આખા કેસ ને વિડ્રો કરવા કોર્ટ માં અરજી પણ થય શકે છે. યુવતી સોમવારે જામીન અંગે અરજી લઈ ને કોર્ટે પહોંચી હતી અને યાસિર ને બચાવવા માટે તેમાં તરફથી વકીલો માં ધાડેધાડા ઉત્તરી આવ્યા હતા. આમ આ કેસમાં એક નવો વાળંક જ આવી ગયો છે અને સૌ કોઈ આશ્ચર્ય પામી ગયેલા છે પોલીસે આ બાબતે આગળ ની કાર્યવાહી હાથ ધરેલી છે.