મિત્રો આપડે સૌ જાણીયે છીએ કે રવિવાર એ લખિમપુર માં હિસ થઇ હતી. અને આ હિંસા માં ઘણા લોકો ના મૃત્યુ ની વાત પણ સામે આવી છે.આપને જણાવિ દઈએ કે ઉતરપ્રદેશ ના લખિમપુર માં ખેડૂત આનદોલનકારિ અને કેન્દ્રિયગૃહ રાજયમંત્રી અજય મિશ્રા ટેની ના પુત્ર આશિષ ટેની અને તેમના કાર્યકર્તા વચ્ચે ઝડપ થઈ હતી.
જેમાં ઘણા લોકો એ પોતા નો જીવ ગુમાવિયો હતો. મળતી માહિતી મુજબ આશિષ ટેની ના ત્રણ કાર્યકર્તા અને ડ્રાઈવર ની મોત થઈ હતી. જ્યારે એક પત્રકાર ને ઈજા થઈ હતી. જેનિ 4 ઓકટોબર ના રોજ ઈલાજ દરમિયાન મોત થઈ ગઈ હતી.
કિસાન મોર્ચા ના જણાવ્યા અનુસાર શાંતિ પૂર્વક આંદોલન કરતા આંદોલન કારિઓ પર કેન્દ્રિયગૃહ રાજયમંત્રી અજય મિશ્રા ટેની ના પુત્ર આશિષ ટેની એ ગાડી ચડાવી દીધી. અને ગોળીયો પણ ચલાવી.
જેમાં લોકો ના મૃત્યુ ની જાણ થઈ. પણ જો આ બોડી ના પોસ્ટમોર્ટમ ની માનિએ તો તેમની મૃત્યુ ગોળીથી થઈ નથી. પરંતુ લાઠી, દ્વારા થયેલ વાર ને કારણે તેમના ગળા માં અને કરોડરજ્જુ માં ઈજા થવાથી, તથા અન્ય અંદરના ભાગ માં ઈજા થવાથી થયું હતું.
જોકે કિસાન મોર્ચાનો આગ્રહ યોગ્ય તપાસ કરી ગુનેગાર ને સજા આપવાનો છે. હાલ મૃત્યુ પામનાર પરિવરોને 45 લાખ રોકડા અને એક વ્યક્તિ ને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.