India

દિલ્હી થી આંદોલન પૂરું કરી પરત ફરી રહેલ ખેડૂતો માટે કાળ બન્યો ટ્રક રસ્તામાં અકસ્માત માં બે ખેડૂતો……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

હાલ આવા જ એક અકસ્માત અંગે વિગતો સામે આવી રહી છે કે જ્યાં એક ટ્રકે રસ્તામાં આગળ જઈ રહેલ એજ ટ્રેક્ટર ને ટક્કર મારી હતી આ અકસ્માત માં બે લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અમુક લોકો ઘાયલ થયા અંગે ની ખબર હાલ મળી રહી છે. આ અકસ્માત અંગે ની વિગતો આ મુજબ છે.

જણાવી દઈએ કે આ અક્સ્માત હરિયાણાના હિસારમાં NH-9 ધાદૂર પાસે બગલા રોડ મોડ પાસે સર્જાયો હતો. અહીં આ માર્ગ પર પસાર થતાં એક તેજ રફ્તાર ટ્રકે એક ટ્રેકટર ને પાછળ થી ટક્કર મારી હતી. જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા. જણાવી દઈએ કે આ ખેડૂતો પંજાબના હતા.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલ વ્યક્તિઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે અકસ્માત માં સુખવિંદર સિંહ કે જેમની ઉંમર 38 વર્ષ છે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માત ના કારણે અન્ય ખેડૂતો અજયપ્રીત કે જે 38 વર્ષ ના હતા. તેઓ ઉપરાંત ગોગા કે જે 62 વર્ષના છે અને દારા સિંહ કે જે 55 વર્ષ ના છે તેમને અકસ્માત માં ગંભીર ઈજા થતાં હિસારની ચુડામણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં અન્ય એક ખેડૂત કે જેનું નામ અજયપ્રીત છે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *