પંચમહાલ જિલ્લાના શહેરાના મીઠાલી ગામે પટેલફળીમાં માતાએ ઠપકો આપ્યા બાદ 15 વર્ષના કિશોરે ગળેફાંસો ખાયને આત્મહત્યા કરી છે. દીકરાનો લટકતો મૃતદેહ જોઈને માતાએ પણ ગળે ફાંસો ખાય લીધો હતો. પણ પીયર પક્ષ તરફથી પુત્રી અને દોહીત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. એક સાથે બે સ્મશાન યાત્રા તૈયાર થતા આખુ ગામ હિબકે ચડ્યું છે.
શહેરા તાલુકાના મીઠાલી ગામે રહેતો 15 વર્ષનો મનહર સોમવારે પોતાના ફળીયામાં સાયકલ ફેરવતો હતો. તેથી માતાએ ઠપકો આપતા બેથી ત્રણ ચંપલ ફટકાર્યા હતા. જેથી દીકરો રીસાઈને નજીકમાં આવેલા ખેતરમાં જતો રહ્યો. થોડા સમય બાદ એના પિતા ઘરે આવ્યા હતા. પિતાએ મનહર વિશે પૂછ્યું હતું. ત્યારે માતાએ ચંપલથી ફટકાર્યો હોવાની વાત કહી. ત્યાર બાદ તે ખેતરમાં ચાલ્યો ગયો હતો. પિતા મનહરને શોધવા માટે નીકળ્યા હતા. પણ તે મળી આવ્યો ન હતો. મંગળવારે વહેલી સવારે માતા કુદરતી હાજતે ખેતર પાસે ગઈ હતી.
જ્યાં દીકરાનો મૃતદેહ લટકતો હતો. દીકરાએ ગળે ફાંસો ખાય લીધો હતો. ઘણો સમય પસાર થયો હોવા છતા પત્ની પરત ન આવતા પતિ એને શોધવા માટે નીકળ્યો હતો. જ્યાં પોતાના જ ખેતરમાંથી ગળેફાંસો ખાધેલી સ્થિતિમાં પત્ની મળી આવી હતી. તે જીવે છે એવું જાણીને એને નીચે ઊતારી હતી. ત્યાર બાદ દીકરાનો મૃતદેહ પણ નીચે ઊતાર્યો હતો. પત્નીમાં જીવ હોવાનો અહેસાસ થતા 108ની મદદ લેવામાં આવી હતી. પણ સાથે આવેલા તબીબે મૃત જાહેર કરી હતી.
આ ઘટનાને લઈને આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક સાથે બે આત્મહત્યા સામે આવતા સમગ્ર ગ્રામ્ય પંથકમાં ચકચાર મચી જવા પામી છે.માતાએ સાયકલ ફેરવવાની ના પાડતા અને ચંપલ વડે ફટકારતા દીકરાને માઠું લાગ્યું હતું.તેથી દીકરાએ આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે દીકરાનો મૃતદેહ લટકતો જોઈને માતાએ પણ પુત્ર પાછળ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું પુત્રી અને દોહિત્રની હત્યા થઈ હોવાની ફરિયાદ પીયરપક્ષે કરી છે. આ અંગેની જાણ થતા પીયરપક્ષના લોકો મીઠાલી આવી પહોંચ્યા હતા પરિસ્થિતિની ગંભીરતા પારખીને પીઆઈ. નીતિન ચૌધરીએ ટીમ સાથે પહોંતીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.એના ઘરની બાહર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે માતા અને દીકરાની લાશને પોસ્ટમોર્ટમ હેતું ખસેડી હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે. જોકે પોલીસે આ કેસમાં કેટલાક લોકોની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.