તાજેતર મા મોડેલ એશ્રા પટેલ પર હુમલા ની ઘટના બહાર આવેલી છે. જેમાં છોટાઉદેપુર ના સંખેડા તાલુકાના કાવીઠા ગામની ગ્રામસભાના લોકો, સરપંચ અને તેના પુત્ર દ્વારા એશ્રા પર જીવલેણ હુમલો કરવામાં કરવામાં આવ્યો હતો. જે બાબતે એશ્રા પટેલ દ્વારા તમામ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.એશ્રા પટેલે પાણી અને આવાસ બનાવવા બાબતે કાવિઠા ગ્રામપંતાયતના ઝાભ, ચંદાનગર અને કાવિઠા ગામમાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને આવાસ મળે એવી મેં રજૂઆત કરી હતી.
એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામ માં ગ્રામપંચાયત ની ચૂંટણીમાં હારી ગયા હતા. જેમા તેની હાર થતા એશ્રા એ તેના વિરોધી ઉમેદવારે તેના પર હુમલો કરવા બાબતે ફરિયાદ કરી હતી. હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં મોડેલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં મોડેલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અત્યારે એશ્રા પટેલ સંખેડા ના ગામ કાવીઠા ની ગ્રામપંચાયત મા પાણી બાંબતે ફરિયાદ કરવા માટે ગયા હતા. સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ, તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો હાજર હતા. એ સમયે ગામમાં 6 પાણીનાં ટેન્કરો હોવા છતાં એ ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ કહ્યું હતું કે ટેન્કરો બીજા ગામમાં આપ્યાં છે અને બીજાં બગડેલાં છે. જે બાબતે તે દરમિયાન સરપંચ અને તેના લોકો વિરુદ્ધ એશ્રા પટેલ ની બોલાચાલી થતા મામલો ઉંચકીયો હતો.
જે દરમિયાન એશ્રા પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન કૈલાસબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. અને તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાદ માં એશ્રા પટેલે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ક્યુ કે સરપંચ અને તેના પુત્ર દ્વારા તેને ની:વસ્ત્ર કરવાની ની કોશિશ કરવા માટે તેની ઓઢણી ખેંચવામાં આવી હતી. અને તમને મહાનુભાવો ર્ડોક્ટર બાબાસાહેબ ના જન્મદિવસ ની ઉજવણી માટે કહેવામાં આવ્યું હતું તે દરમિયાન માં સરપંચ દ્વારા તેની પરમિશન પણ નોતી મળી.
અને તેણે કહ્યું કે ડો. બાબાસાહેબ આંબેડકર ઊજળિયાતોને નથી પસંદ, જેના જવાબમાં એશ્રા પટેલે કહ્યું હતું કે તમે ઊજળિયાતોનું કેમ ખોટું બોલો છો અને હવો ગાંધીજયંતી આવી રહી છે, તો તમે કેમ વિરોધ કરો છો, એમ કહેતાં મનુભાઇએ કહ્યું હતું કે તું માપમાં રે, નહીં તો તને જોઇ લઇશ. એશ્રા પટેલે કહ્યું હતું કે ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યા છે. તેમનો વિરોધ કેમ? એમ કહેતાં મનુભાઇ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને મનુભાઇ, તેમનાં પત્ની જ્યોતિબેન ઊભાં થઇને એશ્રા પટેલને મારવા માટે ધસી ગયાં હતાં. આ બાબતે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.