ભારત ના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી આજે ભારત માં જ નહિ વિદેશ માં પણ તે નામ કમાય ચુક્યા છે. નરેન્દ્રમોદી ગુજરાત ના એક માત્ર વડાપ્રધાન છે જે સૌથી લાંબો સમય ગુજરાત ના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. નરેન્દ્રમોદી નો જન્મ મહેસાણા જિલ્લા ના વડનગર ગામે થયો હતો. વડનગર એટલે એ ગામ કે જ્યાં નરેન્દ્ર મોદી નું બાળપણ વીત્યું. નરેન્દ્રમોદી નું બાળપણ ખુબ જ આકરી પરિસ્થોતી માંથી પસાર થયુ છે. તેમના પિતા ને વડનગર રેલવે સ્ટેશન પર ચા ની દુકાન હતી.
નરેન્દ્રમોદી તેમના પિતા સાથે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેંચતા હતા. તેઓ રેલવે સ્ટેશન ના ટી-13 નંબર પર ચા વેચવાનું કામ કરતા હતા. અને ત્યાં આવતી રેલગાડીમાં જય ને અને સ્ટેશન પર ચા વેંચતા હતા. આ વર્ષો જૂનો ટી સ્ટોલ આજે પણ વડનગર ના રેલવે સ્ટેશન પર હયાત છે. અને તેને હવે તેના જુના જ લુક માં તેની જગ્યા પર તેવો જ નવો ટી સ્ટોલ બનાવવામાં આવી રહ્યીયો છે.
પ્રવાસન વિભાગ દ્વારા આ આખા સ્થળ ને પ્રવાસન વિભાગ માં ફેરવવમાં આવશે તેવી જાહેરાત 2017 માં થઈ ચુકી છે પણ હવે તેને પૂર્ણતા સ્વરૂપે વિકસાવવામાં આવશો. નરેન્દ્રમોદી જયારે 2014 ની લોકસભા ની ચૂંટણી લડી રહ્યા હતા ત્યાંરે પણ આ સ્ટોલ ખુબ જ ચર્ચા માં હતો. કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે દુકાનનનો મૂળ દેખાવ જેવો જ દેખાવ ધરાવતી નવી ચા ની દુકાન બનાવવાનો નિર્દેશ કર્યો છે.
તેના જુના સ્ટોલ ને પણ ત્યાં જ રાખવામાં આવશે અને નવો સ્ટોલ ખોલવામાં આવશો અને ત્યાથી પસાર થતા મુસાફરો પણ ત્યાં ચા પીવાનો આનંદ લય શકશે. નવા ટી સ્ટોલ નુ નામ નરેન્દ્રમોદી ના પિતા ના નામ પર રાખવામાં આવશો. અને ત્યાંથી જતાંઆવતાં લોકો આ સ્ટોલ ને સારી રીતે નિહાળી શકશો. આમ મોદી ના બાળપણ ની યાદ સચવાય રહે તે હેતુથી આ આખા વિસ્તાર ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશો.