મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલિવુડ દેશ વિદેશમાં ઘણું લોકપ્રિય છે. બોલીવુડ ની આ ચમકથી આકર્શાઇને અનેક લોકો પોતાના લક અહીં આજ્માવવા માટે આવે છે. જો કે બોલીવુડ માં ટકી રહેવા અને લોકોમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા માટે ફક્ત લક કામ આવતા નથી. પરંતુ આ માટે કલાકારે ઘણી મહેનત કરવી પડે છે.
મિત્રો આપણે ઘણા એવા કલાકારો જોયા છે કે જેઓ એક કે બે ફિલ્મો પછી બોલીવુડ ના પેટાળમાં ખોવાઈ જાય છે. અને લોકો તેમને યાદ પણ નથી કરતા જ્યારે આપણે એવા કલાકારો પણ જોયા છે કે જેમણે પોતાની મહેનત અને એક્ટિંગ સ્કિલ દ્વારા લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. અને લોકો આવા કલાકારો ને તેમના ચાલ્યા ગયા પછી પણ ઘણા યાદ કરે છે. આપણે અહીં એવાજ બે કલાકારો વિશે વાત કરવાની છે કે જેઓ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદો આજે પણ આપણા વચ્ચે છે.
મિત્રો આપણે અહીં બોલીવુડ ના બે દિગ્ગજ સુપર સ્ટાર દિવંગત સુશાંત સિંહ અને સિદ્ધાર્થ શુક્લા વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ બંને કલાકારો હાલમાં આપણી વચ્ચે નથી. જો વાત સુશાંત સિંહ વિશે કરીએ તો આપણે જાણીએ છિએ કે તેમણે તેમના જ ઘરમાં આત્મ હત્યા કરી હતી. જયારે સિદ્ધાર્થ શુક્લા ને હૃદયરોગના કારણે અવશાન પામ્યા હતા.
આપણે અહીં આ બંને કલાકારો ના સંબંધ વિશે વાત કરવાની છે. મિત્રો જણાવી દઈએ કે સુશાંત સિંહ અને સિદ્ધાર્થ શુક્લા બંને ઘણા જ સારા મિત્રો હતા. સાથો સાથ દરેક લોકો આ બંને કલાકારો માં બોલીવુડ નું ભવિસ્ય જોતાં હતા તેઓ બોલીવુડ ના અપકમિંગ સુપર સ્ટાર હતા. જો વાત તેમના માં રહેલી સામ્યતા વિશે કરીએ તો તે આ પ્રમાણે છે.
મિત્રો જણાવી દઈએ કે આ બંને કલાકારો નો ચાહક વર્ગ સતત વધી રહ્યો હતો જેના કારણે ફિલ્મ જગત માં બંને કલાકારો નો પ્રભાવ પણ વધી રહ્યો હતો. બંને કલાકારો એ પોતાના એક્ટિંગ કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી. અહીં પણ તેમણે પોતાની આવડત અને અભિનય કૌશલ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. અને બોલીવુડ માં પણ પોતાની અલગ જગ્યા બનાવી હતી.
મિત્રો કહેવાય છે કે દરેક વ્યક્તિએ સપના જોવા જોઈએ કારણકે સપના જોનાર લોકોના સપના અવસ્ય પૂરા થાય છે. જો કે આ માટે તેણે મહેનત પણ કરવી પડે. જો કે આ બાબત અંગે આ બંને કલાકારો માહીતગાર હતા. અને ભરપૂર સપનાઓ જોતાં અને તેને પૂરા કરવા મહેનત પણ કરતા.
આ ઉપરાંત બંને કલાકારો પોતાની ફિટનેસ અને તંદુરસ્તી ને લઈને ઘણા સજાગ હતા. તેઓ પોતાનો ખાલી સમય જિમ માં પસાર કરવાનું ઇચ્છતા હતા. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક કલાકાર ની સફળતા નો આધાર તેમના પ્રેક્ષકો ઉપર હોઈ છે. આ બાબત અંગે સુશાંત સિંહ અને સિદ્ધાર્થ શુક્લા માહિતગાર હતા માટે જ તેઓ બધા પ્રત્યે સરળ અને સારો સ્વભાવ રાખતા હતા.
મિત્રો જણાવી દઈએ કે હાલમાં પણ સુશાંત સિંહ નો મૃતદેહ 14 જૂન, 2020ના રોજ તેમના જ મુંબઇના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો, ત્યાર બાદ એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી છે. જો કે તે બાબત અંગે પોલીસ દ્વારા ઘણી તાપસ કરવામી આવી છે. જો કે આજ સુધી પણ આત્મ હત્યા નું સાચું કારણ જાણી શકાયું નથી.