મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા માનવીને ઘણી અનોખી તાકાતો આપવામાં આવી છે. જેના કારણે વ્યક્તિ ધારે તે કરી શકે છે. મનુસ્ય જીવનમાં એવી એક પણ વસ્તુ નહિ હોઈ કે જેને વ્યક્તિ કરી શકે નહિ. જો કે આ માટે વ્યક્તિએ મહેનત કરવી જરૂરી છે. અને પોતાના સપનાઓ પુરા કરવા માટે તેનામાં લગન હોવી જોઈએ. કહેવાય છે કે જયારે પણ કોઈ વ્યક્તિ સાચા માંથી કોઈ પણ વસ્તુ મેળવવા પ્રયત્ન કરે તેવા સમયે આખી દુનિયા તેને મદદ કરવામાં લાગી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિએ કરેલ મહેનત કયારે પણ નિરર્થક જતી નથી.
આપણે અહી એક એવી જાબાઝ યુવતી વિશે વાત કરવાની છે કે જેમણે ઓછા સાધનો હોવા છતાં પણ પોતાના સ્વપ્ન પુરા કર્યા. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક યુવાનની ઇચ્છા સરકારી નોકરી મેળવવાની હોઈ છે. હાલમાં અમુક લોકો પૈસા માટે કે જીવનમાં સારી સફળતા અને માન મેળવવા માટે આવી સરકારી નોકરીઓ મેળવતા હોઈ છે. સરકારી નોકરીઓ માં પણ UPSC ની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે.
ઘણા લોકો વર્ષો સુધી આ પરીક્ષા ને પાસ કરવા માટે મહેનત કરે છે. જો કે આ પરીક્ષા ઘણી મહેનત પણ માંગી લે છે. તો ઘણા લોકો મહેનત કરતા હોવા છતાં પણ આ પરીક્ષા પાસ કરી શકતા નથી. તેવામાં આપણે અહીં એક એવી યુવતી વિશે વાત કરવાની છે કે જેમના પિતા કંડક્ટર છે. અને આ યુવતીએ પરિવાર ને જણાવ્યા વગર UPSC ની પરીક્ષા તો આપી સાથો સાથ તેને પહેલા જ પ્રયાસમાં પાસ પણ કરી અને IPS ઓફિસર નું પદ પણ મેળવ્યું તો ચાલો આપણે આ યુવતી વિશે વાત કરીએ.
આપણે અહીં શાલિની અગ્નિહોત્રી વિશે વાત કરવાની છે. મિત્રો સૌપ્રથમ જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના પિતા એક કંડક્ટર છે. અને તેઓ ત્રણ ભાઈ બહેન છે. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે અભ્યસમા શરૂઆતથી જ શાલિની અગ્નિહોત્રી ઘણા કુશળ હતા તેમણે પોતાનું સ્કૂલનું ભણતર ધર્મશાલા માં આવેલ ડીઈવી સ્કૂલ માં કર્યું હતું. તેમને 10 ધોરણમાં 92 ટકા જયારે 12 ધોરણમાં 77 ટકા આવ્યા હતા. જણાવી દઈએ કે આ બાદ તેઓ વધુ અભ્યાસ માટે પાલનપુર માં આવેલ હિમાચલ પ્રદેશ એગ્રિકલચર યુનિવર્સીટી કૃષિમાં ગ્રેજ્યુએશન કર્યું. આ સાથો સાથ તેમણે UPSC ની પણ તૈયારીઓ શરૂ રાખી.
જણાવી દઈએ કે એક વાર શાલિની અગ્નિહોત્રી નાના હતા ત્યારે તેઓ પોતાની માતા સાથે બસમાં જઈ રહ્યા હતા તેવામાં તેમની પાછળ બેઠેલા એક વ્યક્તિએ તેમની માતાની સીટ પર હાથ રાખ્યો જેના કારણે તે વ્યવસ્થિત રીતે બેસી શકતા નહતા. બે ત્રણ વાર કહેવા છતાં પણ આ વ્યક્તિએ પોતાનો હાથ ના લીધો અને તેમની માતા ને કહ્યું કે શું તમે કોઈ અધિકારી છો કે હું તમારી વાતમાનું જે બાદ શાલિની અગ્નિહોત્રીએ અધિકારી બનવાનું નક્કી કર્યું.
જણાવી દઈએ કે તેઓ કોલેજ ના ભણતર ની સાથો સાથ UPSC ની તૈયારીઓ માં લાગી ગયા હતા. જો કે આ બાબત અંગે તેમણે પરિવાર ને જણાવ્યું ના હતું કારણકે તેઓ માની રહ્યા હતા કે તેઓ આ પરીક્ષા પાસ નહિ કરી શકે તો પરિવાર નાખુશ થશે માટે તેમણે કોઈ પણ કોચિંગ માં જયા વગર પોતાની જાતેજ મહેનત કરી અને વર્ષ 2011 માં પરીક્ષા આપી જે બાદ વર્ષ 2012 માં તેઓ પાસ થયા અને ટ્રેનિંગ પુરી કરીને તેમને IPS અધિકારી તરીકે વર્ણી કરવામાં આવી. જણાવી દઈએ કે હાલમાં તેમનું નામ નીડર અને જાબાઝ પોલીસ અધિકરીઓમાં માનવામાં આવે છે. ઉપરાંત જો વાત તેમના ભાઈ બહેનો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો ભાઈ આર્મી માં છે જયારે તેમની બહેન ડોક્ટર છે.