મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલમા આપણે સૌ જાણીએ છિએ કે લગ્નનો સમયગાળો પણ ચાલી રહ્યો છે. તેવામા સોના ચાંદી ની માંગ વધુ રહે છે.
જો તમે પણ આ લગ્નના સમયગાળા મા સોનું અને ચાંદી ને ખરીદવા માંગો છો કે તેમાં નાણાં રોકવા માંગો છો તો હાલનો સમય યોગ્ય છે. મિત્રો આપણે આ અહેવાલ દ્વારા સોના અને ચાંદી ના આજ ના નવા ભાવો અંગે માહિતી મેળવવાની છે.
મિત્રો જો વાત આજના સોનાના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે પીળી ધાતુ ની ચમક સ્થિર રહી છે. જણાવી દઈએ કે હાલમાં ભોપાલ ના સરાફા બજાર માં 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 46,670 રૂપિયા છે. જ્યારે આ ભાવ 10 ગ્રામ અને 24 કેરેટ માટે રૂપિયા 49,000 છે. જો કે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી સોનાની કિંમત સ્થિર છે. કાલે પણ સોનાનો ભાવ આ જ હતો.
જયારે વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં ચાંદીએ પોતાની ચમક વધારી છે હાલમા ચાંદી ની કિંમત રૂપિયા 69,000 પ્રતિ કિલો છે. જયારે વાત કાલના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે ગઈકાલ સુધી ચાંદી ની કિંમત રૂપિયા 68,800 હતી.
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.