મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વમા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ છે તેવામાં વિશ્વના અન્ય દેશો પણ હવે આ યુદ્ધમા જોડાઈ તેવી આશંકા છે હાલમાં આખા વિશ્વ પર ત્રીજા વિશ્વ યુદ્ધ ની સંભાવના છે. તેવામાં એક તરફ અમેરિકા અને યુક્રેન સાથે નાટો દેશ તો બીજી તરફ રશિયા અને ચિન જેવા દેશો છે.
ત્યારે હવે રશિયા અને યુક્રેન ના આ સંઘર્ષ ની અસર આખા વિશ્વમા જોવા મળી રહી છે. જો કે તે સમયે સૌથી વધુ હાલાકી યુક્રેન માં રહેતા લોકોને અને ખાસતો ભારતથી યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ને પડી રહી છે. જણાવી દઈએ કે હાલ્મા અનેક ભારતીય અને ગુજરાતી વિધ્યાર્થીઓને યુક્રેન માં ફસાયેલા છે. તેવામાં ભારત માં રહેતા તેમના માતા પિતા પણ ઘણા ચિંતિત છે. સૌ કોઈ ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.
આ સમયે હવે યુક્રેન માં વસતા ભારતીય વિધ્યાર્થીઓ એ સોશ્યલ મીડિયા પર પોતાની વ્યથા જણાવી છે તેમણે જણાવ્યું કે વહેલી સવાર માં એકા એકા બોમ અને મિસાઈલ ના વિસ્ફોટ થી દરેક જગ્યાએ ડર નો માહોલ છવાઈ ગયો. એ ટી એમ માં પૈસા કાઢવા અને મોલમાં રાશન લેવા માટે લોકો ની લાંબી લાઈનો છે.
લોકો ઘર વખરિ નો સમન્નો સ્ટોક કરી રહ્યા છે અને મોંઘવારી માં વધારો થઈ ગયો છે જીવન જરૂરી વસ્તુઓ ના ભાવ ડબલ થઈ ગ્યા છે જ્યારે એર ટિકિટ પણ ડબલ ભાવે મળી રહી છે જયારે ભારતીય વિધ્યાર્થીઓ ભારત આવવા માટે એરપોર્ટ ગયા ત્યારે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા ટિકિટ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પરત આવી શક્તા નથી.
તેવામાં ડરેલા ભારતીય વિધ્યાર્થીઓ સુરક્ષિત ભારત પરત પાછા ફરવા માટે ભારતીય દુતાવાસ ગયા પરંતુ ત્યાં પણ યુક્રેન દ્વારા એર સ્પેસ બંધ થતાં ભારત સરકાર મદદ મોકલી શકી નહીં. જો કે હાલમાં ભારતીય વિધ્યાર્થીઓ ને પાસપોર્ટ અને સમાન સાથે તૈયાર રહેવા અને મદદ મળતા તાત્કાલિક બોલાવ્વાનિ ખાત્રી ભારતીય દુતાવાસ તરફથી મળી છે.
જો વાત કરીએ યુક્રેન માં ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓ અંગે તો હાલમાં રાજકોટના હર્ષ સોની, તૃષ્ટિ નાવલે, જાનવી ઠક્કર, દિપેન ડોબરિયા અને પાર્થ શૈલેષકુમાર પટેલ હજુ યુક્રેનમાં છે . ગોંડલની વિધાર્થિની બંસી રાજેશભાઈ રામાણી, દેવાંશી શૈલેષભાઈ દાફડા અને ધારા પરેશભાઈ વોરા જેઓ ત્રણેય સાથે જ એમબીબીએસનો અભ્યાસ કરે છે ત્યાં ફસાયા છે . આ ઉપરાંત મોરબીનો વિધાર્થી કુલદીપ દીપકભાઈ દવે પણ યુક્રેનના ટર્નપીલ શહેરમાં રહે છે.
જો વાત કરીએ યુક્રેન થી ભારત મોકલેલા સંદેશ અંગે તો જણાવી દઈએ કે યુક્રેનથી આવેલી કૃતિ શર્માએ જણાવ્યું હતું કે હું 20 તારીખે જ યુક્રેનથી રાજકોટ આવી છું. યુક્રેનના કિવથી કતર અને ત્યાર બાદ દોહા થઈ ને દિલ્હીથી ગુજરાત પહોંચી. જણાવી દઈએ કે સામાન્ય રીતે એર ટિકિટ 30 થી 35 હજાર થતી હોય છે પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે આ ભાડું હાલમાં ડબલ ભાડું રૂ 70 હજાર થઈ ગયું છે.
જણાવી દઈએ કે યુક્રેનથી રાજકોટ આવેલ સત્યજિતસિંહ જાડેજા નામના વિધાર્થીએ જણાવ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ થાય તેવી સ્થિતિ હતી. જેથી અભ્યાસ પણ ઓનલાઈન ચાલતો હતો. ઇન્ડિયન એમ્બેસી દ્વારા એક મહિના પહેલા જ અહીં ભણતા વિધાર્થીઓને પોતાના ઘેર જતું રહેવા જણાવી દીધું હતું. હું જ્યાં સુધી યુક્રેનમાં હતો ત્યારે બધું નોર્મલ હતું.
આ ઉપરાંત હર્ષ સોની નામના વિધાર્થીએ યુક્રેનથી વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો જેમાં તે કહે છે કે અમારી પાસે ફ્લાઈટની ટિકિટ છે પરંતુ બધી ફ્લાઇટ રદ છે. ભારત સરકાર ઝડપથી મદદ કરે અને અમને સુરક્ષિત ઘેર પહોંચાડે.