મિત્રો હાલમાં આત્મ હત્યા અને મર્ડરના જે પ્રમાણે કિસ્સાઓ વધી રહ્યા છે તેના કારણે લોકોની માનસિકતા પર સવાલ ઉઠે છે માનવી પોતાની માણસાઈ છોડી ને રાક્ષસ વૃતિ તરફ આગળ વધી રહ્યો છે હાલની સ્થિતિમાં વ્યક્તિની વિચાર શરણી અને સમજણ પર પણ પ્રસ્ન ઊભો થાય.
તેવામાં જે રીતે આત્મ હત્યા અને મર્ડર ના બનાવો રાજ્ય અને દેશમાં વધી રહ્યા છે આ ઘટના સમાજ માટે ખતરાની નિશાની છે. હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પતિએ પોતાની જ પત્ની ને ડાયનામાઇટથી ઉડાવી દીધી છે. ઘટના અંગે જાણ્યા બાદ ગમ્મે તેવો ભડ વ્યક્તિ પણ રડી પડે તેવો આ બનાવ છે.
જો વાત આ દુઃખદ બનાવ અંગે કરીએ તો આ ઘટના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના બીટી છાપરા ગામનો છે. અહીં પતિ એ પોતાની પત્ની નું મર્ડર કર્યું છે જો વાત આ હત્યારા પતિ અંગે કરીએ તો તેની નામ લાલા ભાઈ છે જ્યારે મહિલા નું નામ શારદાબેન છે.
જણાવી દઈએ કે આ દંપતિ ઘણું સુખી સંસાર જીવી રહ્યું હતું અને તેમને 20 વર્ષનો સંતાન પણ હતો પરંતુ થોડા સમયથી દરેક ઘરની જેમ તેમના ઘરે પણ ઘર કંકાસ ચાલી રહ્યો હતો જેમાં અગ્મય કારણોસર શારદા બેન પિયરમાં હતા. આ વાત શારદાબેન ના પતિ લાલા ભાઈ ને પસંદ આવી નહીં.
માટે એક દિવસ રાતના સમયે લાલા ભાઈ પત્ની શારદા બેન ને મળવા પિયર ગયા. તે સમયે તેમના કમર પર ડાયનામાઇટ હતો. પિયર પહોંચી ને લાલા ભાઈ એ જેવુ શારદા બેન ને ગળે લગાવ્યા કે તરત જ ભયાનક વિસ્ફોટ થયો જેમાં લાલા ભાઈ અને શારદા બેન નું મૃત્યુ થયું. વિસ્ફોટ નો અવાજ સંભાળી આસ પાસ ના લોકો એકઠા થઈ ગયા અને પોલીસ ટીમ્ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી. હાલમાં પરિવાર માં શોક નો માહોલ છે જ્યારે પુત્રએ એક સાથે માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે.