મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ ને પસંદ કરનારા ઓ ફક્ત ભારતમાં જ નથી પરંતુ આખી દુનિયામાં વ્યક્તિઓ છે કેજે બોલિવૂડ ને પસંદ કરે છે બોલિવૂડ ફિલ્મોની સાથોસાથ બોલિવૂડના કલાકારો પણ વૈશ્વિકપટલ પર મોટી લોકચાહના ધરાવે છે જેના કારણે લોકોની ઈચ્છા પોતાના પસંદગી પામેલા કલાકારો વિશે જાણવાની તેમની સફળતા પાછળ ની તેમનું સંઘર્ષ ની વાત તેમના પરિવારની માહિતી તેમની અંગત માહિતી વગેરે બાબતો વિશે જાણવા માટે ઉત્સુક રહે છે.
તેવામાં આપણે અહીં એક એવા કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના ચાહકો દરેક વર્ગના વ્યક્તિઓ છે આપણી અહીં આ કલાકાર ના લગ્ન કેવી રીતે થયા તે બાબત અંગે માહિતી મેળવવાની છે મિત્રો આપણે અહીં બોલિવૂડના શહેનશાહ અને લોકો જેમને સદીના મહાનાયક તરીકે ઓળખે છે તેવા કલાકાર કે જેમણે પોતાની મહેનત આવડત અને એક્ટિંગ સ્કિલ્ થી વર્ષોથી લોકો ના દિલ પર રાજ કરતા આવ્યા છે તેવા મહાનાયક અમિતાભ બચ્ચન વિશે વાત કરવાની છે.
આપણે અહીં જાણીશું કે કઈ રીતે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન થયા આ ઉપરાંત અમિતાભ બચ્ચન ના પિતાશ્રી હરિવંશરાય બચ્ચનજી દ્વારા એવી તો કઈ શરત રાખવામાં આવી હતી કે જેના કારણે આ લગ્ન સંપન્ન થયા તો ચાલો આ તમામ બાબતો વિસ્તારથી જાણીએ.
સૌ પ્રથમ જો વાત કરીએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના સંબંધ ની તેની શરૂઆત ક્યાંથી થઈ? તે બાબત અંગે તો જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન 1971માં એક ફિલ્મ ગુડ્ડી કરી રહ્યા હતા આ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે જયા બચ્ચન મુખ્ય પાત્ર ભજવી રહીયા હતા પહેલા જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન મિત્રો બન્યા અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
આ સમયે અમિતાભ બચ્ચનની બીજી એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું ઝંજીર ઝંજીર બોક્સ ઓફિસ બ્લોકબસ્ટર હતી જે બાદ અમિતાભ બચ્ચન અને તેમના મિત્રો આ ફિલ્મ ની સક્સેસ પાર્ટી માણવા લંડન જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે જયા બચ્ચન પણ જવાના હતા. જ્યારે આ બાબત અંગે પિતા હરિવંશ રાય બચ્ચન ને જાણ થઈ ત્યારે તેમણે બંનેને બોલાવ્યા અને કહ્યું કે જો તમારે જવું હોય તો પહેલા લગ્ન કરવા પડશે જે બાદ લંડન જવાની ઉતાવળમાં બંનેએ લગ્ન માટે હા પાડી અને બંનેએ લગ્ન કરી લીધા જે બાદ તેમણે લંડનમાં હનીમૂન કર્યું.