Categories
Gujarat

અંબાલાલ પટેલ એ કરી એવી આગાહી કે ખેડુતો ની ચિંતા મા થશે વધારો….જાણો શું છે હવામાન અપડેટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે.

આજે, એટલે કે 13મી મેના રોજ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ, 15મી થી 19મી મે દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ આવી શકે છે. વધુમાં, 25મી મે થી 4થી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ આકાર લેવાની સંભાવના છે, જે ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે છે. 28મી મે થી 4થી જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી શકે છે. કેરળમાં ચોમાસું 28મી મે થી 4થી જૂન સુધીમાં પ્રવેશી શકે છે. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી અગાઉથી જ કરવામાં આવી છે.

ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ વરસાદની શરૂઆત થવાની સંભાવના છે, જ્યારે 25મી જૂન થી 5મી જુલાઈ વચ્ચે વરસાદનું પ્રમાણ વધી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India bollywood

મુસ્લિમ પરિવારે પોતાની દીકરીની લગ્નની એવી કંકોત્રી બનાવડાવી કે હવે ચારેય કોર વખાણ થઇ રહ્યા છે !! કંકોત્રીમાં હિન્દૂ દેવી-દેવતાનો ફોટો…

હાલમાં લગ્નની સીઝન શરૂ થઇ રહી છે, ત્યારે હાલમાં જ એક લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે પોતાની દીકરીના લગ્નના કાર્ડ પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છપાવી છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે અને લોકો આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ખરેખર આ કંકોત્રી જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

વાત જાણે એમ છે કે, અમેઠીના સિંહપુર બ્લોકના અલ્લાદીન ગામના શબ્બીર ટાઇગરની દીકરી સાયમા બાનોના લગ્ન 8 નવેમ્બરના રોજ થવાના છે. તેમના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશ, રાધા-કૃષ્ણ જેવા હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છપાવવામાં આવી છે. શબ્બીરનું કહેવું છે કે તેમણે આવું કરીને સમાજમાં સકારાત્મક સંદેશો આપવા માંગે છે અને હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપવા માંગે છે.

આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ કાર્ડને હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો આને માત્ર એક સ્ટંટ માની રહ્યા છે.

આવી ઘટનાઓ આપણા સમાજ માટે એક આશાનો કિરણ છે. આપણે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને એકબીજા સાથે મળીને એક સુખી અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવું જોઈએ. હાલમાં સોશિયલ મીડિયામાં આ કંકોત્રી ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો અનેક પ્રકારની ચર્ચાઓ અને વિચારણા કરી રહયા છે

Categories
Gujarat

અમદાવાદ મા આ જગ્યા પર એવેલા છે વિઝા વાળા હનુમાનજી ! એક વાર માનતા રાખો ને વિઝા મંજુર….જાણો વિગતે

હાલમાં ના સમયમાં દરેક વ્યક્તિને વિદેશ જવાનું સપનું છે અને આ સપનાને સાકાર કરવા માટે આર્થિક રીતે સધ્ધર અને ખાસ તો વિઝા મેળવવા જરૂરી છે. વિઝા મેળવવા ખુબ જ કઠિન છે અને આ કારણે અનેક લોકો ગેરકાયદેસર રીતે પણ જતા હોય છે અને મુશ્કેલીઓમાં પણ મુકાઈ છે. આજે અમે આપને એક એવા મંદિ વિષે જણાવીશું જે વિદેશ જવા માગતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

Screenshot 2023 06 17 13 33 09 888 com.google.android.googlequicksearchbox

આ અનોખું મંદિર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં આવેલું છે.150 વર્ષ જૂનું અને પ્રાચીન હનુમાનજીનું મંદિર વિદેશના વિઝાની માનતા માટે પ્રસિદ્ધ છે. એવું કહેવામા આવે છે કે, આ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો જેથી કરીને પૂજારી પાસપોર્ટને હનુમાનજીને દેખાડે છે, તેમની આગળ સંકલ્પ મુકાવ્યા પછી ભક્તને વિઝા મળી જાય છે.

Screenshot 2023 06 17 13 32 40 199 com.google.android.googlequicksearchbox

તમને જાણીને નવાઈ લાગશે કે 20 વર્ષથી આ મંદિર વિઝા વાળા તરીકે ઓળખાય છે. જે લોકો શ્રદ્ધાપૂર્વક હનુમાનજી પાસે વિદેશ જવાનો સંકલ્પ કરે છે તેમને વિઝા ફટાફટ મળી જાય છે. ખાસ વાત એ છે કે, વિઝા મેળવવા માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે, આ હનુમાનજી પત્યેનો તેમનો વિશ્વાસ છે અને સાચું કહીએ તો અનેક ભક્તોને દાદાના કારણે વિઝા મળ્યા છે.

Screenshot 2023 06 17 13 33 58 509 com.android.chrome

આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે ભારે ભીડ જોવા મળે છે અને સૌ કોઈ ભક્તો પોતાની મનની ઈચ્છાઓ લઇને આવે છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરે છે, ખરેખર આ મંદિર દરેક શ્રદ્ધાળુઓ માટે ખુબ જ આસ્થાનું કેન્દ્ર છે. અનેક લોકો વિદેશ જવા માટે અનેક ઓફિસના ચક્કરો મારે છે પણ વિઝા એપ્રુવલ થતા નથી પરંતુ આ મંદિરમાં માત્ર દાદા પાસે સંકલ્પ કરવાથી ભક્તોને સરળતાથી વિઝા મળે છે.

Categories
Gujarat

મોરારી બાપુનો જન્મ સૌરાષ્ટ્ર ના આ ગામ મા થયો હતો ! આજે પણ મોરારી બાપુની એવી અનેક વાતો જે લોકો નથી જાણતા

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત સદીઓથી સાધુ સંતો અને ભક્તોની ભૂમિ રહી છે ભારતમાં અનેક વિદ્વાનો અને સંતો એ જન્મ લઈને આ પાવન ધરાને પુણ્યશાળી બનાવી છે આવા સંતો કોઇપણ જાતનો ભેદ-ભાવ રાખ્યા સિવાય મનુષ્ય ધર્મ માટે લોકોને એક કરવા લોકોમાં પ્રેમ ફેલાવવા પ્રભુભક્તિ કરવા અને સમાજમાં શાંતિ સ્થાપવા માટે સમય સમય પોતાના વિચારો રજૂ કરતા હોય છે. લોકો પણ આ સંતોની વાણીને સાંભળે છે અને તેનું અનુકરણ કરે છે આ સંતો નિસ્વાર્થ ભાવે પોતાના જીવની પરવા કર્યા વિના સમાજ કાર્યકર્તા હોય છે આપણે આવા જ એક પ્રખર સંત વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના ઉપદેશોથી અને તો લોકોના જીવનને બદલી નાખ્યા છે તથા સમાજમાં પ્રભુભક્તિ ફેલાવવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. આપણે અહીં પરમ પૂજ્ય સંત મોરારી બાપુ વિશે વાત કરવાની છે આપણે સૌ તેમની કથા નો રસ પાન કરીને ધન્યતા અનુભવિએ છિએ જો કે આપણે અહીં અમુક એવી પણ વાતો જણાવશુ જેના વિશે અમુક જ લોકો ને ખ્યાલ હશે તો ચાલો આપણે આપણા લેખ ની શરૂઆત કરીએ. સૌ પ્રથમ જો વાત મોરારી બાપુ ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે મોરારી બાપુનો જન્મ 1946 માં 25 સપ્ટેમ્બર ના રોજ મહુઆ પાસે આવેલા તલગાજરામા એક વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ પ્રભુદાસ હરિયા છે જ્યારે તેમના દાદા નું નામ ત્રિભુવનદાસ છે.

gallery bapu 34

જણાવી દઈએ કે બાપુ ના દાદાને રામાયણ માં ઘણી શ્રદ્ધા હતી. જેના કારણે બાળપણ માં રોજની 5 ચોપાઈ યાદ કરવા બાપુ ને તેમના દાદાએ કહ્યું હતું આજ કારણ છે કે મોરારી બાપુ ને આખું રામાયણ કંઠસ્થ છે જાણાવિ દઈએ કે તેઓ અભ્યાસ માટે તલગાજરા થી મહુઆ તે પગપાળા જતા હતા. જે બાદ મોરારી બાપુ એ ડીગ્રી મેળવ્યા પછી જૂનાગઢની શાહપુર કોલેજ માં શિક્ષક તરીકે શરૂઆત કરી જે બાદ તેઓ પારેખ સ્કૂલ માં બધાં વિષય ભણાવતા થયા એમને સારા સારા વક્તા ના ભાષણ સાંભળી અને ઘણાં એવા અધ્યાપક ગુરુ ને ભેટ કરી હતી. જણાવી દઈએ કે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ મોરારી બાપુએ દાદાજીને જ ગુરુ માની અને પેહલી વાર તલગાજરામાં ચૈત્રમાસ ના રોજ વર્ષ 1960માં રામાયણ નો પાઠ કર્યો હતો બાળપણથી જ બાપુ રમાયણ માં લીન રહેતા હતા. જો વાત મોરારી બાપુ ના કથા જીવન ના સફર વિશે વાત કરીએ તો જણાવી દઈએ કે મહુઆ થી નીકળ્યાં બાદ વર્ષ 1966માં બાપુએ 9 દિવસ ની રામકથા ની શરૂઆત કરી.

morari bapu hanuman image

તેઓ નગબાઈ નવા પવિત્ર સ્થળ ગાંઠિયામાં રામફલકદાસજી જેવા સંત સાથે મળીને મોરારી બાપુ ફક્ત સવાર કથા પાઠ કરતા જ્યારેબપોરે ભોજન ની વ્યવસ્થા માં લાગી જતા જો વાત મોરારી બાપુ ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે મોરારી બાપુ ના લગ્ન નર્મદા દેવી સાથે થયા છે. જણાવી દઈએ કે બાપુને સંતાન માં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મોરારી બાપુ અંગે લોકોને ધારણા છે કે આટલા મોટા કથાકાર હોવાથી તેઓ કથા માટે ઘણા પૈસા લેતા હશે તો જણાવી દઈએ કે શરૂઆત માં બાપુ પરિવાર ના પોષણ માટે કથા માથી મળતું દાન સ્વીકારતાં હતા. જોકે વર્ષ 1977 થી બાપુએ કોઈ પણ પ્રકારનું દાન ના લેવાનો પ્રણ લીધો હતો. જો વાત બાપુ ના ખભા પર જોવા મળતી કાળી શાલ વિશે કરીએ તો જણાવી દઈએ કે આ શાલ ને લઈને ઘણી વાતો થાય છે અમુક લોકોનું માનવું છે કે કાળી કમળી સ્વયં હનુમાનજી એ પ્રકટ થઈને પ્રદાન કરી છે તો અમુક તો એવું પણ કહે છે કે આ કાળી કમળી તેમને જૂનાગઢ ના કોઈ સંત એ આપી છે.

orig morari bapu1596361615 1637271652

જો કે પોતાની શાલ ને લઈને મોરારી બાપુ કહે છે કે તેમને કાળો રંગ પસંદ છે માટે આ શાલ રાખે છે. જણાવી દઈએ કે આખા વિશ્વ માં લોકો મોરારી બાપુ ને ઘણા માને છે અને તેમની વાતો નું ખાસ આદર કરે છે જો કે દેશના સૌથી અમીર પરિવાર અંબાણી પરિવાર માં પણ બાપુ નું ખાસ માન છે. જણાવી દઈએ કે જ્યાંરે જામનગરની ખાવડી નામક સ્થાન પર રિલાયન્સ ની ફેકટરી નું શુભારંભ કર્યું ત્યારે સ્વં ધીરુભાઈ અંબાણી દ્વારા મોરારી બાપુ ને ખાસ આમંત્રણ આપવામા આવ્યું અને તેમની કથા અને પાઠનુ પણ આયોજન કરાયું હતું. આ સમયે આટલી દૂર કામે આવતા લોકોના ભોજન ને લઈને જ્યાંરે બાપુએ ચિંતા વ્યક્ત કરી ત્યારથી અહીં રિલાયન્સ કંપની દ્વારા એક ટાઈમનું ભોજન આપવાની શરૂઆત થઈ છે. આ પરંપરા આજે પણ કાયમ છે.પોતાની વાત ને સરળતા થી સમજાવ્વા માટે બાપુ સેર અને સાયરી નો પણ ઉપયોગ કરે છે જણાવી દઈએ કે વર્ષ 1976 માં બાપુની પહેલિ વિદેશ કથા યોજાઈ હતી કે જે નૈરોબિ માં હતી. અત્યાર સુધીમાં બાપુએ 823 થી વધારે કથાનું પઠન કરી ચુક્યા છે.

Categories
India

સમય નો ખેલ જુઓ ! એક સમયે લોકો આ વ્યક્તિ નો મજાક ઉડાવતા હતા પરંતુ આજે દુબઈ મા 22 ફ્લેટ નો માલીક અને કરોડો…

આ જગતમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની મરજીથી જીવી શકે છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેમણે શૂન્યમાંથી સજર્ન કર્યું છે. આપણે ઘણા વ્યક્તિના જીવનની સફળતા વિશે જાણ્યું છે પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશું જેમણે એક નજીવા કારણે બુર્જ ખલીફામાં એકી સાથે 22 ફ્લેટ લઈ લીધા અને આવું શા માટે કર્યું તે માટે આપણે એક નજર તેમના જીવન પર કરીશું. આ કહાની છે એક ખેડૂત પરિવાર જન્મેલ વ્યક્તિની કે જેણે પોતાના સપના સાકાર કરી બતાવ્યું.

Screenshot 2022 12 05 18 47 53 307 com.google.android.googlequicksearchbox

જ્યોર્જ વી નેરિયાપારામ્બિલનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો પરંતુ તેમણે અથાગ પરિશ્રમથી જીવનમાં સફળતા હાંસિલ કરી છે. માત્ર 11 વર્ષની ઉમરે પિતાને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ જે ગામમાં રહેતા હતા ત્યાં મોટાભાગના ખેડૂતો કપાસનો વ્યવસાય કરતા હતા. જ્યારે કપાસના વેપારીઓ નકામા કપાસના બીજને ફેંકી દેતા હતા, ત્યારે જ્યોર્જ તે કપાસના બીજને સાફ કરીને ગમ બનાવતા હતા. સમય જતાં તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.

Screenshot 2022 12 05 18 47 34 333 com.google.android.googlequicksearchbox

કપાસના વ્યવસાય પછી, જ્યોર્જે થોડો સમય મિકેનિક તરીકે પણ કામ કર્યું. એ જ રીતે, તેમણે ઘણા નાના વ્યવસાયો કર્યા અને વર્ષ 1976 માં શારજાહ ગયા. જ્યારે તેઓ શારજાહ ગયા, ત્યારે તેમને લાગ્યું કે ત્યાંના ગરમ વાતાવરણમાં એર કન્ડીશનીંગનો વ્યવસાય સારો કરી શકે છે. બસ, પછી શું હતું, જ્યોર્જે સખત મહેનત કર્યા પછી પોતાની મહેનતના આધારે JEO ગ્રુપ ઓફ કંપનીઝનું સામ્રાજ્ય ઉભું કર્યું

Screenshot 2022 12 05 18 47 53 307 com.google.android.googlequicksearchbox

બુર્જ ખલીફા બિલ્ડિંગમાં 22 ફ્લેટ ખરીદીને પોતાની ઓળખ બનાવી. જોકે સફળતા સુધી પહોંચવાની તેમની સફર ખૂબ સંઘર્ષપૂર્ણ હતી, ગરીબ હોવાને કારણે, તેમના સંબંધીઓ અને સમાજના લોકો દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. તમે વિચારતા હશો કે જ્યોર્જે આ બુર્જ ખલીફામાં આટલા બધા ફ્લેટ કેમ ખરીદ્યા હશે? તો ચાલો તમને જણાવીએ કે આટલા બધા ફ્લેટ ખરીદવા પાછળ એક રસપ્રદ ઘટના છે.
Screenshot 2022 12 05 18 47 45 166 com.google.android.googlequicksearchbox

વાસ્તવમાં એવું બન્યું કે જ્યોર્જ અને તેના કેટલાક સંબંધીઓ આ 828 મીટર ઉંચી બુર્જ ખલીફા બિલ્ડિંગ જોવા ગયા હતા. પછી તેના સંબંધીઓએ તેની મજાક ઉડાવી અને કહેવા લાગ્યા, “જુઓ આ બુર્જ ખલીફા છે. તમે આ બિલ્ડીંગમાં પણ પ્રવેશી શકતા નથી. જ્યોર્જને આ સાંભળીને ખૂબ જ અપમાન લાગ્યું, ભલે તે તે સમયે ગરીબ હતો, પરંતુ તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તે આ મજાકને હકીકતમાં બદલશે. આ ઘટનાના 6 વર્ષ પછી જ જ્યોર્જે બુર્જ ખલીફામાં એક-બે નહીં, પરંતુ 22 ફ્લેટ ખરીદ્યા.એક સમય એવો હતો કે તે અંદર પ્રવેશી પણ નહોતા શકતા.

Screenshot 2022 12 05 18 48 17 057 com.google.android.googlequicksearchbox

ટાઈમ્સના અહેવાલ મુજબ, જ્યોર્જ હવે ત્રિવેન્દ્રમને કાસરગોડથી જોડવા માટે એક નહેર પણ બનાવવા માંગે છે. આ કેનાલ કેટલાક ખાસ કારણોસર તૈયાર કરવામાં આવશે. તેમાંથી હાઈડ્રો-ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના પાણીની સાથે ખેતરોમાં સિંચાઈ અને મત્સ્યોદ્યોગ વગેરેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

Categories
Gujarat

ગુજરાતના અવનવા ગામડા ના નામ જાણી ચોંકી જશો ! અમુક ગામ ના નામ લેતા પણ લોકો શરમાઈ જાઈ.. જાણો વિગતે

કહેવાય છે ને કે, નામમાં શુ રાખ્યું છે? ખરેખર જે છે, એ બધું નામના જ રાખેલું છે, આજે અમે આપને ગુજરાતના અવનવા ગામડા ના નામ વિશે જણાવીશું ! અમુક ગામ ના નામ લેતા પણ લોકો શરમાઈ જાય છે. સૌથી પહેલા વાત કરીએ તો માંડવી તાલુકામાં આવેલ ગામનું નામ ‘ચૂડેલ’ રાખવામાં આવેલું છે.

આ ગામનું નામ બદલવા માટે ત્યાંના સાંસદ પ્રભુ વસાવાએ જિલ્લા પંચાયતમાં દરખાસ્ત પણ મોકલી હતી. ચૂડેલ ગ્રામ પંચાયતે આ ગામનું નામ ચંદનપુર કરવાની દરખાસ્ત કરી હતી. જ્યારે ગુરૂવાર જિલ્લા કક્ષાની જિલ્લા પંચાયત મળી હતી, જે સભામાં ચૂડેલ ગામનું નામ ચંદનપુર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આજે અમે આપને ગુજરાતમાં આવેલ ગામોના નામ વિશે જણાવશુ.જે સાંભળી વિચાર આવે કે આવા પણ નામ વળી હોતા હશે. દાખલા તરીકેસિંગાપુર, શ્રીનગર, આલુ, ભીંડી, રાવલ, ગાંઠિયા, કૂકડી, ખાખરા, હાથી, માસા, મહાભારત, રામાયણ. આવા અજીબ નામો વાળા ગામ ગુજરાત રાજ્યમાં આવેલા છે.

સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં એક જ જેવા નામના 55 નવાગામ, 39 રામપુરા, 35 કોટડા ગામ આવેલા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ નજીક અજમેર, કેશોદ પાસે આવેલું ચંદીગઢ, ઝઘડિયા પાસે ઈન્દોર, પોરબંદર પાસે, શ્રીનગર, જામનગરમાં બેરાજા, ગોંડલ પાસે બાંદરા જેવા ગામોના નામ મોટા અને પ્રસિદ્ધ શહેરોના નામ જેવા છે. ગુજરાતમાં શાકભાજી અને કઠોળના નામ પરથી પણ ગામોના નામ પાડવામાં આવેલા છે.

ખેડબ્રહ્મા પાસે તુવેર, વઢવાણા પાસે રઈ, દરસ્ક્રોઈ પાસે ભાત, નખત્રાણા પાસે તલ, ધારી પાસે જીરા, નાંદોદ પાસે ગુવાર, ખંભાળિયા પાસે ભીંડી.જમવાની વાનગીઓ પરથી નામ રાખવામાં આવ્યા છે, જેમ કે, દ્વારકા નજીક બળદિયા અને લાડવા, ભૂજ પાસે ઢોંસા, ધ્રોલ પાસે ખાખરા, છોટાઉદેપુર પાસે ગાંઠિયા, માણાવદર પાસે શેરડી અને જેતપુર પાસે કાંદા ગામ આવેલું છે.હવે વિચારો કે, આવા ગામડાનું નામ લેવું પણ ક્યારેક શરમ જનક લાગે. આતો કંઈ જ નથી ભારતના અન્ય રાજ્યમાં આવેલા ગામોના નામ પણ શરમજનક છે.

Categories
India

રસ્તા પર રાવણે કર્યો ધમાકેદાર ડાન્સ! શું હશે રાવણ ની ખુશી નું કારણ? જુઓ વિડીયો.

હાલ આખા ભારતમાં નવરાત્રી નો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો હતો. નવરાત્રીના નવે નવ દિવસ લોકોએ માતાજીની પૂજા અર્ચના કરી અને પૂજા અર્ચના કર્યા બાદ મન મૂકીને ગરબે જુમ્યા હતા. નવરાત્રિના નવ દિવસ પૂરા થયા બાદ દસમા દિવસે દશેરા નો પ્રોગ્રામ આખા ભારતમાં ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

અને ઠેર ઠેર શહેરોમાં રાવણ ના મોટા મોટા પૂતળાઓ બનાવવામાં આવ્યા હતા અને રાવણના પૂતળાઓનું દહન કરીને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો ની ખુશી લોકોમાં જોવા મળતી હોય છે. એવામાં કાલે દશેરાનો પ્રોગ્રામ ગયો અને ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર વરસાદી વાતાવરણ ચાલુ રહ્યું હતું અને જેમાં રાવણ દહનના કાર્યક્રમોમાં વિઘ્ન ઊભો થયો હતો.

અને ઠેર ઠેરથી રામલીલાના અનેક પ્રોગ્રામો સામે આવ્યા હતા. એક એવો જ વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે રામલીલામાં રાવણનું પાત્ર ભજવનાર એક વ્યક્તિ રસ્તા ઉપર ઉભો રહ્યો છે. રસ્તા ઉપર ઉભો રહ્યો છે અને તે વ્યક્તિએ રાવણના કપડા પહેરેલા છે. રાવણના કપડા પહેરીને તે વ્યક્તિ રસ્તા ઉપર ડાન્સ કરી રહ્યો છે અને લોકો આ રાવણ ને ડાન્સ કરતો જોઈને રસ્તા ઉપર ઉભા રહ્યા હતા અને ખૂબ જ મનોરંજન લઈ રહ્યા હતા.

આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. જેમાં કેપશન માં લખ્યું છે કે વધુ વરસાદને કારણે રાવણનું મરવાનું થયું કેન્સલ એની ખુશીમાં કરી રહ્યો છે રાવણ ડાન્સ આમ લોકો આ રાવણ ને જોઈને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. ત્યાં વીડિયોમાં પણ જોઈ શકાય છે કે રસ્તા ઉપર થી આજુબાજુ માંથી ચાલતા લોકો પણ રાવણને જોઈને મનોરંજન લઈ રહ્યા હતા. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ હસી રહ્યા છે. આવા અનેક વીડિયો આપણને જોવા મળતા હોય છે.

Categories
Entertainment

અરે અરે વરરાજા આ શું? લગ્ન ની વિધિ દરમિયાન વરરાજા ને આવી હરકત કરતા જરા પણ શરમ નો આવી…જુઓ વિડીયો

અત્યારે લગ્ન ની સીઝન પુરજોશ માં ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખુબ જ બીઝી થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર અવનવા લગ્ન ના વિડીયો વાયરલ થાય છે. એક લગ્ન નો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લગ્ન દરમિયાન વરરાજા ની હરકત જોઈ ને તમે પણ પેટ પકડી હસવા લાગશો.

લગ્ન હોય એટલે માત્ર એક દિવસ નો પ્રોગ્રામ ન હોય. લગ્ન હોય એટલે લગભગ બે થી ત્રણ દિવસ નો અલગ અલગ પ્રોગ્રામ હોય છે. રોજે રોજ અલગ અલગ પ્રોગ્રામો થતા હોય. એક દિવસ ડિસ્કો હોય એક દીવસ હલ્દી પ્રોગ્રામ હોય. આ પ્રોગ્રામ માં લોકો એટલા બધા થાકી જતા હોય છે કે ક્યારેક લગ્ન થતા હોય તે દરમિયાન સુઈ જાય છે.

વાયરલ થયેલા વિડીયો માં તમે જોઈ શકો છો કે વરરાજા અને કન્યા મંડપ માં બેસેલા છે. બન્ને ખુબ જ સુંદર લાગી રહેલા છે. અને લગ્ન ની કંઈક વિધિ પણ ચાલી રહેલી છે. આ દરમિયાન પંડીત મંત્રો બોલે છે અને આ દરમિયાન વરરાજા ને બગાસા આવે છે. વરરાજા ચાલુ વિધિ દરમિયાન બગાશી ખાતા નજરે ચડે છે. આ જોઈ ને બાજુમાં બેસેલી દુલ્હન પણ હળવું હળવું સ્મિત કરે છે.

વરરાજા નો આ વિડીયો જોઈ ને બધા મહેમાનો પણ હસવા લાગે છે. સોશિયલ મીડિયા માં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યીયો છે. ઘણા લોકો કહે છે કે વરરાજા ને પરાણે મંડપ માં બેસાડી દીધા લાગે છે. અને વરરાજા ની મજાક ઉડાવે છે. આ વિડીયો ઇન્સ્ટગ્રામ ના couple_official_page પર જોવા મળે છે. જુઓ વિડીયો.

Categories
bollywood

બાલિકા વધુની આ નાની આનંદી હવે દેખાય છે ખુબજ સુંદર, લેટેસ્ટ ફોટાઓ જોઈને ચાહકોએ કહ્યું કે તે….

તમે બધાને અભિનેત્રી અવિકા ગૌર યાદ હશે, જેણે નાના પડદાની સૌથી લોકપ્રિય સિરિયલ બાલિકા વધૂમાં નાની આનંદીનો રોલ કર્યો હતો. અવિકા ગૌરે આ સિરિયલમાં તેના શ્રેષ્ઠ અભિનય અને ક્યૂટ સ્ટાઈલથી દરેકનું દિલ જીતી લીધું હતું અને તેના આનંદીના પાત્રને કારણે અવિકા ગૌરે અદ્ભુત લોકપ્રિયતા મેળવી હતી અને તે ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી.

અવિકા ગૌરે અનેક સિરિયલોમાં કામ કર્યું હોવા છતાં આનંદીના પાત્રથી તેને બાળ કલાકાર તરીકે સૌથી વધુ લોકપ્રિયતા મળી છે અને આજે પણ લોકો અવિકા ગૌરને આનંદીના નામથી જ ઓળખે છે.બાલિકા વધુ પછી અવિકા ગૌર.તે આ ભૂમિકામાં જોવા મળી હતી. ટીવીની લોકપ્રિય સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં રોલી અને તેણીને આ પાત્ર માટે પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

બાલિકા વધૂમાં નિર્દોષ દેખાતી અવિકા ગૌર હવે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. અવિકા ગૌર ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાંની એક છે અને તેની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. અવિકા ગૌર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તે દરરોજ તેની સુંદર અને સ્ટાઇલિશ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

અવિકા ગોરે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપ્યું છે અને હવે તે પહેલા કરતા વધુ સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાય છે. તમને જણાવી દઈએ કે અવિકા ગૌર તેની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે અને આ દરમિયાન અવિકા ગૌરે તેની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને આ તસવીરને કારણે અવિકા ગૌર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.

ખરેખર, અવિકા ગૌરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની એક સુંદર તસવીર શેર કરી છે અને આ તસવીરમાં અવિકા ગૌરનો લુક ઘણો બદલાઈ ગયો છે. અવિકા ગૌરની આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ અવિકાની તુલના હોલીવુડ અભિનેત્રી મેગન ફોક્સ સાથે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અવિકા ગૌરે તેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે વજન ઘટાડ્યા બાદ તેને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે અને તેને પોતાના મનપસંદ કપડા પહેરવાનો આત્મવિશ્વાસ પણ મળ્યો છે.

અવિકાએ કહ્યું હતું કે મારા કરિયરના શરૂઆતના દિવસોમાં દાયકાઓએ મને એક સાદી છોકરીના રોલમાં જોયો હતો, પરંતુ હવે મારા વિશે લોકોના વિચારો બદલાઈ ગયા છે અને લોકો માને છે કે હું દરેક પ્રકારના રોલ કરી શકું છું. તમને જણાવી દઈએ કે અવિકા ગૌર સિરિયલની દુનિયામાં પોતાની ઓળખ બનાવી લીધા બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા છે અને હાલમાં તે હિન્દી ટેલિવિઝન સિવાય તેલુગુ ફિલ્મોમાં કામ કરી રહી છે.

અવિકા ગૌરે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2013માં ઉય્યાલા જામપાલા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને આ ઉપરાંત વર્ષ 2019માં અવિકા ગૌર ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન 9માં પણ જોવા મળી હતી.

Categories
Gujarat

ગુજરાતના આ ગામ મા આજે પણ છે મુકેશ અંબાણીનુ ઘર! જુનુ ઘર હવેલી જેવુ છે…..જુવો ફોટોસ

ભારત અને એશિયા સહિત આખી દુનિયામાં જ્યારે પણ કોઈ અમીર વ્યક્તિની વાત થાય છે ત્યારે સૌથી પહેલું નામ જીભ પર આવે છે તે મુકેશ અંબાણીનું છે. મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી સફળ ઉદ્યોગસાહસિકોમાં ટોચ પર જાણીતા છે. મુકેશ અંબાણી હવે પેટ્રોલિયમ, ટેલિકોમ્યુનિકેશનની સાથે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાથ અજમાવી રહ્યા છે.

તેણે લંડનમાં સૌથી મોંઘું આલીશાન ઘર ખરીદવા ઉપરાંત અમેરિકામાં એક મોંઘી હોટેલ પણ ખરીદી છે. આ સાથે એન્ટિલિયા મુંબઈના સૌથી મોંઘા અને આલીશાન ઘરોમાંના એક તરીકે જાણીતું છે. પરંતુ, ગુજરાતના સો વર્ષ જૂના મુકેશ અંબાણીના પૈતૃક ઘર વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ ગુજરાતમાં મુકેશ અંબાણીના પૈતૃક ઘર ક્યાં છે અને કઈ હાલતમાં છે…

મુકેશ અંબાણીના પૈતૃક ઘર ગુજરાતના ચોરવાડ ગામમાં છે: એશિયાના સૌથી ધનિક વ્યક્તિત્વ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પૈતૃક ઘર ગુજરાતના ચોરવાડ ગામમાં છે, જે લગભગ સો વર્ષ જૂનું છે. મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીનું બાળપણ ચોરવાડ ગામના આ ઘરમાં વીત્યું હતું. ધીરુભાઈ અંબાણી આ ચોરવાડ ગામનું ઘર માત્ર 500 રૂપિયા લઈને નીકળ્યા હતા અને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી સફળ બિઝનેસમેન તરીકે ઘરે પાછા ફર્યા હતા.

ધીરુભાઈ અંબાણી મેમોરિયલ અંબાણી પરિવારનું જૂનું ઘર બની ગયું: ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ સંપત્તિ અને બિઝનેસની વહેંચણીને લઈને મુકેશ અને અનિલ અંબાણીની વચ્ચેનું અંતર ઘણું વધી ગયું હતું. વર્ષ 2011માં પ્રોપર્ટી અને બિઝનેસના વિભાજન બાદ આ બંને ભાઈઓ વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું હતું. 28 સપ્ટેમ્બર 2011 ના રોજ, ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલા બેન, તેમના પતિની યાદમાં, ગુજરાતના ચોરવાડા ગામમાં સ્થિત સો વર્ષ જૂના મકાનને એક સ્મારક બનાવ્યું અને બંને ભાઈઓ સામાન્ય દિનચર્યામાં પાછા ફર્યા પછી તેનું નામ ધીરુભાઈ અંબાણી મેમોરિયલ રાખ્યું.

પ્રવાસીઓ માટે ઘર ખોલવામાં આવ્યું: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના સો વર્ષ જૂના ઘરનો એક ભાગ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. આ ઘરની મુલાકાત લઈને કોઈપણ વ્યક્તિ અંબાણી પરિવારના ઈતિહાસ વિશે માહિતી મેળવી શકે છે. આ સાથે મુકેશ અંબાણીના આ સો વર્ષ જૂનું ઘર ભારત અને ખાસ કરીને ગુજરાતના આર્કિટેક્ચર વિશે પણ માહિતી આપે છે. આના પરથી લોકોને ગુજરાતમાં જૂના જમાનામાં ઘરો કેવી રીતે બંધાતા હતા તેની માહિતી મળે છે.

ભવ્ય ઘરનો આકાર કેવો છે?: મુકેશ અંબાણીના આ ભવ્ય પૈતૃક ઘરમાં વરંડા, રૂમ, ગેસ્ટ રૂમ અને કિચન જોવા મળશે. આ સાથે, તમે આ ઘરમાં કેટલાક જૂના જમાનાનું ફર્નિચર પણ જોઈ શકો છો. અહીં એક સોવેનિયર શોપ પણ છે, જ્યાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક યાદગાર વસ્તુઓ પણ વેચાય છે. અંબાણી પરિવારે આ ઘરનો એક ભાગ પોતાની પાસે રાખ્યો છે. આજે પણ કોકિલાબેન અંબાણી આ ભાગમાં રહેવા આવે છે. આ ઘરમાં એક મોટો બગીચો છે. બગીચાનો એક ભાગ પ્રવાસીઓ માટે છે અને બીજો ભાગ ખાનગી છે. અહીં ઘણી જગ્યાએ મુઘલ શૈલીના ફુવારા લગાવવામાં આવ્યા છે અને મંડાના પથ્થરમાંથી રસ્તો બનાવવામાં આવ્યો છે.

કોકિલાબેને આઠ વર્ષ જૂના મકાનમાં વિતાવ્યા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ ધીરુભાઈ અંબાણી કોકિલાબેન અંબાણીને જામનગરથી આ ચોરવાડ ગામના પૈતૃક ઘરે લઈ આવ્યા હતા. આ પછી ધીરુભાઈ અંબાણી બિઝનેસ કરવા યમનના એડન શહેરમાં ગયા હતા. ધીરુભાઈ યમન ચાલ્યા ગયા પછી કોકિલાબેને આ જૂના પૈતૃક મકાનમાં લગભગ આઠ વર્ષ વિતાવ્યા.

કોકિલાબેને તેમના જૂના ઈન્ટરવ્યુમાં મીડિયાને જણાવ્યું હતું કે, ‘ધીરુભાઈ અંબાણીએ તેમની પહેલી કાર બ્લેકમાં ખરીદી હતી. જ્યારે હું એડન પહોંચ્યો ત્યારે તે મને એ જ કારમાં લેવા આવ્યો હતો. તેમની મજાક કરવાની શૈલી ઘણી સારી હતી. મારા સંઘર્ષ દરમિયાન પણ મેં તેમને ક્યારેય નિરાશ થતા જોયા નથી. કદાચ આ જ કારણ છે કે ગામમાં બળદગાડી ચલાવ્યા પછી તેણે યમનમાં કાર ખરીદી અને પછી મુંબઈમાં પ્લેન અને હેલિકોપ્ટર ખરીદ્યું.