મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ પોતાના કામના સીલસિલામા એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતા હોઈ છે. આ માટે લોકો દ્વારા પરિવહનના વિવિધ સાધનોનો પણ ઉપ્યોગ કરતા હોઈ છે. જો કે હાલમાં એક પછી એક પરિવહન ના સાધનો સાથે જે દુર્ધટનાઓ સર્જાઈ રહી છે. તેના કારણે હવે આવા પરિવહન સાધનો નો ઉપયોગ કરતા પણ ડર લાગે છે.
જણાવી દઈએ કે સૂરત બાદ હવે રાજકોટ ની એક સીટી બસમાં પણ આગ લાગી છે. જણાવી દઈએ કે પ્રાથમિક તપાસ બાદ આ આગ લાગવાનું પ્રાથમિક કારણ પણ શોર્ટશર્કિટ ને માનવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આગ લાગવાની આ ઘટના સીટી બસમાં સર્જાઈ હતી. જો વાત આ સિટી બસ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ બસ એમ 13 રૂટ નંબર 7 જે બજરંગવાડીથી ભક્તિનગર સર્કલ રૂટ પર ચાલે છે.
જો વાત ઘટના અંગે કરીએ તો જણાવી દઈએ કે તપાસ માં બસ ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ બસ શરૂ કરવા ગયા તેવામાં શોર્ટશર્કિટ થતાં આ આગ લાગી અને જોત જોતામા વિકરાળ બની જો કે ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવયો.
જણાવી દઈએ કે જ્યારે બસમાં આગ લાગી ત્યારે બસ માં બે મુસાફરો પણ હતા જો કે સમય રહેતા તેઓ બહાર નીકળી ગયા જેના કારણે તેઓ બચી ગયા હતા. જો કે આગ ઘણી જ વિકરાળ હતી જેના કારણે બાજુમાં પડેલ એક્ટિવા મોટર સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.