Categories
Entertainment Gujarat

અલ્પેશ ઠાકોર ના છે લવ મેરેજ, પપ્પા ને ખબર પડતા ત્રણ લાફા માર્યા હતા

ઠાકોર સમાજ ના યુવા નેતા અને લીડર અલ્પેશ ઠાકોર ના અંગત જીવન ની એક વાત કરીએ તો તેમના મેરેજ લવ મેરેજ છે અને થોડા ટાઈમ પહેલા તેવો એ તેના અંગત જીવન વિશે ખુલી ને વાત કરી હતી.

કેહવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ મા માણસ ના કરવાનુ પણ કરે છે અલ્પેશ ઠાકોર ની પણ એક લવ સ્ટોરી છે અને તેવો કોલેજ ના સમય મા તેમની પત્ની કીરણ ત્રીવેદી સાથે જ અમદાવાદ એચ ચે કોલેજ મા સાથે જ અભ્યાસ કરતા હતા અને આગળ જતાં બન્ને એ પ્રેમ લગ્ન કર્યા હતા.

અલ્પેશ ઠાકોર જણાવે છે કે એકબીજાની આંખો મળી જતા પ્રેમ થયો હતો. 3 મહીના સુધી અમે એક બીજા સામે જોયા કરતા હતા. અલ્પેશે પોતાની પ્રેમિકા કિરણ ત્રિવેદીને એક વર્ષ પછી પ્રપોઝ કર્યું હતું અને તેના પછી અમે કલાકો સુધી જોડે બેસી રહેતા હતા જો કે અત્યારે પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. અલ્પેશે વધુમાં જણાવ્યું કે, જો કે પ્રેમ લગ્ન માટે જો પરિવારના લોકો માન્યા ન હોત તો અમે લોકો ભાગીને લગ્ન કરવાના હતા પરંતુ ‘મારા પ્પ્પાને ખબર પડી તો તેમને મને ત્રણ લાફા માર્યા હતા’ જો કે અત્યારે મારી પત્ની ઘરની તમામ જવાબદારી સારી રીતે સંભાળે છે.

Categories
Entertainment National

આ જગ્યાએ શનિ દેવ પ્રગટ થયા હતાં, અહીંયા દર્શન કરશો તમારી મનોકામનાઓપૂર્ણ થશે

શનિવાર ન્યાયના ભગવાન ભગવાન શનિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન શનિને પ્રાર્થના કરે છે અને તેમના જીવનના દુખોને દૂર કરવા પ્રાર્થના કરે છે. ઘણા લોકો એવા છે કે જેઓ શનિ મંદિરોમાં જાય છે અને શનિદેવને તેલ ચડાવે છે અને તેમની કાયદેસર પૂજા કરે છે. માર્ગ દ્વારા, ભગવાન શિવના શિષ્ય અને સૂર્ય ભગવાનના પુત્ર શનિદેવનું મંદિર દેશમાં ઘણા છે. શનિદેવ વિશે લોકોના મનમાં ભયનું વાતાવરણ જોવા મળે છે એવું ઘણી વાર જોવા મળ્યું છે, પરંતુ શનિદેવ કર્મોને મનુષ્યને ફળ આપે છે, તેથી તેઓને કર્મ ફળ આપનારા પણ કહેવામાં આવે છે.

આપણા દેશમાં શનિદેવના ઘણા પ્રખ્યાત અને આશ્ચર્યજનક મંદિરો છે. લોકોને આ મંદિરોમાં અવિરત વિશ્વાસ છે. ભક્તિ અને આસ્થાને કારણે લોકો આ મંદિરોમાં ભગવાન શનિની પૂજા-અર્ચના કરે છે. આજે અમે તમને શનિદેવના આવા અદ્દભુત અને પ્રખ્યાત મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ પોતે આ સ્થળે હાજર થયા હતા. એટલું જ નહીં, શનિદેવના આ મંદિરો વિશે પણ એવું કહેવામાં આવે છે કે શનિનો ક્રોધ ફક્ત તેમને જોઇને જ કાબુ મેળવે છે.

આવા જ એક મંદિર છે શનિશ્ચરા મંદિર જે મધ્ય પ્રદેશના ઐતિહાસિક શહેર ગ્વાલિયરમાં સ્થિત છે. ગ્વાલિયરથી શનિશ્ચરા મંદિરની ઝલક જોવા માટે કોઈ બસ અને ટેક્સીથી જઈ શકે છે. ગ્વાલિયરની સીધી હવાઈ સેવા દેશના ઘણા શહેરોમાંથી પણ ઉપલબ્ધ છે.

એવું માનવામાં આવે છે કે અહીં સ્થપાયેલા શનિ પિંડ હનુમાન લંકાથી ફેંકી દેવામાં આવ્યા હતા, જે અહીં આવ્યા હતા અને સ્થાપના કરી હતી. અહીંની અદ્દભુત પરંપરાને કારણે શનિદેવને તેલ ચડાવ્યા પછી, તેમને ભેટી પાડવાનો રિવાજ છે. અહીં આવતા ભક્તો શનિદેવને ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી ગળે લગાવે છે અને તેમના બધા દુsખ અને પીડા તેમની સાથે શેર કરે છે.

દર્શન કર્યા પછી, ભક્તો તેમના ઘરે જતા પહેલા તેમના પહેરેલા કપડાં, ચંપલ, પગરખાં વગેરે મંદિરમાં છોડી દે છે. ભક્તોનું માનવું છે કે આ કરવાથી તેઓ પાપ અને ગરીબીથી મુક્તિ મેળવે છે.

લોકોનું માનવું છે કે આ મંદિરમાં શનિ શક્તિ વસે છે. આ અદ્ભુત પરંપરાને કારણે, શનિએ તેમના ભક્તો પર આવતી બધી મુશ્કેલીઓ સ્વીકારી લીધી છે. આ શાનદાર શનિદેહની ઉપાસના કરવાથી તમને જલ્દી ઇચ્છિત પરિણામો મળે છે.

અહીં શનિદેવ ટેકરાની બહાર આવ્યા … ત્યાં એક બીજું પ્રાચીન ચમત્કારિક શનિ મંદિર પણ છે જે મધ્યપ્રદેશના ઇન્દોરમાં સ્થિત છે. આ મંદિર જુની ઇન્દોરમાં બનાવવામાં આવ્યું છે, તેના વિશે એક દંતકથા પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની જગ્યામાં આશરે 300 વર્ષ પહેલાં 20 ફુટ ઉચાઈનો ઢગલો હતો અને મંદિરના પૂજારીના પૂર્વજો અહીં રોકાતા હતા.

એક રાત્રે, શનિદેવ પંડિતના સ્વપ્નમાં દેખાયા અને તેમને કહ્યું કે તેમની એક મૂર્તિ ટેકરાની અંદર દફનાવવામાં આવી છે અને શનિદેવે પંડિતને આ પ્રતિમા ખોદવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે પંડિત અંધ હતો, જેના કારણે તે કામ કરી શક્યો નહીં. ત્યારે શનિદેવે પંડિતને કહ્યું કે હવે તમે તમારી આંખો ખોલો છો, તમે બધું જોઈ શકો છો.

જ્યારે પંડિતે આંખો ખોલી ત્યારે તે બધું જોવા લાગ્યો, ત્યારબાદ પંડિતે ટેકરા ખોદવાનું શરૂ કર્યું. જ્યારે આ ચમત્કાર વિશે ગ્રામજનોને જાણ થઈ, ત્યારે તેઓએ પણ પંડિતને મદદ કરવાનું શરૂ કર્યું. ખોદકામ દરમિયાન શનિદેવની એક પ્રતિમા ત્યાંથી મળી હતી જેને દૂર કરીને સ્થાપિત કરવામાં આવી હતી. આજે પણ આ મંદિરમાં આ જ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અન્ય દંતકથા અનુસાર, એવું કહેવામાં આવે છે કે શનિદેવની મૂર્તિ અગાઉ ભગવાન રામની મૂર્તિની જગ્યાએ હતી, પરંતુ એક શનિ ચાચારી અમાવસ્યા પર, આ પ્રતિમાએ જ પોતાનું સ્થાન બદલ્યું હતું.

શનિદેવના આ પ્રાચીન અને અજાયબી મંદિરની મુલાકાત માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરમાં શનિ જયંતિ પર તહેવારની ઉજવણી કરવામાં આવે છે. લોકો અહીં શનિની પૂજા કરે છે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવે છે.

Categories
Entertainment Gujarat

બજરંગદાસ બાપાએ શ્રી રામ જન્મભૂમિમાં લીધી આ વ્યક્તિનાં હસ્તેથી દીક્ષા ગ્રહણ કરી હતી

બજરંગદાસ બાપુની લીલા આપણે સૌ કોઈ જાણીએ છે અને આજે એવું કોઈ ગામ કે શહેરની સોસાયટી નહીં હોય જ્યાં બજરંગદાસ બાપુની મઢુંડી ન હોય! ખરેખર તેમની લીલાઓ અપરમ પાર છે. આજે આપણે જાણીશું કે બજરંગદાસ બાપુ કોના હસ્તેથી દીક્ષા લઈને જીવનને ત્યાગ અને સમર્પણના માર્ગે વ્હાવ્યું.

ઇ.સ. ૧૯૪૧-૪૨માં પૂજ્ય બાપાએ પ્રારંભમાં બગદાણા ગામમાં આવેલ હનુમાનજી મહારાજની જગ્યામાં સતત ૧૨ વર્ષ સુધી તપ કર્યું હતું. નિજાનંદી પૂજ્ય બાપાને ભક્તિમાં ખલેલ પહોંચતી લાગતા ગામથી દૂર બગડ અને હડમતાલુ નદીની વચ્ચે આવેલ શાંત જગ્યા પર પસંદગી ઉતારી હતી. જે હાલના આશ્રમ સ્વરૃપે વિકસી છે. ઈ.સ. ૧૯૫૮-૫૯માં આ જગ્યાએ આશ્રમની સ્થાપના કરવામાં આવેલ હત

દર ર્પૂિણમાએ વિશાળ સંખ્યામાં ભાવિકો દૂરદૂરથી પૂજ્ય બાપાના દર્શનાર્થે ઉમટે છે. ઈ.સ.૧૯૬૧માં ફેબ્રુઆરી માસથી અહીં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આજુબાજુના ગ્રામ્ય પંથકના સેવાભાવી સ્વયંસેવકો સેવા કાર્ય માટે સતત કાર્યરત રહે છે.

પરમહંસ કોટિના સંત પરમ પૂજ્ય બજરંગદાસ બાપાએ કિશોરાવસ્થામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં તેમના ગુરુ અધિકારી શ્રી સીતારામ દાસજી બાપુ પાસેથી દીક્ષા લીધી હતી. એવું કહેવાય છે કે, વલભીપુર પંથકના લાખણકા ગામના મૂળ વતની પૂજ્ય બાપાએ યુવાવસ્થામાં મુંબઈના નિવાસ દરમિયાન ભારતની સ્વાધિનતા ચળવળમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ ભાવનગર અને અહીંથી પાલિતાણા પંથકમાં વાળુકડ ખાતે આવેલ રણજિત હનુમાનજીની જગ્યામાં રહ્યા હતા. એ પછી તેઓ કળમોદર અને છેલ્લે બગદાણાને પોતાનું જીવનનું અંતિમ સ્થાન બનાવ્યું.

Categories
Entertainment National

ખજુરભાઈ ને કઈ વાત નો ગુસ્સો આવ્યો? જાણો ગુજરાતી ઓ ને શુ અપીલ કરી..

ગુજરાતના યુટયુબર અને કોમેડી કલાકાર ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની છેલ્લા બે મહીના થી ગુજરાત અને ખાસ કરી ના સૌરાષ્ટ્ર ના અલગ અલગ ગામડા ઓ મા ખુબ સેવા કરી રહ્યા છે અને તાઉ’તે વાવાઝોડા બાદ છે લોકો ના ઘર પડી ગયા હોય તેવો ને તે ઘર બનાવી ની આપી રહ્યા છે અનેક ગરીબોને તેવો એ ઘર બનાવી આપ્યા છે.

ખજુરભાઈ એ છેલ્લા બે મહીના મા એક કરોડ થી વધુ ની રકમ તેવો એ ગરીબો ને મકાન બનાવવા મા વાપરી છે અને સૌરાષ્ટ્ર મા સેવા કરી રહયા છે ત્યારે તાજેતર મા રાજુલા મા નીરાધાર લોકો ને મદદ કરી રહ્યા છે. તેવો એક દિવસ અગાવ વિડીઓ શેર કરી ને જણાવ્યું હતુ કે પાંચ દિવસ અગાવ જ એક 95 વર્ષ ના દાદા નુ મકાન ઘણુ નબળી હાલત મા ધ્યાન મા આવતા તેવો એ તેમના દીકરા ઓ સાથે વાત કરી હતી. અને તેમના દીકરા ઓ સાથે ઘણી ચર્ચાઓ કરી ને અંતે તેમના શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ દીકરાઓ ના સહયોગ થી મકાન બનાવ્યું.

જેમનુ મકાન બનાવ્યું તવો કાનજીદાદા 95 વર્ષ છે અને એક ગાંધીવાદી અને પ્રમુખ સ્વામી સાથે પણ રહેલા છે. 4-5 દિવસ સતત મહેનત કરી ખજુરભાઈ ની ટીમ દાદા ના દિકરા અને ગામ લોકો ની મદદ થી દાદા નુ ઘર તૈયાર કરી ને દાદા નુ ઘરમા સ્વાગત કરાયુ હતુ. ત્યાર બાદ આજે ફરી ખજુરભાઈ એ વિડીઓ શેર કરી ને કીધું હતુ કે આપણા ગુજરાત મા મોટા ભાગ ના વડીલો ની હાલત સલામત નથી , કાનજી ભાઈ ના બે દીકરા છે શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ રાજુલા મા રહે છે અને તેના બાપા ને સાચવતા નથી. અમે કાલે એમને ઘર બનાવી ને આપ્યુ અને આજે બાપા ની હાલત જોવો તમે.જેમાં 95 વર્ષ ના દાદા નો વિડીઓ ખુજરભાઈ એ શેર કર્યો હતો અને વિડીઓ વધુ ને વધુ શેર કરવાની અપીલ કરી હતી.

Categories
Entertainment Gujarat

ગુજરાત માં નહી પણ સમગ્ર વિશ્વમાં સૌથી લોક પ્રિય નામના ધરાવનાર એવા ઉત્તર ગુજરાત ના લોક ગાયિકા: દિવ્યા ચૌધરી

દિવ્યા ચૌધરી ખુબ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે  સિંગર દિવ્યા ચૌધરી એક સિંગર ની સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે રહે છે એક લોક પ્રિય વ્યક્તિ હોવા છતાં એક દમ સરળ રીતે વ્યક્તિત્વ ધરાવે છે દિવ્યા ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલું નજીકના ગામડા મંડાલી ના વતની છે દિવ્યા ચૌધરી નો સુરીલો કંઠ સમગ્ર વિશ્વમાં માં છવાયો છે દિવ્યા ચૌધરી નાન પણ થી ભણતર ની સાથે સંગીત કલા જગત માં ખુબ રૂચિ ધરાવે છે

દિવ્યા ચૌધરી મિકેનિકલ એન્જીનીયરિંગ ની ડિગ્રી ધરાવે છે અને પરીવાર દ્વારા તેમને ખુબ સાથ અને સહકાર મળ્યો છે દિવ્યા ચૌધરી પોતે ઘણા ગુજરાતી ગીતોને પોતાના સુરીલા આવજ દ્વારા સુપર હિટ બનાવ્યા છે. જેમાં અફસોસ,ગોગા નો પાવર, ચૌધરી ની એન્ટ્રી, “ભગવાન પણ ભૂલો પડ્યો”, દેશી પતંગીયું, ફિકુ પડે બોલિવુડ,મને સાંભળે માખણ ચોર, આંખલડી, છોડી દે મારો છેડો, રાહ જોવે છે રાધા, બોલિવુડ મેસ્પ,પ્રેમ તો અધુરો રહ્યો,હાલ ને કાના રમવા, ધોતિયા વાળો ગમતો નથી,

મને ગર્વ છે ગોગા નો,મારા રામ ક્યાં રહી ગયા, દ્વારિકા કો નાથ મારો ભગવાન, બાય બાય ગુજરાતી ગીત, માણસ બોલી ફરી જાય પણ માતા નો ફરે,મારા વાલા, બાજે ડમરું, રૂપાળા રાધા રોાણી, ઉડે રે ગુલાલ, ઘણા બધા ગીતો માં પોતાનો સુરીલો કંઠ આપ્યો છે અને તેમની યુ ટ્યુબ માં પોતાની ચેનલ D C Digital માં પણ તમે ગીતો નિહાળી શકો છો અને યુ ટ્યુબ માં દિવ્યા ચૌધરી સર્ચ કરી પણ નિહાળી શકો છો

તેમના ઘણા બધા ગીતો મિલિયન માં લોકો એ પોચાડી દિવ્યા ચૌધરી ને પ્રેમ લાગણી અને સાથ સહકાર આપ્યો છે આવનારા દિવસોમાં માં તેમના ચાહકો માટે નવા આલ્બમ ગીતો લાવી રહ્યા છે દિવ્યા ચૌધરી નું કેવું મારા ચાહકો નો મને ખુબ પ્રેમ અને લાગણી મળી છે આજે હું જે પણ છું મારા ઈષ્ટ દેવ મારા કુળદેવી અને માતા પિતા ના આશીર્વાદ થી અને મારા ચાહકો ના સાથ સહકાર થી છું મારો બધો શ્રેય આ બધા ને છે

દિવ્યા ચૌધરી એ કોરોના લોક ડાઉન માં ઉત્તર ગુજરાત માંથી તેમની પરમેનન્ટ રિધમ ટીમ ને અને તેમની સાથે સંકળાયેલા જરૂિયાતમંદ કલાકારો ને જીવન જરૂયાત ની કીટ આપી એક પરીવાર ના સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી દિવ્યા ચૌધરી નું કેવું છે આપડા ભેગા કોઈ પણ વ્યક્તિ કામ કરે નાનો હોઈ કે મોટો બધા ને એક સરખા માને છે

દિવ્યા ચૌધરી સિંગર સાથે એક શ્રેષ્ઠ ગૃહિણી પણ છે તે પોતે પોતના ફાર્મ હાઉસ માં દેશી ચુલા પર રસોઈ બનાવી જમાડવાના શોખીન છે અને સારું જમવાનું બનાવી જમાડી ખુબ આનંદ અનુભવ કરે છે તેમનું કહેવું છે આપડા આંગળે કોઈ પણ આવે જમીને જવું જોઈએ.

દિવ્યા ચૌધરી એક શ્રેષ્ઠ ગાયિકા તરીકે પોતાના અવાજ ની મીઠાશ લોકો સુધી પહોંચાડે છે. લગ્ન પ્રસંગ માં દાંડિયારાસ, સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ તેમજ ડી.જે સહિત અનેક જગ્યાએ પોતાના સુરીલા અવાજ થી લોકોને સંગીત નું રસપાન કરાવે છે.હાલ માં  દિવ્યા ચૌધરી નવરાશ નો સમય પોતા વ્હાલા પુત્ર શ્લોક ચૌધરી સાથે પોતાના ફાર્મ હાઉસ પર પસાર કરેછે. શાંત તેમજ કુદરતી વાતાવરણ માં રહેવાનું દિવ્યા વધારે પસંદ કરે છે

સિંગર દિવ્યા ચૌધરી ની આપ સોસિયલ મીડિયા મારફત ફોલો કરીશકો છે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિત ના સોસિયલ મીડિયા એપ પર દિવ્યા ને આપ ફોલો કરી શકો છો દિવ્યા ચૌધરી એ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ માં પોતાના જીવન શૈલી વિશે વાત કરી હતી તેમનું આ સ્પેશીયલ ઇન્ટરવ્યુ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેનલ હેડ જાકિર મિર તેમજ યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ, પાટણ જિલ્લાના ના જી એક્સ્પ્રેસ ના રિપોર્ટર દિનેશ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

Categories
Entertainment Gujarat

આ સંત 545 વર્ષ થી કરી રહ્યા છે તપસ્યા, વધે છે નખ અને વાળ

આપણુ સૌરાષ્ટ્ર એટલે સંતો અને સુરાઓ ની ભૂમી અહી અનેક સંતો થય ગયા જે વિશ્વ નાખ્યાત છે એવી જ રીતે પુરી દુનિયા મા આવા ઘણા સંતો થય ગયા.

જુની પૌરાણીક કથા ઓ અને વાર્તા ઓ મા આપણને સંતો ના એવા દાખલાઓ મળે છે કે આપણે એને ચમત્કાર માનવો જ પડે છે અને પૌરાણીક કથાઓ મા પણ રુષીમુનીઓ અનેક પ્રકાર ના તપ કદી દેવી દેવતા ઓ ને રીઝવવા જોવા મળે છે. અને વર્ષો સુધી અલગ અલગ પ્રકાર ની તપસ્યા કરે છે અને તપસ્યા મા બેઠે ત્યારે આજુબાજુ શુ થય રહ્યુ છે તેની તેવો પર કાઈ અસર થતી નથી હોતી આવી જ એક વાત આજે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહયા છીએ.

વાત છે તીબત થી બે કીલોમીટર નજીક આવેલા ગામ ગીયુ નામ ના ગામ ની તે ગામ મા એક એવુ પરીક્ષીત શરીર (mummy) મળ્યુ છે જે 545 વર્ષ જુનુ છે. અને આ શરીર ના નખ અને વાળ આજે પણ વધી રહ્યા છે. ગામ વાળા નુ કહેવુ છે કે આ મમ્મી એક ઓરડા મા હતી. અજીબ વાત તો તે હતી કે આ શરીર ને આટલા વર્ષો પછી પણ ખરાબ થયુ ના હતુ. અને ગામ વાળા નુ કહેવુ છે કે આ એક સંત હતા જેમણે એટલા માટે તપસ્યા કરી હતી કેમકે ગામ મા વિછી નો પ્રકોપ હતો અને ગામ ના લોકો ને તેનાથી બચાવવા માટે તેવો ધ્યાન મા બેઠા હતા અને વિછીઓ નો પ્રકોપ ઓછો થયો હતો .

ઘણા લોકો તો એવુ પણ કહે છે કે આ મમ્મી બૌધ ભીક્ષુક ની છે અને આટલું જ નહી ગામ ના લોકો એ પણ કહે છે કે એક વાર ખોદકામ વખતે આ મમ્મી ના માથા પર ઘા વાગ્યો હતો અને તેનાથી લોહી નીકળ્યું હતુ. અને ફોટો મા એ ચોખ્ખુ દેખાય રહ્યુ છે. હાલ આ મમ્મી એક કાચ ની પેટી મા રાખવામા આવી છે અને લોકો તેને આસ્થા સાથે માને છે.

Categories
Entertainment

તમારે કેટલા ફેવરિટ સ્ટાર્સ છે શું તમને ખબર છે કે કેટલું ભણ્યા છે તમારા આ ફેવરિટ સ્ટાર્સ, કોઈએ કર્યું MBA તો કોઈએ કર્યો હોટલ મેનેજમેન્ટનો કોર્સ તે જાણો

મુંબઈઃ સ્મોલ સ્ક્રીન પરના સ્ટાર્સ રોજ દર્શકોનું મનોરંજન કરે છે. ટીવી સ્ટાર્સ માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ ડાન્સ પણ કરતા હોય છે. આ સાથે જ ટીવી સ્ટાર્સ સારું એવું ભણ્યા પણ હોય છે. આજે આપણે ટીવીના સૌથી એજ્યુકેટેડ સ્ટાર્સ અંગે વાત કરીશું.

દિવ્યાંકા ત્રિપાઠીઃ ટીવી સ્ક્રીનની સૌથી જાણીતી વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ નેહરુ ઈન્સ્ટીટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે. તેણે માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો છે. આટલું જ નહીં તે રાઈફલ શૂટિંગ પણ કરે છે. દિવ્યાંકાને ‘બનૂ મેં તેરી દુલ્હન’થી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તે ‘યે હૈ મહોબ્બતે’માં ઈશિતા ભલ્લાનો રોલ પ્લે કર્યો હતો.

કરણ સિંહ ગ્રોવરઃ ટીવી તથા બોલિવૂડમાં કામ કરનાર કરણ સિંહ ગ્રોવરે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેણે ‘કસૌટી જિંદગી કી’માં વિલનની ભૂમિકા ભજવી હતી. તે ટીવી શો ‘દિલ મિલ ગયે’માં જોવા મળ્યો હતો. કરણે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ સાથે લગ્ન કર્યાં છે.

રામ કપૂરઃ રામ કપૂર માત્ર ટીવી જ નહીં, બોલિવૂડમાં પણ એટલો જ જાણીતો છે. રામ કપૂરે લોસ એન્જલસમાંથી એક્ટિંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે. તેણે ‘કસમ સે’, ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’, ‘મેરે ડેડ કી મારુતિ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.રૂપાલી ગાંગુલીઃ ‘અનુપમા’ શોથી લોકપ્રિય થનાર રૂપાલી ગાંગુલીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘પરવરિશ’ જેવા શોમાં જોવા મળી હતી.

મોહસિન ખાનઃ ટીવીના હેન્ડસમ હંક મોહસિન ખાને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આટલું જ નહીં તેણે મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. મોહસીને અનેક ટીવી શોમાં કામ કર્યું છે. જોકે, તેને ખરી લોકપ્રિયતા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી મળી છે. આ સિરિયલમાં તે કાર્તિકનો રોલ પ્લે કર્યો છે.દીપિકા સિંહઃ ‘દીયા ઔર બાતી હમ’થી ઘેરઘેર લોકપ્રિય થનાર દીપિકા સિંહે પંજાબમાંથી અભ્યાસ કર્યો છે. તેણે પંજાબની ટેક્નિકલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.

Categories
Entertainment Gujarat

જો તમારી પાસે છે આ એક રુપીયા ની નોટ તો તમે લાખોપતિ બનવાના ઈ પાકુ છે

નવી દિલ્હી : જો તમારી પાસે જુની નોટો અને સિક્કા છે તો તમે તેનાથી હજારો અને લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. ઈ-કોમર્સ સાઈટ ઈબે  પર 1969 માં છપાયેલી એક રૂપિયાની નોટ 699 ડોલર એટલે કે  51 હજાર રૂપિયામાં ઓકશન થઈ રહી છે.

આ પ્રકારની એન્ટીક નોટ કે સિક્કા ખરીદનાર  તેને મોટી કિંમત ચુકવીને ખરીદતા હોય છે. આ સાઈટ પર જુના સિક્કા અને ભારતીય નોટ  ઘણા વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે. જો તમારી પાસે દુર્લભ સિક્કા કે નોટ છે તો તમે તેમાંથી લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. 41 વર્ષ જુની નોટ માટેની પ્રારંભીક બોલી 100 ડોલર એટલે કે 7300 ડોલર બોલવામાં આવી છે. આ અંદાજથે તેની કિંમત 70 ગણાથી પણ વધી ગઈ છે. 2 રૂપિયાની નોટ 19.99 ડોલર એટલે કે 1460 રૂપિયામાં ઓક્સન થઈ રહી છે. એસ વેંકટરામનની સહી ધરાવતી નોટ રૂ.2190માં મળી રહી છે.

તેના શિપિંગ ચાર્જિસ વધારાના 20 ડોલર એટલે કે રૂ.1460 છે 1981/1982ના  એક રૂપિયાના બે સિક્કાની કિંમત 1241 રૂપિયા છે. જેમાં શિપિંગ ચાર્જ 1095 રૂપિયા લાગશે. 1917ના એક પૈસા સહિત ઘણા જુના સિક્કાની કિંમત રૂ.1900 છે. ઈબે પર જુના સિક્કાથી બનેલો રાજસ્થાનિ ગળાનો હાર રૂ.14,235માં ઓક્સન થઈ રહ્યો છે, આ ઓક્સન અમેરિકાથી થઈ રહ્યુ છે. આ ઓક્સનમાં તાજેતરમાં બંધ થયેલી 500 ની નોટનો પણ સમાવેશ થાય છે.

Categories
Entertainment

દયાભાભી’નો કમર હલાવતો ડાન્સ જે મલાઈકા અરોરાને પણ ટક્કર મારે એવો તમે પણ જોય ને દંગ રય જશો

દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં 4 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ભલે જોવા ન મળતી હોય, પણ આજે પણ તે શોનો મહત્વનો ભાગ છે. ફેન્સ ફરી એક વખત તેને ટીવી પર જોવા માટે ઉત્સુક છે. દયાભાભીના રોલમાં દિશા વાકાણીની ગુજરાતી સ્ટાઈલમાં લહેકાભરી એક્ટિંગને ફેન્સ હજી પણ યાદ કરી રહ્યા છે.

દિશાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ’થી ઓળખ મળી હતી. જોકે દિશાએ એ પહેલાં પણ નાટક શો અને ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. દિશા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. જોકે તે એટલા હીટ થયા નહોતા.

સોશ્યલ મીડિયા પર હાલ દયાભાભી એટલે કે દિશા વાકાણીનો આવો જ એક મ્યુઝિક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે માદક અદામાં સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મરાઠી સોંગ ‘દરિયા કિનારે એક બંગલો’માં દયાભાભીનો અલગ જ અંદાજ જોવા મળે છે આ મરાઠી સોંગના વીડિયોમાં દિશા વાકાણી પીળા રંગના ડ્રેસમાં સ્ટનિંગ દેખાય છે. તેના ડાન્સના મૂવ્સ પણ શાનદાર છે. ખાસ કરીને દિશાને અલગ અંદાજમાં કમર હલાવતા જોઈને તમને પણ નવાઈ લાગશે.

નોંધનીય છે કે અત્યાર સુધી ફેન્સે દિશા વાકાણીને દયાભાભીના રોલમાં મોટાભાગે ગરબા કરતાં જોયા છે. તેના ગરબા સીરિયલની મોસ્ટ ફેમસ વસ્તુઓમાંથી એક છે. તેને ગરબા ક્વિન પણ કહેવામાં આવે છે. હવે જ્યારે જૂના એક વીડિયોમાં તેને ડાન્સના મૂવ્સ કરતાં જોઈને ફેન્સને પણ નવાઈ લાગી છે.