Categories
Helth

શિયાળામાં જમરૂખ ખાવાથી થાય છે આવા આવા ફાયદા ! તમને…જાણો વિગતે

શિયાળાના સમયમાં પોતની શરીરની કાળજી લેવી ખુબ જરૂરી છે એટલા માટે આપણે ખોરાક બાબતે ઘણી બધી તસ્દીઓ લેવી પડે છે જે આપણને સ્વસ્થ રાખે અને આપણને થતા શિયાળાના રોગોથી બચાવી શકે. આપણે આપણી તન્દુરસ્તી જાળવવા માટે અમુક પ્રકારના ફળો ખાવા જોઈએ જેથી આપની સેહત જળવાય રહે. તેવું જ એક ફળએ જમરૂખ છે. આ ફળમાં ભરપપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન c પોટેશિયમ અને ફાયબરથી ભરપુર હોય છે. જમરૂખ ફળમાં ૮૦ ટકા પાણીના હોય છે જે આપણી ચામડીને હાઈડ્રેટ રાખવાનું કાર્ય કરે છે.

શિયાળાના દિવસોમાં શરદી – ઉધરસ હોવીએ આમ વાત છે, જમરૂખના પાનમાં ભરપુર પ્રમાણમાં વિટામીન c અને આયર્ન હોય છે જે શરદી અને ઉધરસ મટાડવા માટે ઉપયોગી થાય છે એટલું જ નહી તે ખાવાથી શરીરની ઈમ્યુનીટીમાં વધારો થાય છે. જો ઉધરસ હોય તો તે સમયે પાકું જમરૂખ ખવાય નહી પણ કાચું જમરૂખ ખાય શકાય છે. જમરૂખમાં વિટામીન c હોવાને લીધે તે આંખની રોશની પણ વધારે છે.

જાણકારી અનુસાર જમરૂખએ ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ફયદા કારક છે એટલું જ નહી તે બ્લડ શુગરને પણ કન્ટ્રોલ કરે છે. ખાસકરીને જમરૂખના પાનના અર્ક ઇન્સુલીન રેજીસ્ટેસ અને બ્લડ શુગર પર ખુબ કન્ટ્રોલ રાખે છે. તેના પાનની ચા પીવામાં આવે તો બ્લડ શુગર ઓછું થાય છે. જમરૂખમાં ગ્લાઈકેમિકલ ઇન્ડેક્સ ઓછું હોય છે જે બ્લડ શુગરના સ્તરને વધતા અટકાવશે.

જમરૂખએ દિલ માટે ખુબ ફાયદાકારક છે. જમરૂખમાં આવેલ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન હદયને ફ્રી રેડિકલ્સ ખરાબ થવા થી બચાવે છે. જમરૂખમાં કેળા જેટલું જ પોટેશ્યમ ધરાવે છે જે હદયની સેહતને દુરસ્ત રખે છે. જમરૂખના પાન પણ બ્લડ પ્રેશરને ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલને વધારી અને બેડ કોલેસ્ટ્રોલનો ઘટાડે છે, જમતા પેહલા એક પાકું જમરૂખ ખાવાથી બ્લડ પ્રેશર ૮-૯ પોઈન્ટ જેટલું ઘટી જાય છે.

જો તમે પોતાનો વજન ઓછો કરવા માંગતા હોય તો જમરૂખથી સારું કોઈ ફળ નથી, આ ફળમાં કેલેરીની માત્રા ખુબ ઓછી હોય છે આથી આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભર્યું રહે છે.જમરૂખના પત્તાએ એન્ટીકેન્સરનો ગુણ ધરાવે છે. ટેસ્ટ ટ્યુબ અને એનીમલ સ્ટડીઝની રીતે, જમરૂખએ કેન્સરની અર્ક કોશિકાઓને વધવાથી અટકાવે છે. જમરૂખમાં આવેલ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સથી બચાવે છે. સ્ટડીસ અનુસાર જાણવા મળ્યું છે કે જમરૂખના પાનના તેલમાં એન્ટી-પ્રોલીફેરેટિવ પદાર્થ હોય છે જે કેન્સરના પ્રસારને રોકવા મદદ રૂપ બને છે.

Categories
Helth

શિયાળામાં આ ઔષધીયના સેવનથી આપણને ઘણી બીમારીઓથી બચાવે છે…જાણો આના ફાયદા

મિત્રો, દવા ખાવાનું કોને ગમે છે… પણ એક વાર કોઈ રોગ આવે તો દવા વગર જતો નથી. આવી સ્થિતિમાં દવાઓથી બચવા માટે જરૂરી છે કે આપણે પૌષ્ટિક ખોરાક લઈએ. આપણા વડીલો કહે છે કે પુષ્કળ લીલા શાકભાજી ખાઓ, તેનાથી રોગો દૂર રહેશે. વાસ્તવમાં, તેમણે કહ્યું કે આ એકદમ સાચું છે, કારણ કે ઘણી એવી શાકભાજી છે, જેને જો આપણે આપણા રોજિંદા આહારમાં સામેલ કરીએ તો ઘણી બીમારીઓથી બચી શકાય છે. આવી જ એક અત્યંત પૌષ્ટિક શાકભાજી છે બથુઆ, જેને અંગ્રેજી ભાષામાં વ્હાઇટ ગૂઝફૂટ અથવા લેમ્બ્સ ક્વાર્ટર્સ પણ કહેવામાં આવે છે. આ ગ્રીન્સનું વૈજ્ઞાનિક નામ ચેનોપોડિયમ આલ્બમ છે. આયુર્વેદમાં પણ બથુઆનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તો ચાલો અમે તમને જણાવીએ બથુઆ શું છે અને શું છે તેની ખાસિયત… શું છે બથુઆ અને તેના ફાયદા

બથુઆ ખરેખર એક ખૂબ જ ખાસ ઔષધિ છે. તે શાક તરીકે બનાવવામાં આવે છે અને તેના રાયતા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે તમને સામાન્ય લીલા શાકભાજી જેવું લાગે છે, પરંતુ તે ગુણોની ખાણ છે. તેમાં ઘણા પોષક ગુણો છે. બથુઆમાં એક-બે નહીં પરંતુ 7 વિટામિન મળી આવે છે. એક સમયે ઘરની પેઇન્ટિંગ માટે ઉપયોગ થતો હતો. ઘણી સદીઓ પહેલાથી બથુઆનો ઉપયોગ સાગ તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત, ઇમારતોના નિર્માણ પરના સૌથી જૂના પુસ્તકોમાંથી એક, શિલ્પા શાસ્ત્ર નામના, બથુઆના અનોખા ઉપયોગનું વર્ણન કરે છે. શિલ્પ શાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે પહેલાના સમયમાં લોકો બથુઆનો ઉપયોગ માત્ર લીલોતરી તરીકે જ કરતા ન હતા, પરંતુ તેઓ બથુઆથી પોતાના ઘરને રંગવાનું અને રંગવાનું કામ પણ કરતા હતા.

આ માટે તેઓ પહેલા આ શાકને સિમેન્ટ અથવા માટીમાં ભેળવીને મિશ્રણ બનાવતા હતા અને પછી આ લીલા મિશ્રણથી તેમના ઘરને લીલા રંગથી રંગતા હતા. આટલું જ નહીં, બથુઆનો ઉપયોગ વાળ ધોવા માટે શેમ્પૂ તરીકે પણ કરવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે આ સાકથી માથું ધોવાથી વાળમાં જૂ અને ડેન્ડ્રફ સમાપ્ત થાય છે. બથુઆ (બથુઆ બેનિફિટ્સ) 8 પ્રકારના વિટામિન્સથી ભરપૂર છે.
બથુઆને માત્ર ગુણધર્મોની ખાણ કહેવામાં આવતું નથી, હકીકતમાં તેમાં 8 પ્રકારના વિટામિન A, B1, B2, B3, B5, B6, B9 અને વિટામિન C હોય છે. આ સાથે તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક વગેરે ખનીજ પણ ખૂબ સારી માત્રામાં મળી આવે છે. એ નોંધવું જોઇએ કે 100 ગ્રામ. કાચા બથુઆમાં 7.3 ગ્રામ છે. કાર્બોહાઇડ્રેટ્સ, 4.2 ગ્રામ. પ્રોટીન અને 4 ગ્રામ. હેલ્ધી ફાઈબર મળી આવે છે. આ પ્રકારમાં, તેમાં કુલ 43 કેસીએલ છે.

જે લોકો શાકાહારી છે તેમના માટે બથુઆનું મહત્વ વધુ વધી જાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે શાકાહારી લોકોના આહારમાં માંસાહારી કરતા ઓછું પ્રોટીન હોય છે, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે માત્ર બથુઆની લીલોતરીમાંથી જ તમને મળે છે. માંસ કરતાં વધુ પ્રોટીન. એટલું જ નહીં, બથુઆ અન્ય તમામ ખાદ્ય પદાર્થો કરતાં વધુ સુપાચ્ય અને પૌષ્ટિક છે. બથુઆ અનેક રોગો સામે લડવામાં ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તમને જણાવી દઈએ કે જો તમે બથુઆ ગ્રીન્સમાં રોક સોલ્ટ મિક્સ કરીને તેને છાશ સાથે સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

બથુઆ દ્વારા ચામડીના રોગો પણ મટાડી શકાય છે. આ સાક ત્વચાના રોગો જેવા કે સફેદ દાગ, દાદ, ખંજવાળ, ફોડલી, રક્તપિત્ત વગેરેને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જો ચામડીના દર્દીઓ દરરોજ બથુઆને ઉકાળીને તેનો રસ પીવે અને તેની સાકનું સેવન કરે તો તેમને ત્વચાના રોગોથી મુક્તિ મળે છે. તેના સેવનથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. પથરીના રોગથી થતો દુખાવો અસહ્ય હોય છે. આ રોગથી છુટકારો મેળવવા માટે બથુઆ પણ ખૂબ જ ફાયદાકારક છે. તે કિડની ઈન્ફેક્શન અને કિડની સ્ટોનની સમસ્યાને પણ દૂર કરે છે. આ સિવાય બથુઆ ગ્રીન્સનું સેવન કરવાથી કમળો, પેટનો દુખાવો, સાંધા અને મૂત્રાશય, કિડની અને પેશાબના રોગોમાં પણ ફાયદો થાય છે. તો મિત્રો, આ વખતે શિયાળામાં તમે પણ ગુણોથી ભરપૂર બથુઆ ગ્રીન્સ ખાવાનું શરૂ કરી દો અને તમારી અને તમારા પરિવારની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો.

Categories
Helth

શિયાળામાં ભરપૂર માત્ર માં કરજો ઘી-ગોળ નું સેવન!! આ તકિલફો થી મળશે રાહત, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ..

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે શિયાળામાં ભરપૂર માત્ર માં કરજો ઘી-ગોળ નું સેવન!! આ તકિલફો થી મળશે રાહત, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ. ચાલો અમે આપને જણાવીએ કે આખરે શિયાળામાં ગોળ ઘીનું સેવન કરવાથી શું ફાયદા થાય છે? આપણે જાણીએ છે કે શિયાળામાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ચેપ અને માંદગીનો ખતરો વધી જાય છે.

ઠંડા દિવસોમાં યોગ્ય ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીર ગરમ થાય છે અને પાચનમાં સુધારો થાય છે. ઠંડીના દિવસોમાં તમે ઘી અને ગોળનું સેવન કરી શકો છો.ઘી અને ગોળ બંને કુદરતી ખોરાક છે, જે પોષક તત્વોથી ભરપૂર છે. ઘીમાં ચરબી, વિટામીન A અને D, કેલ્શિયમ અને મિનરલ્સ હોય છે. ગોળમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ખાસ કરીને શિયાળામાં આ બે વસ્તુઓને એકસાથે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

ઘીમાં રેચક ગુણ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. ગોળમાં હાજર ફાઈબર પાચનક્રિયાને પણ સુધારે છે. ઘી અને ગોળનું સેવન કરવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.ઘીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગોળમાં હાજર આયર્ન એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ છે. ઘી અને ગોળના સેવનથી શરદી અને અન્ય ચેપથી બચવામાં મદદ મળે છે.

ઘીમાં વિટામિન A અને E હોય છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ગોળમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે ત્વચાને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. ઘી અને ગોળનું સેવન ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.ઘીમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાં અને સાંધાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ગોળમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાનો દુખાવો અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. ઘી અને ગોળના સેવનથી શિયાળામાં સાંધાના દુખાવામાં રાહત મળે છે ઘી-ગોળનું સેવન કરતાં પહેલાં ચિકિત્સકની સલાહ લેવી હંમેશાં વધુ સારું છે, ખાસ કરીને જો તમે અન્ય કોઈ દવાઓ લેતા હોવ.

Categories
Helth

શિયાળામા ખુબ વધારે કરજો “લીલી ડુંગળી” નું સેવન, થાય છે આ પાંચ મોટા ફાયદા ! વિશ્વાસ ન આવે તો એક વખત અજમાવી જુઓ…

તમને ખબર જ હશે કે હાલ હવે આખા ગુજરાત રાજ્યની અંદર ધીરે ધીરે ઠંડી પોતાનો રૂપ બતાવી રહી છે એવામાં હજુ તો ડિસેમ્બરનો માસ ચાલી રહ્યો છે ત્યાં શરૂઆત થી જ ઠંડીએ ભારે ચમકારો બોલાવી દીધો છે અને એટલું જ નહીં હવે તો કમોસમી વરસાદે પણ પણ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે, જેવો શિયાળો આવે તેવા લોકો ઉકાળા તથા ગરમાં ગરમ ખોરાક ખાતા હોય છે એટલું જ નહીં શિયાળામાં તો તમામ શાકભાજી ઉપલબ્ધ મળી રહે છે આથી સેહતનો પણ આ ઋતુમાં ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે શિયાળામાં લીલી ડુંગળી ખાવાથી થતા ફાયદા વિશે જણાવાના છીએ, શિયાળામાં આસાનીથી લીલી ડુંગળી મળી જાય છે પરંતુ ઘનતા ઓછા લોકો છે જે લીલી ડુંગળીના ફાયદા વિશે માહિતગાર છે, તો મિત્રો લીલી ડુંગળી ખાવાથી નીચે દર્શાવેલ આ પાંચ ફાયદા આપણા શરીરને થાય છે :

1.બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે :

લીલી ડુંગળી ખાવાથી હાય બ્લડ પ્રેશરની સમસ્યાનો પણ ઉકેલ આવે છે કારણ કે લીલી ડુન્ગલની અંદર સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે જેને લીધે તેનું સેવન આપણા શરીર માટે ઘણું ફાયદા કારક નીવડે છે.

2.ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવે છે :

લીલી ડુંગળીના સેવનથી આપણી ઇમ્યુનીટી શક્તિ એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આપણે કોઈપણ રોગ સામે લડી શકીએ છીએ અને એટલું જ નહીં ખાસી,શરદી જેવી સમસ્યાનો પણ ઉકેલ લીલી ડુંગળી દ્વારા લાવી શકાય છે.

3.આંખ માટે ખુબ ફાયદાકારક:

તમને ખબર હશે કે હાલ તો નાની નાની ઉંમરના બાળકોને ચશમાની સમસ્યા થઇ જતી હોય છે પરંતુ જો તમે લીલી ડુંગળીનું સેવન કરશો તો તમારી આંખ મજબૂત બનશે કારણ કે ડુંગળીમાં વિટામિન એ હોય છે જે આંખ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

4.પાચનક્રિયાને સારી કરે:

હાલ તમને ખબર જ હશે કે લોકો બહારનું કે કોઈ પણ એવું ફૂડ ખાતા હોય છે જેને લઈને પાચન ક્રિયાઓ જટિલ બનતી હોય છે પરંતુ જો તમે લીલી ડુંગળીનું સેવન કરવાની શરૂઆત કરશો તો તમારી પાચન ક્રિયામાં સુધારો આવાહશે અને કબજિયાત જેવી અનેક મોટી મોટી સમસ્યાઓથી છુટકારો તમને મળશે.

5.વજન ઘટાડવામાં ઉપયોગી :

જો તમે તમારા વધારે વજનથી પરેશાન હોવ તો તમારે જરૂરથી લીલી ડુંગળી ખાવી જોઈએ કારણ કે લીલી ડુંગળીની અંદર કેલેરી ઘણી ઓછી માત્રામાં હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે, જો તમે વજન ઘટાડવાની ડાઈટ કરવાનો પ્લાન બનાવતા હોવ તો આ ડાઈટ પ્લાનની અંદર જરૂરથી લીલી ડુંગળીનું સેવન કરવાનું જરૂરથી એડ કરજો.

Categories
Helth

જો તમે પણ પીડાઇ રહ્યા છો આ બીમારી થી તો રહેજો ખજૂરથી દૂર નહીંતો થશે આટલા નુક્સાન..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવ શરીર એ કુદરત ની ઘણી જટિલ રચના છે. કુદરત દ્વારા બક્ષવામા આવેલ આ અમૂલ્ય શરીર ઘણી વખત બીમારી ઓ નો પણ ભોગ બને છે વળી આવી બીમારી ઓ થી સ્વસ્થ રહેવા માટે આપણા શસ્ત્રો મા અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને ખોરાક ના યોગ્ય સેવન વડે આપણે કઈ રીતે સ્વસ્થ થઈ શકીએ તે પણ દર્શાવવામાં આવ્યું છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છિએ તેમાં અલગ અલગ અનેક ગુણો હોઈ છે જે શરીર માટે ઘણા ફાયદા કારક ગણાય છે જોકે આવા ખોરાક નું યોગ્ય માત્રા માં જ સેવન કરવું જોઈએ નહીંતો તેના પણ ગેર લાભ જોવા મળે છે આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવન ના ઘણા ફાયદા તો છે પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન નુકસાન કારક પણ સાબિત થાય છે.

આપણે અહીં ખજૂર વિશે વાત કરવાની છે તમને જણાવી દઈએ કે નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 થી વધુ ખજૂર ન ખાવા જોઈએ આપણે સૌ જાણીએ છિએ કે ખજૂરમાં ડાયેટરી ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન અને વિટામિન બી6 અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

આ ઉપરાંત ખજૂર નું દૂધ સાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે તેમજ તેમાં રહેલ ફાઈબરની ભરપૂર માત્રા મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ દિવસમાં 5 થી વધુ ખજૂર ખાવાથી તમને નુકસાન થશે નીચેની બિમારી ઓ માં ખજૂર નું સેવન કરવું હિતાવહ નથી.

હાયપરક્લેમિયા તમને જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ ની માત્રા વધુ પ્રમાણમાં હોઈ છે માટે જ ખજૂર ના વધુ સેવનથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધુ જાય છે આ સ્થિતિને હાયપરક્લેમિયા કહેવામાં આવે છે જેના કારણે શરીર માં ઉબકા અને મૂર્છા ઉપરાંત સ્નાયુઓની નબળાઈ કળતર અને આંચકી જોવા મળે છે.

અસ્થમામા ઘણા લોકો ને ખજૂર ના સેવનથી એલર્જીનું કારણ બને છે તેવામાં જો કોઈ વ્યક્તિ અસ્થમાની સમસ્યાથી પીડાઇ રહી હોઈ તો તેવા વ્યક્તિઓ ને ખજૂર ખાવાથી તે વધી શકે છે જે બાબત અંગે અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું ડાયાબિટીસ ઉપરાંત બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે આપણે સૌ જાણીએ છિએ કે ખજૂર માં પુસ્કળ પ્રમાણમાં પ્રાકૃતિક મીઠીશ હોય છે જેના કારણે ખજૂર ના વધુ સેવનથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધવાનું જોખમ રહેલું છે.

Categories
Helth

કડવા કારેલાનું સેવન કરો અને મોટી મોટી બીમારીઓ ને હમેશા માટે કહો બાય બાય…. જાણો તેના ફાયદાઓ વિષે

આજના સમયમાં કોઈ પણ ને લીલી શાકભાજી ખાવી પસંદ આવતી નથી. પરંતુ આ વાત પણ દરેક લોકો જાણે જ છે કે લીલી શાકભાજી આપના સ્વાસ્થ્ય માટે કેટલી બધી ફાયદાકારક હોય છે. કેમકે લીલી શાકભાજી માં ફાઈબર ની અને ન્યુટ્રિશિયન્સ ની માત્રા બહુ જ વધારે જોવા મળતી હોય છે. જેનાથી આપના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એવી એક લીલી શાકભાજી માં કરેલા નો પણ સમાવેશ કરવામાં આવે છે. કરેલા ને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકર્ક માનવામાં આવે છે. આથી જ આજે કારેલાં ના એવા ફાયદાઓ થી અમે તમને જાણ કરાવા જય રહ્યા છીયે કે કારેલાં ના એ ગુણો વિષે જાણીને તમે પણ હેરાન રહી જશો અને આજે જ તેનું સેવા કરવા લાગશો.

ડાયાબિટીસ : આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ ની સમસ્યાથી ઘેરાયેલા જોવા અમલી આવે છે. પરંતુ શું તમને જાણ છે કે જો તમે નિયમિત કારેલાં નું જૂસ પીવાનું રાખો તો તેનાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે અને સાથે જ તમને બ્લડ પ્રેશર ની સમસ્યા થી પણ છુટકારો મળી શકે છે.

પેટ સબંધિત સમસ્યા : આજના સમયમાં દરેક લોકો પોતાના કામને લઈને એટલા બધા વ્યસ્ત જોવા મલી જાય છે કે તેઓ પોતાની ખાવા પીવાની બાબતમાં કોઈ સરખું ધ્યાન આપી શકતા નથી. જેના કારણે બહારમાં મળતી કોઈ પંખાની પીણી ની વસ્તુ નું સેવન કરી લેતા હોય છે. જેના કારણે પેટ સબંધિત સમસ્યા ઊભી થાય છે. પરંતુ શું તમને જાણ છે કે જો તમે કરેલા નું સેવન કરશો તો તેનાથી તમને દરેક પ્રકાર ની પેટ ની દમસ્યાથી રાહત મળી શકે છે. અને પેટના રોગ ને જડમૂળ થી દૂર કરી શકો છો.

ઇન્ફેકશન થતાં બચાવામાં મદદરૂપ : આના સિવાય ઘણીવાર એવું પણ બની જતું હોય છે કે જેમાં રમતા રમતા કે કોઈ કારણો સાર શરીર ને ઇરજા પહોચી જતી હોય છે ત્યારે પણ આ ઇરજામાં કારેલાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે કારેલાને ઘસીને વાગ્યાની જગ્યા પર લગાવો તો તમારો ઘાવ જલ્દી જ ભરાઈ જશે અને તેના દ્વારા થતાં ઇન્ફેકશન નો ભય પણ રહેતો નથી.

 

અવાજ બેઠી જવો : જો તમારું ગળું કોઈ કારણોસર બેઠી ગયું છે અથવા તો અવાજ ખરાબ થઈ ગયો છે તો તેને સારો કરવા માટે કારેલાં ફાયદાકારક ગણાય છે. કરેલા ને પેસ્ટ બનાવીને તેમાં મધ અને તુલસી નો રસ ભેળવીને તેનું સેવન કરવાથી તમારા ગાળાની સમસ્યામાં રાહત અનુભવાશે.

લીવર માટે લાભકારી : કારેલાનું સેવન લીવર માટે ફાયદાકારક છે. કરેલા માં લેકટિન હોય છે અને આમ કારેલાં નું સેવન કરવાથી લીવર માં પ્રોટીન નો સંચાર અટકી જાય છે અને આથી જ નિયમિત રૂપે કરેલા નું સેવન ના કરો.

Categories
Helth

જો તમને પણ છે આ 10 બીમારીઓ તો આજે જ સેવન કરવા લાગો જાંબુ નું ! થશે એવો લાભ કે જીવનભર રોગ નહીં થાય… જાણો વિગતે

હાલમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે તો સાથે જ ચોમાસામાં જોવા માલ્ટા જાંબુ નું પણ ધીમે ધીમે બજારોમાં આગમન થઈ રહ્યું છે. જેમાં કાળા કાળા જાંબુ તો બજારમાં એવા જોવા અમલી જાય છે કે તેને જોતાં જ મો માં પાણી આવા લાગી જાય છે. આમ તો વરસાદ પડતાં જ જાંબુ બજારમાં મોટા પ્રમાણ માં વેચવા લાગતાં હોય છે જે નાના બાળકો થી લઈને મોટાઓ પણ બહુ જ ચાવ થી જાંબુ નું સેવન કરતાં હોય છે.

આનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. ત્યાં જ આયુર્વેદ માં પણ આના અને ઘણા રોગ માટે લાભકારી ગણાવ્યા છે. અને ગંભીર બીમારીઓ નો ઈલાજ વિષે પણ જાણવામાં આવ્યું છે.સામાન્ય રીતે લોકો કાળા ફળને ખાતા હોતા નથી. પરંતુ આજે અમે તમને જાંબુ ના એવા ગજબ ના ફાયદાઓ વિષે જણાવા જય રહ્યા છીએ કે જે નાના બાળકો થી લઈને મોટા વૃદ્ધ લોકોને પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જાંબુ ખાવાથી થતાં ફાયદાઓ

1. પથરી ની સમસ્યા : જે લોકો ને પથરી ની સમસ્યા છે એમના માટે જાંબુ ના ઠળિયા બહુ જ ફાયદાકારક ગણાય છે.તમે જાંબુ ના ઠળિયા ને પીસીને પાણી અથવા દહી ની સાથે જો ખાવામાં આવે તો પથરી ની સમસ્યા માં રાહત અનુભવાય છે,

2. પુરુષો માટે લાભકારી : જાંબુ નું સેવન કરવામાં આવે તો શિધ્રપતન અને વીર્ય માં બહુ જ લાભકારી સાબિત થાય છે. જાંબુ ના ઠળિયા ના ચૂરણ ને થોડા દૂધ સાથે જો રોજ લેવામાં આવે તો શિધ્રપતન માં લાભકારી બને છે અને વીર્ય ને વધારે છે.

3. ઝાડા માં લાભકારી : જો તમને ઝાડા થઈ ગ્યાં છે તો તમારા માટે જાંબુ બહુ જ ફાયદાકારક ગણાય છે જો જાંબુ ને સેંધા મીઠું ની સાથે ભેળવીને ખાવામાં આવે તો ઝાડા માં રાહત રહે છે

4. લ્યુકોરિયામાં ફાયદાકારક : જાંબુ ને લ્યુકોરિયા રોગ માટે બહુ જ ફાયદાકર્ક ગણવામાં આવે છે. જાંબુ ના ઝાડ ની છાલ ને ઉકાળીને મધ ની સાથે સવાર સાંજ ખાવામાં આવે તો લ્યુકોરિયામાં લાભ થઈ શકે છે.

5 . નશો ઉતારવા માટે મદદરૂપ : જો તમારે અફીણ નો નશો ઉતારવો ચ્હે તો તેના માટે તમારે જાંબુ ના પણ ને પીસીને તેમાં પાણી ભેળવીને વ્યક્તિને પીવડાવવામાં આવે તો તેના દ્વારા નશો ઉતારી જાય છે.

6. બાળકોને ઝાડા થયા હોય ત્યારે : જો નાના બાળકો ને અતિશય ઝાડા થઈ ગ્યાં છે તો તેના માટે પણ જાંબુ ની છાલ ફાયદાકારક સાબિત થાય છે. જાંબુ ની છાલ ને ઉતારીને તેનો રસ બકરીના દૂધ સાથે ભેળવીને જો બાળક ને પીવડાવવામાં આવે તો તેનાથી બાળક ને ઝાડા માં રાહત રહે છે.

7. કાન માં દર્દ હોય : જો તમને કાનમાં દર્દ થઈ રહ્યું છે તો જાંબુ ના ઠળિયા બહુ જ ફૌયાદકર્ક ગણાય છે. જાંબુ ના ઠળિયાના તેલ ને જો તમે કાન ની અંદર સવાર સાંજે થોડા થોડા ટીપાં અખશો તો તેનાથી તમારા કાનનો દુખાવો દૂર થઈ જાય છે.

8. કેન્સર માં લાભદાયી : જબૂ કેરસર ધરાવતા દર્દીઓ માટે તો બહુ જ લાભકારી ગણાય છે. કિમોથેરીપી અને રેડીએશન ઠેરેપિ થયા બાદ જાંબુ ખાવા બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે.

9. બાળકો માટે ફાયદાકારક : જો તમારા બાળકો રાત્રે ઊંઘ માં પેશાબ કરી જાય છે તો આ બીમારી માટે જાંબુ ના ઠળિયા બેસ્ટ ઉપાય છે. તમે જાંબુ ના ઠળિયા ના ચૂરણ માં ત્રણ ગ્રામ પાણી ભેળવીને જો બલ્ક ને ખવડાવવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે.

10. મો ની દુર્ગંધ ને દૂર કરવા માટે : જો તમને શ્વાસની દુર્ગંધ આવે છે તો જાંબુ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જામ્બુ ના પાન ચાવવાથી અને તેનો રસ ચૂસવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

11. અલ્સરમાં ફાયદાકારક  :  મોઢામાં છાલા પડી ગયા હોય તો જાંબુલના રસનું સેવન કરવાથી મોઢાના ચાંદા મટે છે. જો તમને પેટમાં અલ્સર હોય તો જામુન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જામુનના પાનને સારી રીતે ચાવીને ખાવાથી પેટના અલ્સરથી છુટકારો મળે છે.

Categories
India Helth

આ છે વિશ્વના સૌથી મોંઘા ટામેટાના બીજ, જેની કિંમત એટલી બધી કે લોકો ઘર અને કાર ખરીદે શકે….જાણો તેની કિંમત અને ખાસિયત

હાલમાં થોડા દિવસો થી દેશભરમાં બજારો ની અંદર ટામેટાં ની કિમત આસમાન પર પહોચી ગઈ છે. હોલસેલ માર્કેટ થી લઈને રિટેલ માર્કેટ સુધી ટામેટાં ની કિમત માં વધારો જોવા મલી રહ્યો છે. મે મહિના ના 3 જા અઠવાડીયા માં ટામેટાં ની કિમત 40-50 રૂપિયા પ્રતિ કિલોગામ જોવા મળી હતી. હવે જ્યારે ટમેટાની કિમત ની વાત થઈ જ રહી છે તો શું તમે જાણો છો કે સૌથી વધારે કિમત ધરાવતા ટામેટાં પણ જોવા આમલે છે જેની કિમત વિદેશોમાં અબજો ની ગણાય છે.

ઇન્ટરનેટ પર જોવા મળતા થોડા લેખો અનુસાર હજેરા જેનિટીક્સ દુનિયાના સૌથી મોંઘા ટામેટાં ના બીજ વેચે છે. યુરોપ ની માર્કેટ માં આ ખાસ સમર સાન ટામેટાં ની માંગ જોવા મળી આવે છે. આ ટામેટાં ની કિમત કેટલી હશે તેનો અંદાજો તેના બીજની કિમત થી લગાવી સહકાય છે. 1 કિલોગ્રામ બીજ ની કિમત 3 કરોડ રૂપિયા સુધી ની હોય છે એટ્લે કે આટલા માં તો સામાન્ય લોકોનું ઘર, કાર અને સોના ચાંદી ની વસ્તુ સુધી ની આપણે ઘરીદી શકીએ છે.

1 બીજ થી 20 કિલોગ્રામ ટામેટાં

સ્પસ્ત વાત છે કે 3 કરોડ ના બીજ ના ટામેટાં ની ગુણવંતા અને સ્વાદ સામાન્ય ટામેટાં ની કરતાં બહુ જ અલગ હોય છે. માત્ર કિમત જ નહીં પરંતુ આ ટામેટાં ના બીજ થી ટામેટાં નો પાક પણ સારો થાય છે. મીડિયા રિપોટ ની માનવમાં આવે તો 1 બીજ થી 20 કિલોગ્રામ ટામેટાં ઉગાવી સકાય છે.

બી વગરના ટામેટાં

નોંધવાની વાત એ છે કે આ પ્રજાતિ ના ટામેટાં ની અંદર બી જોવા માલ્ટા નથી. આનો મતલબ એ છે કે દરેક વખતે આ ટામેટાં ને રોપતા પહેલા ખેડૂતોએ 3 કરોડ ની ચુકવણી કરીને ટામેટાં ના બીજ ખરીદવા પડે છે. આ ટામેટાં ના આટલા બધા ભાવ હોવા છતાં આ ટામેટાં ની માંગ વધુ જોવા મળી જાય છે. કહેવાય છે કે જો કોઈએ આ ટામેટાં નો સ્વાદ એકવાર ચાખી લીધો તો ફરી એ પોતાને આ ટામેટાં વગર રહી શકતો નથી. કેમકે તે વારંવાર આ ટેટા ખાવાનું પસંદ કરે છે.,

ટામેટાં ના બીજ બનાવટી કંપની

હજેરા જેનેટિક્સ હાઇ ક્વાલિટી ના ટામેટાં ના બીજ બનાવે છે. હજેરા જેનેટિક્સ ના પ્રવકતા ટાઇરેલ એ જણાવ્યુ કે કંપની નો સામાન્ય ધ્યાન નવા ટાઈપ ના બીજ ને વિકસાવવાનું છે. આ કંપની ખેડૂતો માટે બિયારણ નું ઉત્પાદન કરે છે. જેના બાદ તે બીજની ગુણવંતા નિયંત્રણ પરીક્ષણ પણ કરવામાં આવે છે. જેનાથી બિયારણ વ્યાવસાયિક ધોરણ અનુસાર બનાવવામાં આવે. અને ત્યાર પછી પ્રોસેસિંગ અને ડિલિવરી કરવામાં આવે છે.

Categories
Helth

રાતના ભોજનમાં ભાત નું સેવન કરવું જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકશાન વિષે

ભારતીય ભોજનમાં ભાત ને વધારે મહત્વ આપવામાં આવે છે ભાત નો પુલાવ હોય, મટર પુલાવ હોય કે ભાત ની અન્ય કોઈ વાનગી હોય લોકોને ભાત તો અતિપ્રિય હોય છે. ભાત નું સેવન લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. ભાત ની અંદર કાબ્રોહાઇડ્રેટ હોય છે.આના સિવાય ભાત ની નાદર પ્રોટીન, વસા અને કેલ્શિયમ પણ જોવા મલી જાય છે. ઘણા લોકોના મનમાં એકે સવાલ ઉભો થતો હોય છે કે શું રાત્રે ભાત નું સેવન કરવું જોઈએ કે નહિ ? આમ તો લોકો જ્યારે પણ પસંદ આવે ત્યારે ભાત નું સેવન કરતા હોય છે. અને કોઈ પણ વાનગી ભલે ઘરે બનાવી હોય પરંતુ ભાત વગર તો ભોજન અધૂરું જ લાગી આવતું હોય છે. ત્યારે ઘણા લોકોના ઘરમાં તો રોજ ભાત બનતા હોય છે. તો આવો જાણીએ કે ભાતનું સેવન કરવાનો યોગ્ય સમય કયો ગણાય છે.

શું રાત્રે ભાતનું સેવન કરવું જોઈએ ?

તમને જણાવી દઈએ કે જે લોકોને શરદી ઉધરસ ની સમસ્યા છે અને તાવ આવે છે, જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તે લોકોએ રાતના ભોજનમાં ભાત ના ખાવા જોઈએ. જો તમને ભાત ખાવાની ટેવ હોય તો તમે રાતના સમયે સફેદ ભાત ખાવાના બદલે બ્રાઉન ભાત નું સેવન કરી શકો છો.

રાતે ભાત ખાવાથી થતા ફાયદાઓ

ભાતની અંદર કાર્બોહાઇડ્રેડ ની માત્રા એટલી બધી વધારે જોવા મળી જાય છે કે શરીર ને ઉર્જા અને જીવન માં શક્તિ નું પ્રદાન કરે છે. આ રોતે કાર્બોહાઇડ્રેડ પણ શરીર ની માટે પોતાનો ઉદેશ્ય પૂરો કરે છે અને આપણે કોઈ મુશ્કેલી વિના જ આપણું કામ પણ કરી શકીએ છીએ. ભાત ને શરીર માટે બહુ જ ફાયદાકારક ગણાય છે. રાંધેલા ભાત પાંચન માં સરળ હોય છે સાથે જ પેટ ને લગતી સમસ્યા અને અપચા ની સમસ્યા માં પણ ફાયદફાકારક ગણાય છે.

પોશાક તત્વો શરીરના દરેક હિસ્સાઓ સુધી પહોંચતા હોય છે જે પોતાનું કામ શરીરની અંદર બહુ જ યોગ્ય રીતે કરતા હોય છે. ભાત ને પાચનતંત્ર માટે બહુ જ ફાયદાકારકે ગણવામાં આવે છે. ભાતનું સેવન કરવામાં આવે તો તે નબળા પાચનતંત્ર ને પણ સારું કરી શકે છે. આના સિવાય તે પાચન સબંધિત સમસ્યાઓ ને લઈને પણ બહુ જ ફાયદાકારક સાબિત થાય છે.

રાત્રે ભાત ખાવાથી થતું નુકશાન

રાતના સમયે ભાત નું સેવન કરવું પણ ખતરનાક હોઈ શકે છે જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે ભાતનું સેવન ના કરવું જોઈએ. જો રાતના સમયે ભાતનું સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ નો ખતરો વધી શકે છે. જો રાતના સમયે ભાત ખાવામાં આવે તો સાઈનસ અને અસ્થમા ની સમસ્યા પણ વધી શકે છે. આ સાથે જ ઘણા લોકોને સ્વાસ ફૂલવાની સમસ્યા પણ ઉભી થઇ શકે છે. આ સાથે જ જો રાતે ભાટ નું સેવન કરવામાં આવે તો તેનાથી ગળાની ખરાશ વધી શકે છે.

Categories
Helth

જો તમે પણ પ્લાસ્ટિક ની ગરણીમાં ચા ગાળીને પીવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ઘાતક … જાણો તેનાથી થતાં નુકશાન વિષે

ભારતના દરેક ઘરમાં કોઈ નું કોઈ ચા ના શોખીન અવશ્ય  તો જોવા મળી જ જાય છે. ચા ની એક પ્યાલી તમને એવો અનેરો આનદ અને સૂકુન દઈ જતી હોય છે કે જે આખો દિવસ ખુશનુમા બનાવી દેતી હોય છે. પરંતુ જો તમને કહેવામા આવે કે ચા નું સેવન તમારા સ્વાસ્થય માટે ધીમે ધીમે એક ધીમા ઝેર જેવી કામ કરે છે. જિહા અમે અહી ચા ની નહીં પરંતુ તેને ગાળવામાં આવતી પ્લાસ્ટિક ની ગરણી ની વાત કરી રહ્યા છીએ જેને ઘણીવાર લોકો ચા ને ગાળવા માટે ઉપયોગમાં લેતા હોય છે. અને રસ્તા ની વચ્ચે કે ગલી ના કિનારે પણ ચા ને આમ જ ગાળવામાં આવે છે. જો તમે ઘરમાં પણ આવી પ્લાસ્ટિક ની ગરણી નો વપરાસ કરો છો તો ચેતી જજો. તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

પ્લાસ્ટિક ની ગરણી થી ચા ગાળવાથી થતાં નુકશાન

આ વિષે એક્સપર્ટ નું કહવું છે કે જ્યારે તમે ગરમ ચા ને પ્લાસ્ટિક ની ગરણી વડે ચાળો છો ત્યારે તેના થોડા કણ ચા ની સાથે મિકસ થઈ જાય છે. આટલું જ નહીં ઘણી ચા તો ગરણી ઓને રિફાયન્દ કરીને પ્લાસ્ટિક દ્વારા બનાવામાં આવતી હોય છે. એવામાં આ પ્રકાર ની પ્લાસ્ટિક ની ગરણી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આનાથી તમને ઘણા પ્રકાર ની ગંભીર સમસ્યાઓ થવાનો ખતરો રહેતો હોય છે. જો તમે લાંબા સમય સુધી પ્લાસ્ટિક ની ગરણી માં ચાળેલ ચાનો ઉપયોગ કરો છો તો તણો મતલબ એમ થાય છે કે તમારા શરીરમાં ઘણા પ્રકાર ના માઈક્રોપ્લાસ્ટિક જમા થઈ ગ્યાં છે. જેના કારણે ઘણી બીમારીઓ શરીર પર હાવી થઈ શકે છે.

કિડનીને થતું નુકશાન

પ્લાસ્ટિક ના સંપર્કમાં કિડની ને નુકશાન થવાનો ખતરો પણ જોવા મળી આવે છે. થોડી રિસર્ચ માં પણ આનો આવો કરવામાં આવ્યો છે કે જો તમે પ્લાસ્ટિક ના સંપર્ક માં આવેલ ખાધ્ય પદાર્થ કે પ્રવાહી નું સેવન લાંબા સમય સુધી કરો છો તો ત્નાથી કિડની ના ફિલ્ટર કરવાની શ્રમતા ઓછી થઈ જાય છે એવામાં કિડની ડેમેજ થવાનો ખતરો ઊભો થાય છે.

કેન્સર નો ખતરો

પ્લાસ્ટિક ની અંદર ઘણા ખટર્નખ અને હાનિકારક કેમિકલો હોય છે જેમાં કે મેટ્રોસેમીન અને બિસ્ફિનોર્લ જે શરીર માં કેન્સર નો ખતરો ઊભો કરી શકે છે. જેનાથી કૅન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. એવામાં પ્ર્યતન કરો કે પ્લાસ્ટિક ની ગરણી થી ચા ગાળીને ના પીવામાં આવે.

પ્રેગ્નેન્સીમાં થઈ શકે છે નુકશાન

જો તમે સ્વસ્થ રીતે ડિલિવરી કરવા માંગો છો તો પ્લાસિક ની વસ્તુ થી દૂરી બનાવીને રાખો. ખાસ કરીને પ્લાસ્ટિક ની ગરણી નો ઉપયોગ ચ ને ગાળવા માટે ના કરો. તેના દ્વારા તમારી સાથે સાથે તમારા આવનારા બાળક ને પણ નુકશાન થાય છે. આના સિવાય પુરુષોમાં નપુશક્તા, પાચન સબંધી સમસ્યા જેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એવામાં પ્ર્યતન કરો કે પ્લાસ્ટિક ના સંપર્ક માં આવેલ ખાધ્ય પદાર્થો કે પ્રવાહી નું સેવન બિલકુલ ના કરો.