પિતા પુત્રનો એક એવો સબંધ છે દુનિયાના દરેક સબંધ કરતા અલગ હોય છે, અમુક વખત પિતા પોતાના સંતાન પર કોઈ વાતને લઈને ઠપકો આપી દેતા હોય છે જેને લઈને સંતાનને માઠું પણ લાગતું હોય છે પરંતુ પિતા પણ દીકરાના સારા માટે જ ઠપકો આપતા હોય છે તે સંતાનને પણ ખબર હોય છે આથી આવું માઠું લાંબા સમય સુધી ચાલી શકતું નથી એવામાં દ્વારકા માંથી એક ખુબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે જેમાં એક સાથે પિતા-પુત્રની અર્થી ઉઠતા સૌ કોઈ રડી પડ્યું હતું.
તમને જણાવી દઈએ કે દ્વારકાના કલ્યાણપુર તાલુકાની અંદર આવેલ મળી ગામમાંથી આ દુઃખદ ઘટના સામે આવી હતી જ્યા દીકરાએ કોઈ કારણોને લીધે ઝરી ટીકડા ખાય લીધા હતા જે બાદ યુવકને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન જ યુવકે દમ તોડ્યો હતો, પોતાને મૌતને વ્હાલું કરી લેતા આ આઘાત પિતાને સહન ન થયો અને અંતે પિતાએ પણ ઝેરી દવા ખાયને મૌતને વ્હાલું કરી લીધું હતું.
પિતા-પુત્રની આવી મૌતની કહાની જાણી આખા ગામમાં જાને દુઃખના વાદળો પ્રસરી ગયા હોય તેવી સ્થિતિ બની હતી, એટલું જ નહીં જયારે પિતા પુત્રની એક સાથે જ અંતિમયાત્રા નીકળી તો સૌ કોઈ હીબકે ચડ્યું હતું.માળી ગામની અંદર દેવાણંદ ઓધાભાઇ જામ(ઉ.વ.26) એ કોઈ કારણોસર બપોરના ટાણે ખેતરમાં નાખવાના ઝેરી ટીકડા ખાય લીધા હતા જે બાદ સારવાર અર્થે ખસેડતા ગણતરીના સમયમાં જ તેઓનું મૃત્યુ થયું હતું.
એવામાં જયારે તેઓના મૃતદેહને ઘરે લાવતા તેમના પિતા તથા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આથી પિતા પોતાના પુત્રનો વિરહ સહન ન કરી શક્યા અને મૃતક દેવાણંદભાઈ ના પિતા એવા ઓઢાભાઈ જામ(ઉ.વ.60) એ પણ ઝેરી ટીકડા ખાય લીધા હતા જે બાદ તેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. એવામાં બાપ દીકરાની એક જ સાથે અર્થી ઉઠતા આખું ગામ દુઃખને મારે ગદગદી ઉઠ્યું હતું.