Categories
Gujarat India National

અમેરિકા-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા પટેલ પરિવાર ને શું અંતિમ ક્ષણોમા દેશની માટી નહીં મળે ? કેનેડા..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળા નો સમય ચાલી રહ્યો છે તેવામાં જ્યાં ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે. ત્યાં બીજી બાજુ ઘણા એવા પ્રદેશો પણ છે કે જ્યાં ઠંડીએ પોતાના તમામ જૂના રેકોર્ડ તોડ્યા છે. ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં ઠંડી ના કારણે લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

મિત્રો આપણે થોડા સમય પહેલા જ એવા સમાચાર સાંભળ્યા હતા કે કેનેડા થી ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ એક પરિવાર ઠંડી ના કારણે રસ્તામા જ મૃત્યુ પામ્યો હતો. આ માહિતી સામે આવતાનિ સાથે જ આખી દુનિયામાં આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ હતી.

મિત્રો આમ ગેરકાયદેસર એક દેશની સરહદ માંથી બીજી દેશની સરહદ માં જવાની ઘટના ઘણી જ ચર્ચા ની બાબત ગણાય. જો કે હાલના આ સમય માં લોકોને અમેરિકા જવા માટે શા માટે આટલી બધી ઇચ્છા છે તે બાબત સમજાતી નથી. મિત્રો મળતા માહિતી અનુસાર આ પરિવારે કેનેડા થી અમેરિકા જવા માટે આશરે દોઢ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જો કે આટલા નાણાં ના રોકાણ માત્રથિ જ સરકાર સીધા જ બોલાવીને વિઝા આપે છે. તો પછી આમ ગેરકાયદેસર રીતે જવાનું કારણ શું ?

જો કે હાલમાં મળતી માહિતી મુજબ કેનેડા ની સરકાર ના કાયદા ઘણા કડક છે માટે, તેઓ આ પટેલ પરિવાર અંગેની માહિતી કે મૃતદેહ એટલા જલ્દી નહીં સોંપે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલમાં આ બાબત ને લઈને ભારત અને કેનેડા બંને દેશ હવે તેમના ઇમિગ્રેશન નિયમો કડક કરશે. હાલમાં આ બનાવ ને લઈને બંને દેશની સરકારો સાથે મળીને કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *