Categories
Entertainment Gujarat

રોજ આવા આવા ખતરાથી ખેલીને એક માછીમાર પોતાનું પેટ પાળે છે ! જુઓ તો ખરી આ નૌકા પાણીમાં કેવા જોલા મારી રહી છે….

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટોળાય રહ્યું છે, એવામાં દરિયાકાંઠાના અનેક એવા વિસ્તારોમાં રાહત કર્યો કરી નાખવામાં આવ્યા છે તેમ જ અનેક લોકોનું ખુબ સ્થળાન્તર કરી નાખવામાં આવ્યું છે. એટલું જ નહીં અનેક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે પરંતુ તેમ છતાં અનેક એવા માછીમારો છે જે પોતાના જીવને જોખમમાં મૂકીને માછલી પકડવા માટે જતા હોઈ છે.

વાવાઝોડું આપણા શહેરના લોકો માટે અસર કરતા હોય તો પણ થોડાક ઓછા પરંતુ જે લોકો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેવા લોકો માટે આવા વાવાઝોડા કાળ બનીને ત્રાટકી પડે છે, આથી જ પોતાના પેટને પાળવાં માટે આવા વાવઝોડાની અંદર પર અનેક એવા માછીમારો પોતાના જીવનો વિચાર કર્યા વગર જ આવા ખતરનાક દરિયામાં ઉતરી જતા હોય છે.

તેઓને પણ ખબર જ છે કે જો તેઓ માછીમારી કરવા નહીં જાય તો તેમને ભુંક્યા મરવું પડશે અથવા તો તેઓને કોઈ પાસે હાથ લંબાવાનો વારો આવશે, આવી જ મજબુરીને લીધે અનેક માછીમારો દરિયો ખેડવા ઉતરી જતા હોય છે, એવામાં હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ocean_life_veraval નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટી બોટ હવાના પ્રવાહમાં જુલી રહી છે, એવામાં એક સમય તો એવો પણ આવે છે કે જેમાં આ બોટ ડૂબતી હોય તેવું લાગવા લાગે છે. ખરેખર આ વિડીયો ખુબ જ વધારે ચોંકાવી દેતો છે. આવા વિડીયો સોશીયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by @ocean_life_veraval

Categories
Gujarat

વાવાઝોડાએ પ્રચંડ રૂપ ધારણ કર્યું ! આ તારીખે આવી રહ્યું છે, ગુજરાતથી કેટલું દૂર છે ? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ……

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ ફક્ત એક જ સમાચાર ચર્ચિત થઇ રહ્યા છે જે વાવાઝોડાના સમાચાર છે. હાલના સમયમાં એવી સંભાવના સાધી રહેવામાં આવી રહ્યા છે એવામાં ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર થવાની છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવી રહ્યું છે. એવામાં આ વાવાઝોડાને લઈને ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી 300 કિમિ દૂર છે એવામાં વાતાવરની સ્થિતિ જોઈને સરકાર દ્વારા અનેક એવા સુરક્ષાને લગતા પગલાંઓ લેવામાં આવ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાન્તર કરવામાં આવી રહ્યું છે જયારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે, આ ચક્રવાત વધારે ભયન્કર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ પણ દાખવામાં આવી છે,.

વાવાઝોડાને પગલે SDRF તથા NDRFની ટિમોને પ્રભાવિત એરિયામાં મૂકી દેવામાં આવી હતી. આ વાવાઝોડાથી પ્રભાવતી 16 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે એવામાં 15 જૂનના રોજ સંભવિત રીતે આ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તેમજ ગુજરાતના તમામ બંદર વિસ્તારોમાં પણ 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે જે ખરેખર અસલી આપત્તિનું માર્ગર્દર્શન બતાવે છે.

આ આફત આવતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ચક્રવાત પર નજર રાખી છે અને એક ખાસ મિટિંગ રાખી હતી જેમાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક માધ્યમથી વાત કરી હતી અને આ આપત્તિ વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી તથા સહાયનું આશ્વાસન પણ આપ્યું હતું.

http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?21.764,72.150,5