Categories
Helth

લસણ ખાવાથી ફક્ત ફાયદા જ નહીં પરંતુ આપી શકે છે નુકશાન પણ ! શરીરને કરે છે આવા આવા નુકશાન…જાણો પુરી વાત

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વ્યસ્ત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો લોકો પાસે કામ કરતા હોવાને લીધે તેઓ પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ લેખ લઈને વાવ્યા છીએ જેમાં લસણના ફાયદા તથા ગેરફાયદા વિશે તમને આજે જણાવાના છીએ.

તમને જણાવી દઈએ કે કાચું લસણ ખાવાથી એન્ટીઓક્સીડેન્ટ,ફાયબર, વિટામિન જેવા અનેક ગુણો શરીરને મળી રહેતું હય છે, એટલું જ નહીં ડાયાબિટસ તથા કોલેસ્ટ્રોલ તથા હાય બીપી જેવી અનેક સમસ્યાનુંનિવારણ થતું હોય છે. એવામાં તમને જણાવી દઈએ કે લસણ ખાવું આ લોકો માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.

જો કોઈ વ્યક્તિ એસીડીટીથી પરેશાન હોય તો તેને લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે લસણ ખાવાથી છાતીમાં બળવાની સમસ્યા ઉદભવતી હોય છે અને એટલું જ નહીં આ લસણ એસીડીટીને વધારે ટ્રીગર પણ કરી નાખે છે.જણાવી દઈએ કે જો તમારું પેટ કમજોર હોય અથવા તો તમે મસાલેદાર ખોરાક તેમજ તીખું ખાવાથી જો તમારા શરીરમાં બળવા લાગે તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ.

જો તમારા મોઢામાંથી દુર્ગંધ અથવા તો પરસેવા માંથી દુર્ગંધ આવતી હોય તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે આવી સમસ્યાથી પીડિત લોકો જો લસણ ખાશે તો તેના માટે સમસ્યામાં વધારો થઇ શકે છે, એટલું જ નહીં પરસેવા તથા દુર્ગંધની સમસ્યામાં પણ ઘણો વધારો થવા લાગે છે, જો કોઈ હાર્ટની પ્રોબ્લમ ધરાવતા લોકો લોહી પાતળું કરવા માટે અનેક દવા પિતા હોય છે, તેવા તમામ લોકો માટે પણ લસણનું સેવન કરવું ખતરાથી ખાલી નથી.

Categories
Helth

કાલઝાળ ગરમીમાં સોડા કે બીજા કોઈ ઠંડા પીણાં નહિ પણ નારિયળ પાણી પીજો! શરીર માટે છે ખુબ ફાયદાકારક… જાણો ફાયદા

મિત્રો હાલના સમયમાં તમે જાણતા જ હશો કે આખા ગુજરાત રાજ્યમાં ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે એવામાં લોકો શરીરને ઠંડક આપવાના નવા નવા પ્રયાસો કરી રહ્યા છે, અમુક લોકો ઠંડા પીણાનું સેવન કરીને તો અમુક લોકો ઘરમાં જ રહીને ગરમીનો સામનો કરી રહ્યા છે, એવામાં આજે અમે એક એવા પીણાં વિશે વાત કરવાના છીએ જે કુદરતી જ છે અને શરીરને કોઈ પ્રકારે નુકશાન પોહચાડતું પણ નથી.

આ પીણું બીજું એકેય નહિ પણ નારિયળ પાણી છે, આમ તો તમને ખબર હશે કે નારિયળ પાણી ઘણાં મોટા અંશે આપણા શરીર માટે ઉપયોગી સાબિત થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે આ નારિયળ પાણીના ફાયદા વિશે જ જણાવાના છીએ. તમને જણાવી દઈએ કે નારિયળ પાણી શરીરની પાણીની કમીની સમસ્યાને પણ દૂર કરે છે. વારમવાર જો નાળિયાર પાણી પીવામાં આવે તો શરીરમાં પાણીની કમી ક્યારેય નથી ખલતી.

ઝાડા-ઉલ્ટી જેવી સમસ્યામાં પણ એક નારિયળનું પાણી પીય લેતા ઘણી રાહત મળે છે અને શરીરમાં શક્તિ બની રહી છે. જો તમે ફક્ત નારિયળ પાણી પિતા હોવ તો પણ તમને ભૂખ લાગતી હોતી નથી. નારીયળ પાણીમાં વિટામિન સી, પોટેશ્યમ અને મેગ્નેશ્યામ જેવા અનેક ગુણો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રીત રાખવા માટે પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે, એટલું જ નહીં આ ફળમાં કોલેસ્ટ્રોલ નથી હોતું જેથી કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી કોઈ બીમારી પણ થવા પામતી નથી.

તમને જાણતા નવાય લાગશે કે વજન ઘટાડવા માટે નારિયળ પાણીનું સેવન કરવામાં આવે છે કારણ કે એક નારીયળ પાણી પીય લેતા પેટમાં ભૂખ નથી લગતી જેથી આપણે જમતા હોતા નથી એટલે વજનમાં ઘટાડો થાય છે. નારિયળ પાણી શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઈટ્સ પોહચાડવાનું કાર્ય કરે છે જેથી હાઈડ્રેશનનું સ્તર પણ સુધરવા પામે છે. નારિયળ પાણી શરીરને ઉર્જા પુરી પાડે છે.

નારિયળ પાણીની અંદર એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જેના લીધે ચેહરા પર થતા ડાઘ,ખીલ, કરચલી જેવી અનેક ચેહરા સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થાય છે અને નારિયળ પાણીના સેવનથી ડેંડ્રફ પણ ઓછું થાય છે. પેટમાં થતી બળતરા, આંતડામાં સોજો આવવા જેવી મોટી બીમારીને પણ નારિયળ પાણી માત આપે છે.

Categories
Helth

પાનના પત્તાના આ ફાયદા વિશે શું તમે જાણકાર છો?? ફક્ત મોઢું સાફ રાખવા માટે જ નહીં પણ શરીરને કરે છે આ મોટા મોટા ફાયદા..પુરુષોને તો ખાસ…

આમ તો તમને ખબર જ હશે કે લોકો મોઢું સાફ રાખવા માટે અથવા તો જમ્યા બાદ મીઠા પાનની મજા માણતા હોય છે પણ મિત્રો શું તમને ખબર છે આવું પણ તમારા શરીરને કેટલા અંશે ફાયદા આપે છે? નહીં, ઘણા ઓછા લોકો એવા હશે જેને આ પાનના ફાયદા વિશે ખબર હશે તો ચાલો આજના આ લેખના માધ્યમથી અમે પાનના અનેક ગુણકારી ગુણો વિશે જ વાત કરવામાં છીએ જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે પાન ખાવાનું શરૂ કરી દેશો.

વર્તમાન સમયમાં તમને શેરીએ શેરીએ પાન વાળાની દુકાન મળી જશે કારણ કે પાન ખાવાના લોકો શોખીન જ એટલા બધા છે. તમને જણાવી દઈએ કે પાન ખાવાથી પરુષોની મરદાની શક્તિમાં ખુબ વધારો થાય છે, વિવાહિત પુરુષ હોય તો તેના પાનનું જરૂર સેવન કરવું જોઈએ જેનાથી શક્તિમાં વધારો થાય. પાનઆ પત્તાઓમા એન્ટી-ડાયાબિટીસ, એન્ટી-ઈનફલામેટરી, એન્ટી-ઇન્ફેક્ટિવ, એન્ટી-સેપ્ટિક જેવી અને દુર્ગંધ દૂર કરવા જેવા અનેક ગુણો હોય છે.

પાન ખાવાથી પુરુષોની યૌન શક્તિમાં તો વધારો થાય જ છે પણ સાથો સાથ પાચન ક્રિયા ધીમી હોય તો તેને ફાસ્ટ કરવા માટે પણ પાનના આ પત્તાને ખાતા તે સુધરી જાય છે.જમ્યા બાદ જો ફક્ત પાનનું એક પત્તુ ખાવામાં આવે તો પેટ દર્દ, ગેસ અને છાતીમાં બળવા જેવી અનેક સમસ્યાનું ઝડપી નિવારણ મળે છે આથી જ આપણે જોયું હશે કે કોઈ લગ્ન પ્રસન્ગમા પણ જમાડીને પાન ખવડાવામાં આવે છે જેના લીધે પાચન ઝડપથી થાય.કહેવામાં આવે છે કે પાનના પત્તા દરેક ઘાવ ભરવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

તમને ખબર કે હાલના સમયમાં લોકોની વ્યસ્ત થઇ જતા લોકો પોતાના ખાન-પાનનું ધ્યાન રાખી શકતા હોતા નથી આથી જ બાદા જેવી તથા પાચન ન થવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે, તો એવામાં પાનના આ પત્તાનું સેવન કરવું જરૂરી બની જાય છે કારણ કે પાનના પત્તા આવી સમસ્યાનો પણ નિકાલ તરત રીતે કરી આપે છે. પાનના પત્તા ખાવાથી પેટ સાફ અને સ્વચ્છ રહે છે અને કોઈ પણ જાતની એવી સમસ્યા રહેતી હોતી નથી.