Categories
Helth

શું તમને ખબર છે? ચણા ખાવાથી શરીરને થશે આ આ મોટા ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…જાણો આ ગુણકારી ફાયદા વિશે

હાલના વ્યસ્ત જીવનશૈલીમાં આપણે હેલ્ધી રેહવું કેટલું જરૂરી બની જાય છે, શરીરને કોઈ પણ પીડા કે બીમારી થાય તો સૌ પ્રથમ આપણે તેના ઉપાયમાં લાગી જાયે છીએ પરંતુ આપણે પેહલા આપણે તે નથી વિચારતા કે આપણે બીમાર શા માટે પડ્યા. આપણી ખાણી-પીણીની ટેવ સારી હોય તો આપણા શરીરને ઘણી ઓછી તકલીફ પડતી હોય છે પરંતુ જો તમે વારંવાર બહારનો તથા જંક ફૂડ ખાતા હોવ તો તેનું નુકશાન તમારા જ શરીરને થતું હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ખોરાકને લઈને આવ્યા છીએ જેને ખાવાથી શરીર માટે અનેક ફાયદા તો પોહચે જ છે પરંતુ સાથો સાથ શરીરને અનેક પ્રકારની શક્તિઓ પણ પુરી પાડે છે.આ ખોરાક બીજો એકેય નહીં પરંતુ ચણાં છે. તમે અનેક વખત એવું સાંભળ્યું જ હશે કે ચણાં ખાવાથી દોડવામાં રફતાર આવે છે તથા ખુબ શક્તિ મળે છે.તમને ખબર હશે કે ઘોડા પણ ચણા જ ખાતા હોય છે આથી તેઓ આટલા તંદુરસ્ત હોય છે.

લોકો ચણાને ખુબ અલગ અલગ રીતે ખાતા હોય છે, અમુક લોકો બાફેલા ચણા કરીને તો અમુક લોકો રાત્રે ચણા પલાળીને બીજા દિવસે તેનું સેવન કરતા હોય છે. ચણાનો આવી રીતે ઉપોયગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે જે ખરેખર દરેક શરીર માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તમે અમુક સ્થાનોએ જોયું હશે કે ત્યાંના લોકો ચણાનું શાક જેવી વાનગીઓ બનાવતા હોય છે.

બાફેલા કાળા ચણા ખાવાથી શરીરને ગેસ જેવી અનેક તકલીફો માંથી રાહત મળે છે, એટલું જ નહીં આવા ચણા શરીરને પણ ખુબ વધારે શક્તિ પુરી પાડતા હોય છે. જો તમારે દિવસભર કામ કરવાનું હોય તો તમારે ચણા ખાવા જોઈએ જેથી આખો દિવસ માટે એમનામજ શક્તિ બની રહે અને તમારા શરીરમાં ઉર્જા એમનામ જળવાય રહે, જો વજન ઓછો કરવો હોય તો તે માટે પણ તમારે બાફેલા ચણા ખાવાનું રહેતું હોય છે જેથી વજનમાં ઘણો ઘટાડો થાય છે.

Categories
Helth

ધોમધખતી ગરમીમાં જો તમે ફ્રીજનું ઠંડુ પાણી પિતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! શરીરને આવું નુકશાન કરે છે ઠંડુ પાણી..જાણો પુરી વાત

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ધોમધખતી ગરમી પડી રહી છે એવામાં લોકો પોતાના શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પાણી પીવાની સાથો સાથ ઠંડા પીણા પિતા હોય છે, પરંતુ આ ઠંડા પીણા થોડાક સમય માટે જ આપણને સારા લાગશે કારણ કે આવા પીણાં શરીર માટે ખુબ નુકશાનકારક સાબિત થતા હોય છે તો આજના આ લેખના માધ્યમથી અમે એક ઠંડા પાણી પીવાના ગેરફાયદા વિશે જણાવાના છીએ.

જો તમે બોવ જ વધારે ઠંડુ પાણી પીવાના શોખીન હોતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આવી આદત જેમ બને તેમ કાઢી નાખવી જરૂરી બની જાય છે કારણ કે આવી આદત તમને નુકશાન કારક સાબિત થઇ શકે છે. જો તમે બાદાની મુશ્કેલીથી જુજી રહ્યા ચો તો ઠંડા પાણી પીવાનું અટકાવું જોઈએ કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં પસાર થાય છે અને આંતરડા સઁકોચાય જાય છે જે બાદાની સમસ્યાને વધુ જોર આપે છે.

જેમ બને એમ પ્રયત્ન કરવા કે વધારે ઠંડુ પાણી તમે ના.પીવો. વધારે ઠંડુ પાણી પીવાથી માથામાં દુખાવાની સમસ્યા પણ ઉદભવે છે અને એટલું જ નહીં બરફ વાળું પાણી પીવાથી બ્રેન ફ્રિજ થવાની પણ પરેશાની થતી હોય છે.આમ તો વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં જ્યારે માથામાં દુખાવો થવા લાગે ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે વધારે પડતી ગરમીને લીધે માથું દુખવા આવ્યું એવું હોય છે પરંતુ અસલી કારણ એ હોય છે ગરમીમાંથી આવીને તમે સીધા ઠંડુ પાણી પીવો તો આવી સમસ્યા થવા લાગે છે.

બોવ જ વધારે ઠંડુ પાણી પીવાથી પાચન તંત્રને પણ અસર થતી હોય છે જેનાથી પ્રભાવિત થઇ જમવાનું પાચન થતું હોતું નથી અને પાચનક્રિયામાં ભારે દિક્કત આવતી હોય છે, તેના જ લીધે બાદો, પેટમાં દુખાવો તથા પેટ ફુલાય જાવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવતી હોય છે.ઠંડુ પાણી શરીરના ફૈટને સખ્ત બનાવી દે છે આથી જ ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ અથવા તો માટલાના પાણીનું સેવન કરવું જરૂરી બની જાય છે.