મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દેશ અને દુનિયા અલગ અલગ અનેક સમસ્યા સાથે લડી રહી છે તેવામાં જો આખા વિશ્વ ની પ્રજા નો સૌથી વધુ કોઈ બાબત હેરાન કરી રહી છે તોતે મોંઘવારી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મોંઘવારી નો આ માર ભારતની જનતા પણ સહન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં મોજ શોખની વસ્તુઓ તો ઠીક પરંતુ જીવન જરૂરી વસ્તુઓ ના ભાવો પણ આસમાન પર છે, વધતા ભાવ વધારાના કારણે શાક ભાજી અને અન્ય ખોરાકની વસ્તુઓના ભાવ આસમાને છે.
તેવામાં લોકોને બે ટાઈમ નો ખોરાક મેળવવો પણ મુશ્કેલ બને છે. જેના કારણે અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવામાં અનેક જગ્યાએ ચોરી અને લુટ ફાટ જેવી ઘટના લોકોની મુશ્કેલીઓ માં વધારો કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અન્ય લોકોની વસ્તુઓ પર ધ્યાન રાખે છે અને તેની ચોરી કરે છે. જેને લઈને લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ અનુભવવી પડે છે.
હાલમાં ચોરીને લઈને આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમને પણ નવાઈ લાગશે આ કિસ્સો ઉતર પ્રદેશ ના શાહજહાં પુર ના તીલહર પોલીસ સ્ટેસન વિસ્તાર અંતર્ગત આવતા એક બજાર નો છે કે જયના એક શાક ભાજી વિક્રેતા ને ત્યાં ચોરી થઇ છે આ વેપારીનું નામ મનોજ કશ્યપ છે કે જેના ગોડાઉન માં ચોરોએ કિમતી વસ્તુની ચોરી કરી જણાવી દઈએ કે આ કિમતી વસ્તુ લીંબુ છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં લીંબુનો ભાવ આસમાને છે તેવામાં મનોજ ભાઈના ગોડાઉન માં રાખેલા કિમતી અને મોંઘા લીંબુ ચોરો ચોરી ગયા જણાવી દઈએ કે ચોરો દ્વારા લીંબુ અને ડુંગળી તથા લસણ જેવી અન્ય વસ્તુઓ પણ ચોરી કરી છે. મનોજ ભાઈના જણાવ્યા અનુસાર ચોરો દ્વારા ૬૦ કિલો લીંબુ, ૪૦ કિલો ડુંગળી અને ૩૮ કિલો લસણ ની ચોરી કરવામાં આવી છે. હાલમાં લીંબુની કીમત આ બજાર માં ૨૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. જયારે અમુક વિસ્તારોમાં આ ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા છે. તેવામાં અનુમાન છે કે ચોરો આશરે ૨૪૦૦૦ ની ચોરી ગયા છે હાલમાં મનોજ ભાઈએ પોલીસ ને ચોરીની ફરિયાદ નોંધાવી છે.