મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય જીવન ઘણું મૂલ્યવાન છે, તેવામાં ઘણી વખત લોકો પોતાના જીવનની કદર કરતા નથી અને એવા કામો કરી બેસે છે કે જેના કારણે તેમના જીવ પર આફત આવી બને છે, આપણે સૌ ઘણી વખત ટ્રેનને લગતા અકસ્માત અંગે જોતા અને સાંભળતા હોઈએ છીએ. તેવામાં મોટા ભાગના આવા અકસ્માત વ્યક્તિની પોતાની ભૂલના કારણે જ સર્જાતા હોઈ છે.
લોકો પોતાની ખોટી ઉતાવળ ને કારણે ફાટક બંધ હોવા છતાં પણ પાટાને ઓળગવાની કોસીસ કરે છે. જેના પરિણમે ઘણી વખત વ્યક્તિ ને અકસ્માત ની સામનો પણ કરવો પડે અને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જો કે અકસ્માત ના અનેક બનાવો સામે આવ્યા છતાં પણ લોકો સમજતા નથી અને ખોટી રીતે ટ્રેક ઓળંગવાની કોશીસ કરે છે. અને પોતાનો જીવ પણ ગુમાવે છે.
પરંતુ કહેવાય છે કે જેના નશીબ સારા હોઈ અને જેમના પર ભગવાનનો હાથ હોઈ તેમને કોઈ પણ ઇજા પહોચાડી ન શકે ગુજરાતીમાં તો કહેવત પણ છે કે ” રામ રાખે તેને કોણ ચાખે ” હાલમાં આવો જ એક ચમત્કાર નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવક પરથી 70 ડબ્બા વાળી ટ્રેન પસાર થઇ હતી છતાં પણ તે યુવકનો જીવ બચી ગયો, આ ઘટના અંગેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ રાજસ્થાન ના સવાઈ માધોપુર માં આવેલા ગંગાપુર સિટીનો છે. જણાવી દઈએ કે અહીં દિલ્હી મુંબઈ રેલવે લાઈન સ્થિત કરોલી ફાટક પાસે આ બનાવ બન્યો હતો કે જ્યાં એક યુવક ટ્રેક ને પસાર કરી રહ્યો હતો તેવામા તેજ ગતિએ એક 70 ડબ્બા વાળી માલ ગાડી ત્યાં આવી પહોંચી જો કે ટ્રેનને જોઈને યુવક ટ્રેક પર જ લાપસી ગયો અને બે પાટા ની વચ્ચે ફસાઈ ગયો.
જો કે આ સમયે યુવક ઊંધો પડી ગયો હતો અને ટ્રેનના ડરથી બેહોશ થઇ ગયો. આસ પાસ ના લોકો આ જોઈને હેરાન રહી ગયા સૌ કોઈને લાગ્યું કે યુવક બચશે નહિ પરંતુ ત્યારે જ ચમત્કાર થયો અને યુવકનો જીવ બચી ગયો. હાલમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે, જણાવી દઈએ કે આ યુવક ગંગાપુર સિટીના વોર્ડ નંબર 22 ના કોલી પાડાનો રહેવાસી છે અને તેનું નામ ડાલચંદ છે.