મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાની જીવન ઘણું મહત્વ નું અને મૂલ્યવાન હોઈ છે તેવામાં લોકો ની દરેક લોકોને પોતાના જીવન પ્રેત્યે ઘણો લગાવ હોઈ છે પરંતુ ઘણા એવા પણ લોકો હોઈ છે કે જેઓ પોતાના જીવનની ચિંતા કર્યા વિના અન્યની રક્ષા માટે થતા તમામ પ્રયત્ન કરે છે અને પોતાના જીવનને સંકટ માં મૂકી દે છે હાલમાં આવો જ એક વીરાંગના નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક બહાદુર દીકરીએ પોતાના જીવને જોખમ માં મૂકી પાંચ લોકો ને નવું જીવન આપ્યું છે.
કહેવાય છે કે આ ધરતી પર મનુસ્ય માટે સૌથી મોટું અને પુણ્ય નું કાર્ય અન્યને મદદ કરવાની છે. અને આ વાત આ બહાદુર દીકરીએ સાચી કરી બતાવી છે. અને અકસ્માત માં પોતાનો જીવ આપીને 5 લોકોને નવું જીવન આપ્યું છે. જો વાત આ ઘટના અંગે કરીએ તો બનાવ નેબુઆ નૉંરંગીયા ગામની છે અહીં એક સ્કૂલ ટોલા પાસે એક કાર્યક્રમ હતો આ સમયે સ્કૂલ ની પાસે આવેલા એક સ્લેબ વાળા કુવા ઉપર અમુક મહિલા અને બાળકીઓ બેઠા હતા. અને તે સમયે હાજર પુરુષો તેમને જમાડવા માટે આવી રહ્યા હતા.
આટલા માં એકા એક આ કુવાનો સ્લેબ તૂટી ગયો અને આશરે 22 જેટલી મહિલા અને બાળકીઓ કુવામાં પડી ગઈ. જેના કારણે લોકોમાં અફરા તફરી થઇ ગઈ. જો કે સૌ પ્રથમ સેફટી ટેન્ક દ્વારા આશરે 9 ટેન્ક જેટલું પાણી બહાર કાઢવામાં આવ્યું અને ગામના યુવાનો દ્વારા દોરી અને સીડીની મદદથી કુવામાં પડેલ મહિલા ને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી.
આ સમયે એક મહિલાએ પણ સેવા ભાવથી મહિલાઓ ને કુવા માંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગી જેને જોઈને સૌ કોઈ આ યુવતીને મદદ માટે બોલાવવા લાગ્યા અને યુવતી પણ લોકો ની મદદ કરવા લાગી જણાવી દઈએ કે આ યુવતી નું નામ પૂજા યાદવ હતું કે જે તહસીલદાર શાહી મહાવિદ્યાલય સિન્હા માં બી એ ની બીજા વર્ષ ની વિદ્યાર્થી હતી અને સેનામાં જોડાવા માટે તૈયાર હતી.
જો કે આ કુવામાં પૂજાની માતા પણ પડી ગયા હતા એક પછી રક પોતાની બહાદુરીથી પૂજાએ પાંચ લોકો ને બચાવી લીધા પરંતુ નસીબને કંઈક અલગ જ પસંદ હશે તેમ જયારે પૂજા છઠ્ઠા વ્યક્તિ ને બચાવવા ગઈ ત્યારે એકા એક તેનું સંતુલન ખોઈ બેસતા પૂજા પણ કુવામાં પડી ગઈ અને ડૂબવાના કારણે તેનું મૃત્યુ થયું આમ વર્દી પહેર્યા પહેલા જ પૂજાએ લોકો માટે વીરગતિ પસંદ કરી જો કે જણાવી દઈએ કે પૂજાના બંને ભાઈઓ પણ આજ અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા અકસ્માત ને કારણે પૂજા સહીત 13 લોકોના અવશાન થયા હતા. આમ એક અકસ્માતે અડધા પરિવાર ને ખાલી કરી નાખ્યું. જણાવી દઈએ કે પૂજા ના પિતા આર્મીમાં છે અને હાલમાં દિલ્હીમાં કાર્યરત છે બાળકોના નિધન ના કારણે પરિવારમાં શોક નો માહોલ છે.