Helth

કડવી દવા નહિ પરંતુ ખાવ ગળિયો ગોળ અને મેળવો આટલી બીમારી માંથી રાહત ગોળ સાથે……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે તેવામાં આ સમય આપણી શારીરિક ક્ષમતા વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. શિયાળાના આ સમય માં અલગ અલગ અનેક પૌષ્ટિક વસ્તુઓ આવે છે કે જેના સેવન થી આપણે તંદુરસ્ત રહી શકીયે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શરીર ની તંદુરસ્તી હાલના સમયમાં કેટલી જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે માનવીની સાચી સંપત્તિ તંદુરસ્ત શરીર ને જ માનવામાં આવે છે. તેવામાં વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક ઉપાયો કરે છે. તેમાં પણ જ્યારથી કોરોનાએ આપણા જીવનમાં દસ્તક દીધી છે. ત્યાર પછી લોકો પોતાના સ્વાથ્ય ને લઈને વધુ ચિંતા કરતા થઇ ગયા છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ વસ્તુઓ ના સેવન અંગે આપણા આયુર્વેદમાં પણ ઘણી જાણકારી આપવામાં આવી છે આજે આપણે એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જે શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા ઉપરાંત અન્ય ઘણી રીતે માનવ શરીર માટે ફાયદા કારક છે. જો કે આ કોઈ કડવી દવા નથી પરંતુ ગળિયો ગોળ છે. એટલે કે ગળિયું મોઢું કરીને સ્વસ્થ મેળવવા માટેની વાત આપણે અહીં કરવાની છે.

મિત્રો જણાવી દઈએ કે આપણે અહીં ગોળ અને દેશી ઘી ના સેવન થી થતા ફાયદા વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે આ મિશ્રણ માનવ શરીર માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે. જો વાત ગોળ અને ઘીમાં હાજર પૌષ્ટિક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે ગોળમાં અર્યાન અને કેલશ્યમ ઉપરાંત મેગ્નેશિયમ, પોટેશિયમ સાથો સાથ મૅન્ગેનીઝ અને ઝીંક જેવા અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જયારે વાત દેશી ઘી અંગે કરીએ તો આપણે સૌ ઘી ના ફાયદા થી તો માહિતગાર જ છીએ. જણાવી દઈએ કે દેશી ઘી માં વિટામિન એ અને વિટામિન ઈ ઉપરાંત વિટામિન ડી સાથો સાથ ફૈટી એસિડ જોવા મળે છે.

જો વાત કરીએ ગોળ અને ઘી ના મિશ્રણના સેવનથી થતા ફાયદા અંગે તો આપણે સૌ જાણીએ છીએ કે ગોળ અને ઘી હાડકાના વિકાસ અને હાડકાના મજબૂત કરવા માટે ઉપયોગી છે. જણાવી દઈએ કે ગોળ અને ઘી માં રહેલ કેલ્શિયમ અને વિટામિન હાડકાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત સાંધા ના દુઃખાવા માં પણ રાહત મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય કેટલો હરીફાઈ વાળો છે. તેવામાં લોકો પાસે કામ વધુ છે અને સમય ઓછો છે. આવા સમયે લોકો પાસે ભોજન માટે પણ સમય રહેતો નથી તેમાં હાલમાં લોકોને બહારનું ભોજન જમવાનું વધુ પસંદ કરે છે. આ તમામ બાબતને કારણે આપણે પેટને લગતી સમસ્યાઓ વિશે જોતા હોઈએ છીએ તેમાં પણ કબજિયાત નો પ્રસન્ન હાલ વધુ જોવા મળે છે. તેવામાં ગોળ અને દેશી ઘી નું સેવન કબજિત ઘટાડવા અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત મહિલાઓ ને થતા માસિક સ્ત્રાવ ના દુઃખાવામાં પણ રાહત મળે છે.

ગોળ અને ઘી લોહીના શુદ્ધિ કરણમાં પણ મદદ કરે છે. ઉપરાંત એનિમિયા નામની બીમારી સામે રક્ષણ મેળવવા પણ આ મિશ્રણ ફાયદા કારક છે. જણાવી દઈએ કે એનિમિયા એટલે શરીરમાં જોવા મળતી લોહીની ઉણપ. ગોળ માં રહેલા આયરન લોહીની કમીને દૂર કરે છે. ઉપરાંત લોહીને શુદ્ધ કરે છે જેના કારણે ત્વચા સુંદર બને છે. આ ઉપરાંત ગોળ અને ઘી ના મિશ્રણ નું સેવન કરવાથી ટેન્શન અને તણાવ માં રાહત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *