કાશ્મીર ની ધરતી પર ફરી લોહી વહ્યું! આતંકવાદીઓ એ ફરી હિન્દુ…
શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આવેલી એક શાળામાં આતંકવાદીઓ ઘૂસ્યા અને ગોળીબાર કર્યો. આ હુમલામાં બે શિક્ષકોના મોત થયા હતા.જમ્મુ કાશ્મીર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત નાગરિકો આતંકવાદીઓની ગોળીઓનો નિશાન બન્યા છે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે જેમાં બે શિક્ષકોના મોત થયા છે અજાણ્યા હુમલાખોરોએ શાળાના આચાર્ય અને સફા કદલમાં એક મહિલા શિક્ષકની ગોળી મારી હત્યા કરી હતી.
આશંકા છે કે હુમલાખોરો આતંકવાદી હોઈ શકે છે. આ હુમલામાં માર્યા ગયેલા સતીન્દર કૌર અને દીપક કૌર અલોચીબાગના રહેવાસી હતા શહેરમાં ગુરુવારે ત્રાસવાદીઓએ બે શિક્ષકોની બપોરના સમયે હત્યા કરી હતી બંને શીખ અને કાશ્મીરી પંડિત શિક્ષકોની ઓળખ સતીન્દર કૌર અને દીપક ચંદ તરીકે થઈ છે કહેવામાં આવી રહ્યું છે કે બંને સફા કદલના આલોચીબાગના રહેવાસી હતા.
એક દિવસ પહેલા જ આતંકીઓએ કાશ્મીરમાં ત્રણ લોકોની હત્યા કરી હતી જેમાં શ્રીનગરના મોટા ડ્રગ ડીલર 70 વર્ષીય માખનલાલ બિન્દરૂ, ફૂડ સ્ટોલ લગાવનાર વિરેન્દ્ર પાસવાન અને ટેક્સી સ્ટેન્ડના ચેરમેન મોહમ્મદ શફી લોનનું નામ સામેલ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે કહ્યું કે આતંકવાદીઓએ આ ત્રણ હત્યાઓ માત્ર એક કલાકમાં કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે ગુજરાત નો આવાઝ વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ અમારું પેજ ગુજરાત નો આવાઝ સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!