India

નવા વર્ષ માં પણ સોના ખરીદનાર લોકો માટે રાહત ના સમાચાર આજે સોના અને ચાંદીના ભાવો માં….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ થોડા સમય બાદ ફરી એકવાર લગ્ન ની સિઝન શરૂ થવા જઈ રહી છે. તેવામાં લોકો સોનાની માંગ માં વધારો કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે સોનું અને ચાંદી કેટલી અમૂલ્ય ધાતુ છે. જેના કારણે દરેક વ્યક્તિ આ ધાતુ ખરિદવા અને તેમા પોતાના નાણાં રોકવા ઇચ્છે છે. પરંતુ લોકો સોનું સસ્તું થવાની રાહ જુએ છે. જો તમે પણ સોનું ખરીદવાની રાહ જોવો છો તો આ અહેવાલ તમારાં માટે છે.

 

મિત્રો જણાવી દઈએ કે આજે સોનું ખરીદવા ઇચ્છતા લોકો માટે આજનો દિવસ સારો સાબિત થયો કારણ કે આજે સોના ની કિંમત માં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જો વાત સોનાના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે ભોપાલમાં 22 કેરેટ અને 10 ગ્રામ સોનાનો ભાવ 46,070 રૂપિયા નોંધાયો છે. જયારે 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 48,837 નોંધાયો છે.

 

જો વાત કાલના ભાવો અંગે કરિએ તો કાલે સોનાનો ભાવ ભોપાલના સારાફ બજાર માં 22 કેરેટ માટે રૂપિયા 46,420 નોંધવામાં આવ્યો હતો. સાથો સાથ જો વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે કાલે ભોપાલ માં ચાંદી નો ભાવ પ્રતિ કિલો માટે રૂ. 66,200 નોંધાયો હતો જયારે આ ભાવ આજે રૂ. 65,700 નોન્ધાયો છે.

 

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *