National

લગ્ન સમારંભ પર ગયેલા લોકો ઉપર વિજળી પડતા 17 લોકો ના મોત અને 12 લોકો ને ઈજા પછી એવું થયું કે…..

Spread the love

બાંગ્લાદેશમાં એક લગ્ન સમારંભમાં આકાશી વીજળી પડવાને લીધે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ ઘટના બાંગ્લાદેશના ચપૈનવાબગંજ જિલ્લાના શિવગંજમાં બની હતી. અહીં બુધવારે એક નવામાં જાન જઈ રહી હતી ત્યારે વીજળી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ ઘટનામાં 12 લોકોને ઈજા પહોંચી હતી.મળતી માહિતી પ્રમાણે નાવ પર લગ્નની એક પાર્ટી ચાલી રહી હતી. ચોતરફ ખુશી અને આનંદનો માહોલ હતો. પણ ઓચિંતા હવામાન ખરાબ થઈ ગયું અને વરસાદ થવા લાગ્યો હતો. આ સમયે આકાશી વીજળી પડવાને લીધે 17 જેટલા લોકો માર્યા ગયા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આંખના પલકારામાં જ વીજળીની ઝપટમાં આવવાને લીધે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે દુલ્હન પાર્ટીમાં ન હતી. ગણતરીની સેકન્ડોમાં અનેક વખત આકાશી વીજળી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *