વડોદરા માં થયેલ ગેંગ રેપ અને તે યુવતિ ની ટ્રેન માં મળેલ લાશ ના કેશમાં નવો વળાંક શું કોઈ સતાધિસ નો છે આ ઘટના પાછળ હાથ ?….
મિત્રો આપણે સૌ જણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી અમાનવીય કૃત્ય કારનાર લોકોના હોસલા જાણે વધી ગયા હોઈ તેવું લાગે છે. જેની પાછળનું કારણ લોકો દ્વારા હાલ થતા સંગીન અપરાધો છે. આપણે અવાર નવાર માનવતાને શર્મસાર કરી નાખે તેવી ઘટનાઓ જોતા અને સંભાળતા હોઈએ છીએ. જે પૈકી અમુક ઘટનાઓ લોકો પર ઘણી જ ઊંડી અસર કરે છે. આવા બનાવો બન્યા બાદ લોકોમાં રોષ ની લાગણી જોવા મળે છે. આવી જ એક અમાનવીય ઘટના રેપ છે.
આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ અપરાધ માં અપરાધ કરનાર વ્યક્તિ જેટલો જવાબદાર છે તેટલો જ જવાબદાર તેનો સાથ દેનાર પણ હોઈ છે. આપણે અહીં એક એવા જ કિસ્સા વિશે વાત કરવાની છે કે જ્યાં એક યુવતિ ના મૃત્યુ ના કેશની તપાસ માં પરિવાર તરફથી ઘણો મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અગાઉ જો બનેલ ઘટના અંગે વાત કરીએ તો જણાવી દઈએ કે તો આ બનાવ દિવાળીના સમય નો છે કે જ્યાં એક યુવાન દીકરીએ આત્મ હત્યા કરી હતી. અને તેની મોતની પાછળનું કારણ યુવતી સાથે થયેલ રેપને માનવામાં આવે છે,
તમને જણાવી દઈએ કે આ યુવતીનો મૃતદેહ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલ ગુજરાત કવિન એક્ષપ્રેશ ના કોચ નંબર ડી 12 માંથી મળી આવ્યો હતો. પોલીસ ને યુવતીના ઘરેથી એક ડાયરી મળી હતી જેમાં યુવતીએ પોતાની આત્મ હત્યાનું કારણ પોતાની સાથે થયેલ રેપ ને ગણાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ યુવતી વડોદરામાં એક કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી હતી. તેને પોતાની ડાયરીમાં જણાવ્યું કે ધન તેરશના દિવસે સાંજના સમયે તે પોતાના રૂમે પરત ફરિ રહ્યા હતા ત્યારે બે લોકો તેમનો પીછો કરતા હતા. આ બંને વ્યક્તિ યુવતી ને ડરાવી ધમકાવીને એક મેદાનમાં લઇ ગયા અને વારાફરતી યુવતી સાથે ગૅંગ રેપ કર્યો. જેના પછી બંને લોકો ત્યાંથી ફરાર થઇ ગયા.
પોલીસ દ્વારા આ ઘટના અંગે હાલ તપાસ શરૂ છે જેમાં આ મૃતક યુવતી નાં માતા અને પિતા દ્વારા SITના અધિકારી રેલવે પોલીસ વડા પરિક્ષીતા રાઠોડની મુલાકાત લીધી હતી આ સમયે તેમની સાથે મહિલા આયોગના ચેરપર્સન શોભનાબહેન રાવલ પણ તેમની સાથે હાજર હતા.
પિડિતા ના માતા ના જણાવ્યા અનુસાર તેઓ પોતાની પુત્રીનુ મૃત્યુ અંગે ઓએસિસ સંસ્થા જવાબદાર છે. અને આ મામલામા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. જેની પાછળ નું કારણ જણાવતા યુવતી ની માતા દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે પોલીસ પર દિલ્હીમાં બેઠેલા એક ઓફિસરનુ દબાણ છે.
આ કારણે પોલીસ દ્વારા ઓએસિસ સંસ્થા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મૃતક યુવતી ના પરીજનો ની ઇચ્છા એવી છે કે પોલીસ ઓએસિસ સંસ્થા સામે દ્વારા કડક પગલાં ભારે અને તેમને ન્યાય આપવે. માતા નું કહેવું છે કે કે ”મારી દીકરીનું મોત ઓએસિસ સંસ્થાના કારણે જ થયું છે. તેવી અમને પૂરી શંકા છે.” યુવતિ ની માતાએ વધુ માં જણાવ્યું કે યુવતિ ની મૃત્યુ બાદ આજ દિવસ સુધીમા પણ સંસ્થા તરફથી તેમનો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી.
જો કે જણાવી દઈએ કે પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ માટે અને અપરાધીઓ ની ઓળખ માટે ગોત્રી વિસ્તાર ના કેબના ચાલકો અને રિક્ષાવાળાઓની ઉપરાંત તે સમયે મેદાન પાસે હાજર લોકોની ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરુ કરાઇ છે. જેમાં કેબવાળા અને રિક્ષા ચાલકો સહિત 50 લોકોની પુછપરછ કરાઇ હતી.