Categories
Helth

જાણો સરસવ ના તેલ લગાવ્વના આ ફાયદા તમને પણ નહીં ખબર હોઇ આ બાબત….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે સાચી મિલકત સ્વસ્થ શરીર છે. મનુસ્ય સ્વસ્થ હશે તો તે કોઈ પણ કાર્ય કરી શકે છે. તેમાં પણ જ્યારથી કોરોના જેવી ગંભીર બીમાંરી એ દુનિયામાં દસ્તક દીધી છે ત્યારથી લોકો સ્વસ્થ ને લઈને ઘણા જાગ્રુક થયા છે. અને પોતાના સ્વાસ્થ માટે અનેક પ્રકારના કાર્ય પણ કરતા હોઈ છે. આજે આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

આજે આપણે સરસવ ના તેલ ને પેટની નાભિ પાસે લગાવ્વાથી શું ફાયદા થાય છે તે અંગે વાત કરવાની છે. આપણામાંથી ઘણા લોકો ને એ બાબત અંગે માહિતી નહીં હોઈ કે નાભિમાં તેલ લગાવવાથી શું ફાયદા થાય છે. તો જણાવી દઈએ કે નાભિમાં તેલ લગાવવાની બાબત આયુર્વેદનો એક વિશાળ ભાગ છે. જો કે નાભિમાં તેલ લગાવવું એ બહુ જૂની પ્રક્રિયા છે. આવા ઘણા તેલ છે જેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, વળી નાભિ આપણા શરીરનું મધ્યબિંદુ છે, તેથી નાભિમાં તેલ લગાવ્વાના અનેક ફાયદા છે.

આપણે અહીં નાભિમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેનાથી થતાં ફાયદા અંગે વાત કરશું. જણાવી દઈએ કે નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શરીર પર તેની ઘણી જ સારી અસર થાય છે. આમ કરવાથી ત્વચા ચમકદાર બને છે. આ ઉપરાંત ડાઘ-મુક્ત અને સુંદર સાથો સાથ સ્વસ્થ ત્વચા મળે છે. જો કે નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જે બાબત અંગે ઘણીવાર લોકો ભૂલી જાય છે.

આ ઉપરાંત નાભિમાં સરસવનું તેલ લગાડવાથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારીમાં રાહત મળે છે. આ માટે તમારે સૂતા પહેલા નિયમિત રીતે નાભિમાં સરસવના તેલના બે ટીપા નાખો જેના કારણે સાંધાના દુખાવાની સમસ્યામાંથી રાહત મળે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિના વાળ ઝડપથી ખરતા હોય તો તે વ્યક્તિએ તેની નાભિ પર સરસવનું તેલ રેડવું જોઈએ. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *