મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સમય ની સાથે અનેક એવા પરિવર્તન આવી રહ્યા છે કે જે માનવ જીવનને આરામ અને સગવડ આપે પરંતુ ઘણી વખત માનવી ને આરામ આપવા બનાવવામાં આવેલ વસ્તુ તેના જીવન માટે સંકટ ઊભો કરે છે અને ઘણી વખત વ્યક્તિ ને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડે છે.
હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં બસમાં સવાર મહિલા અને તેના બાળક ના મૃત્યુ થી પરિવાર માં શોક નો માહોલ છે. આ ઘટના અંગે વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર નાના ખેડા ઉજ્જૈનના રહેવાસી માતા પુષ્પા વર્મા, દીપિકા અને આદિત્યરાજ પુણે ફરવા ગયા હતા.
તેઓ અશોક ટ્રાવેલ્સની બસમાં બેસીને પુણેથી ઉજ્જૈન જાઇ રહ્યા હતા તેવામાં દીપિકા અને તેના પુત્ર આદિત્યરાજની તબિયત લથડી હતી. આ તબીયત બગાડવા પાછળ એવી આશંકા છે કે બસમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોવાથી ગૂંગળામણને કારણે માતા અને પુત્રની તબિયત બગડી હશે, જેના કારણે બંનેના મોત થયા છે.
જોકે મ્રુતક્ ની માં ના જણાવ્યા અનુસાર પૂણે અને ઈન્દોર વચ્ચે દીપિકા અને આદિત્યરાજને ઉલ્ટી થવા લાગી. આ બાબતે જ્યારે તેમણે બસ કંડક્ટરને ફરિયાદ કરી તો પણ તેમણે બસ રોકી ન હતી. અને તેને પુષ્પા અને દીપિકા સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે દીપિકા અને આદિત્યરાજ ની સીટ નીચે લગાવેલા અગ્નિશામક ઉપકરણમાંથી લીકેજ થયું હતું. ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટરની બેદરકારીને કારણે માતા દીપિકા અને પુત્ર આદિત્યરાજનું મોત થયું હતું.
જોકે હાલમાં પોલીસ દ્વારા ઘટના ને લઈને તપાસ શરૂ છે અને બસ કંડક્ટર તથા ડ્રાઈવરના નિવેદન બાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે બંનેના મોત બસમાં શ્વાસ રૂંધાવાથી થયા છે કે અન્ય કોઈ કારણોસર હાલમાં બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમવાય હોસ્પિટલ મોકલીને તપાસ શરૂ કરી છે.